The post હવે શું થશે?:શું બેકાબૂ બનેલા નેતાઓ પર લગામ લગાવાશે? માસ્ક-ડિસ્ટન્સિંગ-કર્ફ્યૂ અને બજારો અંગે નવા આદેશો બહાર પડી શકે છે appeared first on News n Feeds.
]]>ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કાબૂમાં લેવા હાઈકોર્ટે આપેલા આદેશની સાથે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સની કડકપણે અમલ કરવાની દિશામાં રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. એ જોતાં માસ્ક, ડિસ્ટન્સિંગની સાથે બેફામ બનેલી પ્રજાને સંયમમાં રાખવા કડક નિર્ણયો કરવામાં આવી શકે છે, જેમાં માસ્કના મુદ્દે હાઈકોર્ટના આદેશનું અમલ કરવાની સાથે ડિસ્ટન્સિંગના મામલે રાજકીય નેતાઓ ભાન ભૂલી ચૂક્યા હોવાથી તેમની પણ શાન ઠેકાણે લાવવા માટે ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન્સનો ભંગ કરનાર સામે કડક પોલીસ કાર્યવાહીના આદેશો થઈ શકે છે, સાથે સાથે રાજ્યનાં 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂની સાથે દિવસ દરમિયાન બજારોમાં જોવા મળતી ભારે ભીડને કાબૂમાં લેવા ચોક્કસ સમયમર્યાદામાં જ ભીડવાળાં બજારો ચાલુ રાખવા માટે નવી ગાઈડલાઈન્સ બહાર પડી શકે છે.
રાજ્યમાં ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો વધી
કોરોનાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારાને કોવિડના કોમ્યુનિટી સેન્ટરમાં સેવાની સજા કરવા અંગે આદેશ કર્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ આદેશનો અમલ કરવા માટેની દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે, એની સાથે ગુજરાતમાં દિવાળી પછી કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે છતાં પણ અનેક શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદોની સાથે સોશિયલ મીડિયામાં પણ આવા વિડિયો તેમજ ફોટા વાઈરલ થઈ રહ્યાં છે, જેને કારણે કોરોના બેકાબૂ બની રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર રાજ્યનાં 4 શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ કરાવવા પોલીસ તેમજ જે-તે આરોગ્યતંત્રને વધુ સત્તા આપી કાયદાને કડક અમલ કરાવવાની વિચારણા કરી રહી છે.
જીવનજરૂરી વસ્તુઓ માટે પણ સમયમર્યાદા નક્કી થઈ શકે છે
રાજ્યનાં મોટાં 4 શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે, ત્યારે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, પરંતુ દિવસ દરમિયાન આ શહેરમાં પણ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી અને અનેક ઠેકાણે ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ભીડને કાબૂમાં લેવા દિવસ દરમિયાન પણ ચોક્કસ સમયે જ બજારો ચાલુ રાખવા અંગે નવી ગાઈડલાઈન્સ બહાર પડી શકે છે. ખાસ કરીને પાનના ગલ્લા તેમજ ચાની લારી ઉપરાંત શાકભાજી તેમજ કરિયાણાનાં માર્કેટોમાં બેકાબૂ ભીડ જોવા મળતી હોવાથી સમયમર્યાદામાં ફેરકાર કરવામાં આવી શકે છે.
The post હવે શું થશે?:શું બેકાબૂ બનેલા નેતાઓ પર લગામ લગાવાશે? માસ્ક-ડિસ્ટન્સિંગ-કર્ફ્યૂ અને બજારો અંગે નવા આદેશો બહાર પડી શકે છે appeared first on News n Feeds.
]]>The post માસ્ક પહેરો અથવા કોવિડ દર્દીની સેવા કરો:માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટ નારાજ, કહ્યું- માસ્ક ન પહેરનારા લોકોએ 5થી 15 દિવસ કોરોના સેન્ટરમાં સેવા કરવી પડશે, માત્ર દંડ પૂરતો નથી appeared first on News n Feeds.
]]>રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.
માસ્ક ન પહેરવા મુદ્દે
જે લોકો માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા પકડાય છે તેમને દંડવા માટે રાજ્ય સરકારે ચોક્કસ પોલિસી ઘડવી જોઈએ. તેના ભાગરૂપે પકડાનારી વ્યક્તિને કોમ્યુનિટી સર્વિસ સોંપવી જોઈએ. આ માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હાઈકોર્ટે શું કહ્યું
માસ્ક વગરનાએ દંડ આપવો પડશે, કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે
ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ નિર્ણય… માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય 10 દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજૂ કરે એવો પણ કોર્ટનો હુકમ કર્યો છે.
હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે માસ્ક વિના ફરતા લોકોને 8 દિવસ કોવિડ સેન્ટરમાં મૂકો
બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.
The post માસ્ક પહેરો અથવા કોવિડ દર્દીની સેવા કરો:માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટ નારાજ, કહ્યું- માસ્ક ન પહેરનારા લોકોએ 5થી 15 દિવસ કોરોના સેન્ટરમાં સેવા કરવી પડશે, માત્ર દંડ પૂરતો નથી appeared first on News n Feeds.
]]>The post દિવાળી પહેલા ફટાકડાં પર પ્રતિબંધ:દિલ્હી-NCRમાં આજે રાતે 12 વાગ્યે ફટાકડાં પર પ્રતિબંધ, NGTએ 30 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો appeared first on News n Feeds.
]]>જે શહેરોમાં એર ક્વોલિટી સારી , ત્યાં પ્રદુષણ રહિત ફટાકડાંઓ માટે છૂટ
NGTના આદેશ પ્રમાણે, જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી મોડરેટ અથવા તેનાથી નીચેના લેવલ પર છે, ત્યાં પ્રદુષણ રહિત ફટાકડાં વેચવાની છૂટ અપાઈ છે. પરંતુ દિવાળી, છઠ, ક્રિસમસ, નવા વર્ષ જેવા અવસરો પર માત્ર 2 કલાક ફટાકડાં ફોડવાની છૂટ હશે. આ 2 કલાક રાજ્ય સરકાર તરફથી નક્કી કરેલા સમય પ્રમાણે હશે. જો રાજ્ય તરફથી કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નહીં હોય તો દિવાળી અને ગુરુપર્વ પર રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને છઠ પર સવારે 6થી 8 વાગ્યા સુધી રહેશે.
જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી સારી છે, ત્યાં ફટાકડાં પર પ્રતિબંધ ઓપ્શનલ હશે. લોકલ ઓથોરિટી ઈચ્છે તો તેમના હિસાબથી ગાઈડલાઈન્સ નક્કી કરીને પ્રતિબંધ લગાવી શકે છે. કોરોનાના કેસ વધવાની આશંકાને ધ્યાનમાં રાખતા NGTએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, કોઈ પણ સોર્સથી થતા પ્રદુષણને અટકાવવા માટે વિશેષ મુહિમ ચલાવો.
The post દિવાળી પહેલા ફટાકડાં પર પ્રતિબંધ:દિલ્હી-NCRમાં આજે રાતે 12 વાગ્યે ફટાકડાં પર પ્રતિબંધ, NGTએ 30 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો appeared first on News n Feeds.
]]>The post Among Us Has Rolled Out an Update to Let Players Vote Anonymously, Friendlists and Bigger Servers Coming Soon appeared first on News n Feeds.
]]>Along with the updates, InnerSloth also announced a ‘small roadmap’ for the game. Among Us is expected to get accounts by December, which will let players report accounts that are hacking the game or are toxic. Players will also be able to create friendlists.
Players will be able to vote anonymously in the update for the game, where all votes will appear as grey. The new task bar modes include a meeting mode, which only updates the bar during meetings, an invisible mode which removes the task bar entirely, and the always mode which works as it currently does. The Among US update also contains a first pass on colourblind support.
InnerSloth co-founder Marcus also confirmed on Twitter that Among Us will soon support 12-15 players per server.
A new map for Among Us is currently under development, which will contain new tasks, and will be bigger than the current Polus Map. The new map will be free for all players, and is “Henry Stickmin themed,” which is an older series of games by the same creators.
While the popular game has a few language translations available currently, the developers also revealed that they were planning on getting professional translations into multiple languages.
The post Among Us Has Rolled Out an Update to Let Players Vote Anonymously, Friendlists and Bigger Servers Coming Soon appeared first on News n Feeds.
]]>The post કોલસેન્ટર માફિયા:નીરવ રાયચુરાની એક IPS સાથે સ્વિમિંગ પૂલમાં મિત્રતા થઈ અને કોલસેન્ટર કૌભાંડની શરૂઆત થઈ, તેની પત્ની પણ આરોપી appeared first on News n Feeds.
]]>ગુજરાતના એક IPS અધિકારી પણ ચર્ચામાં આવ્યા
કોલસેન્ટર કૌભાંડમાં સેગી ઉર્ફે સાગર ઠાકર અન્ય રાજ્યની પોલીસ તપાસમાં સામે આવ્યો ત્યારે ગુજરાતના એક IPS અધિકારી પણ ચર્ચામાં આવ્યા હતા, પણ કોઇ કારણસર સેગી સીધો પોલીસના હાથમાં આવ્યો ન હતો. હાલ સેગીને કોલસેન્ટરના પાઠ ભણાવનાર નીરવ રાયચુરા પોલીસ કસ્ટડીમાં છે, પણ તેની વૈભવી લાઇફસ્ટાઈલ જોઇને પોલીસ પણ ચોંકી ઊઠી છે.
દારૂ ખરીદવા નીરવ વિદેશ જતો હતો
માહિતી પ્રમાણે સ્પેશિયલ દારૂની બોટલ ખરીદવા માટે નીરવ વિદેશ જતો હતો. એટલું જ નહીં, ડ્યૂટી ફ્રી શોપ પરથી તે દારૂ ખરીદીને પોતાના બારમાં સજાવતો હતો. નીરવ રાયચુરાએ જ્યારે કોલસેન્ટર કૌભાંડની શરૂઆત કરી ત્યારે તેના કોઇ કોન્ટેક્ટ ન હતા, પરંતુ તે રોજ સવારે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવા જતો હતો ત્યારે એક પોલીસ અધિકારી પણ ત્યાં આવતા હતા અને તેણે નીરવને મદદ કરી અને તે કોલસેન્ટરનો બાદશાહ બની ગયો હતો.
કોલસેન્ટર પર કોઈ પોલીસ પહોંચે તો તેની સીધા અધિકારી વાત કરાવી દેતો
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ અધિકારીની વગના કારણે નીરવના કોલસેન્ટર પર કોઇ પોલીસ જાય તો તે તેની વાત સીધી પોલીસ અધિકારી સાથે વાત કરાવી દેતો હતો. આ દરમિયાન સેગી પણ નીરવ સાથે કોન્ટેક્ટમાં હતો, પણ નીરવનો એ દરમિયાન સ્પોર્ટ્સ બાઈક પર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત થયા બાદ ઘણા સમય સુધી નીરવ નિષ્ક્રિય રહ્યો, જેનો લાભ સેગીએ લીધો અને તે નીરવના કોન્ટેક્ટનો ઉપયોગ કરવા માંડ્યો હતો. તેણે પોલીસ અધિકારી સાથે હાથ મિલાવી લીધા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
વર્ષ 2016થી અમદાવાદ કોલસેન્ટરના માફિયામાં જેની ગણતરી થાય છે એવા નિરવ રાયચુરા સામે આનંદનગર પોલીસ દ્વારા કરવામાં આવેલા દારૂની મહેફિલ કેસમાં જામીન મળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઘરમાં ગેરકાયદેસર દારૂનો બાર અને દારૂ રાખવામાં બાબતે કરેલા કેસમાં ધરપકડ કરી છે. એલસીબીએ પૂછપરછ કરતા નિરવ પોતે વિદેશ ગયો હતો અને ત્યાંથી જ દારૂ લાવયો હોવાનું રટણ કરી રહ્યો છે જો કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, નિરવ ઘરમાં બાર બનાવી પોતે મિત્રો અને ઘરના સંબંધીઓ સાથે બેસી દારૂની મહેફિલ માણતો હતો. નિરવની પત્ની પણ કેસમાં ફરાર છે ત્યારે તેને પકડવા માટે ટીમો રવાના કરાઈ છે. નિરવને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવે તેવી શકયતા છે.
શહેરમાં ચાલતા અનેક કોલસેન્ટરના કૌભાંડો ઝડપાઇ શકે
આનંદનગર પોલીસે નિરવના જપ્ત કરેલા ફોનમાંથી અનેક કોલસેન્ટરની લીડ મળી આવી છે. કોલસેન્ટરનો ડેટા પોલીસને મળતાં આગામી દિવસોમાં ફરી મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. શહેરમાં ચાલતા અનેક કોલસેન્ટરના કૌભાંડો ઝડપાઇ શકે છે. પોલીસને મોબાઇલમાંથી અનેક ક્રિકેટ અને ફૂટબોલના સટ્ટાના વ્યવહારો તેમજ 10,000 ડોલરની ક્રિપ્ટો કરન્સી પણ મળી આવી છે. જેથી પોલીસે ફોનને FSLમાં મોકલી આપ્યો છે. નિરવ રાયચુરાને ત્રણેય કેસમાં હાલ તેને જામીન આપી દેવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં નિરવ સામે ED અને ITની તપાસ શરૂ થશે
આનંદનગરમાં રમાડા હોટલની સામે સફલ પ્રોફિટેરમાં આવેલી કોલસેન્ટર માફિયા નિરવ રાયચુરાની ઓફિસમાં પોલીસે દરોડો પાડતાં તેઓ વૈભવી લાઇફસ્ટાઇલ અને ઘર જોઈ ચોંકી ઉઠ્યા હતા. જેથી પોલીસે બેનામી મિલકત અને બેનામી પૈસાના વ્યવહાર હોવાને ધ્યાને લઈ ને IT અને ED વિભાગને જાણ કરતા તેઓએ પણ તપાસ કરવાની શરૂ કરી છે. પોલીસે તેઓને નિરવની પ્રાથમિક તમામ માહિતી ED અને IT આપી દીધી છે અને તેઓને મદદ પણ કરશે. આગામી દિવસોમાં નિરવ સામે ED અને ITની તપાસ શરૂ થશે.
કોલસેન્ટર કૌભાંડમાં મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતા
કોલસેન્ટરના માફિયા નિરવ રાયચુરાની સામે પોલીસ કડક તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં પોલીસ અનેક ખુલાસા કરે તેવી શકયતા લાગી રહી છે. પોલીસને ફોનમાંથી કોલસેન્ટર ડેટાની માહિતી મળી છે જેમાં મોટા માથાઓના નામ ખુલે તેવી શકયતા છે. અનેક બુકીઓ અને અધિકારીઓ પણ નિરવના સંપર્કમાં હોવાનું પણ પોલીસને આશંકા છે જેથી તે દિશામાં આગામી દિવસોમાં તપાસ થશે અને ED અને IT હવે નિરવના ઘર અને તેની સંપત્તિની તપાસ કરશે.
થિયેટર સાથેની સુવિધાઓ ધરાવતો બાર
ડીસીપી પ્રેમસુખ ડેલુએ ગ્રામ્ય એસપી વીરેન્દ્રસિંહને માહિતી આપી હતી કે ચાંગોદરમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં નીરવ રાયચુરાનું ઘર આવેલું છે. આની સૂચના આપતાં ચાંગોદર અને ગ્રામ્ય પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા પાડતાં ઘરેથી તેની પત્ની ફરાર થઇ ગઇ હતી. ઘરમાં પોલીસે પ્રવેશ કરતાં એક રૂમમાં જોતાં જ પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. રૂમમાં અદ્યતન દારૂ સાથેનો બાર મળી આવ્યો હતો. મોટા સોફા,એસી અને થિયેટર સાથેની સુવિધાઓ સાથેનો બાર હતો.
પોલીસને 1 લિટરની અન્ય દેશોની દારૂની બોટલો મળી આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાંગોદરમાં નીરવના ઘરે દરોડો પાડતાં દારૂનો બાર મળી આવ્યો હતો, જેમાં મોંઘી દારૂની બોટલો મળી આવી હતી. આ સંબંધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદેશની બ્રાન્ડની બોટલ ઈમ્પોર્ટ કરવી અને ઘરમાં બાર રાખવો ગુનો હોવાથી એ અંગેની પણ કલમો પણ લગાવવામાં આવી છે. ચાંગોદર પોલીસે ફરિયાદમાં નીરવ રાચયુરા અને તેની પત્ની ક્રિષ્ના રાયચુરાને આરોપી દર્શાવ્યાં છે. ફરાર થઈ ગયેલી ક્રિષ્નાને પકડવા માટે પોલીસે ટીમો બનાવી છે.
નીરવને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે
નીરવે બંગલામાં બનાવેલા બારમાંથી તેમજ ઓફિસમાંથી જે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, તે બધી જ વિદેશથી મંગાવવામાં આવી હતી. જોકે નીરવ પાસે દારૂની પરમિટ ન હોવાથી પોલીસે તેની વિરુદ્ધ વિદેશથી આવેલા દારૂની ખરીદ-વેચાણની એટલે કે પ્રોહિબિશનની કલમ (68)ક લગાવી છે, જેમાં 10 વર્ષની સજા થઇ શકે છે. આ ઉપરાંત નીરવ સાથે પકડાયેલા સંતોષ ભરવાડે ભાવનગરમાં 3 ખૂન કર્યા છે. હાલ સંતોષ પેરોલ પર છૂટ્યો હોવાની પોલીસને આશંકા છે.
The post કોલસેન્ટર માફિયા:નીરવ રાયચુરાની એક IPS સાથે સ્વિમિંગ પૂલમાં મિત્રતા થઈ અને કોલસેન્ટર કૌભાંડની શરૂઆત થઈ, તેની પત્ની પણ આરોપી appeared first on News n Feeds.
]]>The post મુકેશ અંબાણી બીમાર થયા હોવાના સમાચાર:RILનો શેર 1 કલાકમાં 6% તૂટ્યો, માર્કેટ કેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી; appeared first on News n Feeds.
]]>દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ કારણે એક કલાકમાં જ માર્કેટ કેપિટલાઈઝેશન 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની તબિયત ખરાબ હોવાના સમાચારના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ મામલામાં RILએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.
આ પહેલાં આ વર્ષે જુલાઈમાં જ એક દિવસમાં શેર 6.2 ટકા તૂટ્યો હતો. એ સમયે એ 1978થી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો.
15 દિવસથી સોશિયલ મીડિયા પર અફવા
છેલ્લા 15 દિવસથી એવા સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે મુકેશ અંબાણીની સ્થિતિ ખરાબ છે. તેમનું લંડન ખાતે ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારણથી અંબાણી પરિવાર IPLમાં દેખાઈ રહ્યો નથી. જોકે ગત સપ્તાહમાં જાણીતા વકીલ હરીશ સાલ્વેના લગ્નમાં મુકેશ અંબાણીએ વેબિનાર દ્વારા હાજરી નોંધાવી હતી.
હાલ માહિતી એકત્રિત કરાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસ
કેટલાક બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ સામાચર અત્યારસુધીમાં બહાર આવ્યા નથી અને જ્યાં સુધીમાં આ અંગે સંપૂર્ણ માહિતી ન આવે ત્યાં સુધી એ કહેવું ખોટું છે. જોકે શેર પર એની અસર આજે સવારે જોવા મળી છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે ફ્યુચર રિટેલની ડીલ અને શનિવારે કંપનીનાં ખરાબ રિઝલ્ટને કારણે શેર પર દબાણ છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે રિઝલ્ટ એટલું ખરાબ નથી કે શેર 6 ટકા તૂટી જાય. એની પાછળ બીજાં કારણો છે.
1940 રૂપિયા પર જતો રહ્યો શેર
સોમવારે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6 ટકા ઘટીને 1940 રૂપિયા સુધી પહોંચ્યો હતો. એ છેલ્લા 4 મહિનાનું સૌથી નીચેનું સ્તર છે. આ કારણે આજે એક કલાકમાં એમકેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. જ્યારે 23 ઓક્ટોબરથી લઈને આજસુધીમાં કંપનીની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.
હિસ્સો વેચવાને કારણે શેર નવી ઊંચાઈએ પહોંચ્યો હતો
ટેલિકોમમાં અને રિટેલ સેગમેન્ટમાં હિસ્સો વેચવાને કારણે આરઆઈએલના શેરમાં તેજી આવી હતી. જ્યારે આ પહેલાં આ શેર ઘણાં વર્ષો સુધી અન્ડર પર્ફોર્મ હતો. કોરોનાના કારણે કંપનીનું પ્રથમ ત્રિમાસિકનું પ્રદર્શન ભલે સારું ન રહ્યું હોય, પરંતુ બીજા ત્રિમાસિકમાં તેણે સારું પ્રદર્શન કર્યું. બીજા ત્રિમાસિકમાં તેનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9500 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે તેની રેવન્યુ પણ 1.48 લાખ કરોડ રૂપિયા ઘટીને 1.28 લાખ કરોડ રૂપિયા રહી છે. ટેલિકોમ સેગમેન્ટ કંપની માટે એક વરદાન સાબિત થઈ રહ્યું છે.
The post મુકેશ અંબાણી બીમાર થયા હોવાના સમાચાર:RILનો શેર 1 કલાકમાં 6% તૂટ્યો, માર્કેટ કેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી; appeared first on News n Feeds.
]]>The post T20માં બુમરાહ 200+ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો, જસપ્રિત બુમરાહની IPLમાં પણ 100 વિકેટ પૂર્ણ appeared first on News n Feeds.
]]>જસપ્રીત બુમરાહની બુધવારે બેંગલુરુ વિરુદ્ધ 3 વિકેટની સાથે જ આઈપીએલમાં 100 વિકેટ પુરી થઈ. તે અત્યાર સુધી 102 વિકેટ લઈ ચુક્યો છે. બુમરાહની ટી20માં કુલ 200 વિકેટ પૂરી થઈ છે. તે આમ કરનારો પ્રથમ ફાસ્ટ બોલર છે. તેના અગાઉ આપણાં 5 સ્પિન બોલર આવું કરી ચૂક્યા છે. બુમરાહ આઈપીએલમાં 100+ વિકેટ લેનારો 16મો બોલર છે. અત્યાર સુથી 9 ફાસ્ટ, જ્યારે 7 સ્પિન બોલરોએ આ સિદ્ધિ મેળવી છે. સૌથી વધુ 170 વિકેટ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે.
ટી20માં ભારત તરફથી સૌથી વધુ વિકેટ પીયૂષ ચાવલાએ લીધી છે
બોલર | મેચ | વિકેટ | બેસ્ટ |
પીયૂષ ચાવલા | 244 | 257 | 4/17 |
અમિત મિશ્રા | 232 | 256 | 5/17 |
આર.અશ્વિન | 242 | 244 | 4/8 |
હરભજન સિંહ | 265 | 235 | 5/18 |
યુજવેન્દ્ર ચહલ | 184 | 207 | 6/25 |
જસપ્રીત બુમરાહ | 169 | 202 | 4/20 |
The post T20માં બુમરાહ 200+ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો, જસપ્રિત બુમરાહની IPLમાં પણ 100 વિકેટ પૂર્ણ appeared first on News n Feeds.
]]>The post ઉઘાડી લૂંટ:સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર દાખલ કરી રૂ.2 લાખનું બિલ પકડાવ્યું appeared first on News n Feeds.
]]>કોરોનાના કપરા સમયમાં પણ ખાનગી હોસ્પિટલો દર્દીની સારવારને મહત્ત્વ આપવાને બદલે પોતાના પૈસાને જ મહત્ત્વ આપે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રિફર કરેલા દર્દીની ફ્રીમાં સારવાર કરવાની હોય છે, પણ એક ખાનગી હોસ્પિટલે ખાનગી દર્દી ગણી 5 લાખનું બિલ વસૂલ્યું હતું. અન્ય એક કિસ્સામાં દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ફરી તકલીફ થતાં ખાનગી દર્દી તરીકે દાખલ કરી 2 લાખનું બિલ પકડાવી દીધું હતું.
ઓક્સિજન લેવલ 82 થઈ જતાં ફરી સાલ હોસ્પિટલ લવાયા
સાલ હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સાથેની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ. ક્વોટાના બેડ પર દર્દીને માત્ર એક સપ્તાહ સારવાર આપી, સારું છે કહી એક વખત રજા આપ્યાના બીજા જ દિવસે દર્દીની હાલત ખરાબ થઈ હતી. બીજા દિવસે સાલ હોસ્પિટલમાં ફરી આ જ દર્દીને પ્રાઈવેટ બેડમાં દાખલ કરી હોસ્પિટલે 2 લાખ પડાવ્યા હતા. આટલી જંગી રકમ લીધા પછી યોગ્ય સારવારના અભાવે દર્દીનું મૃત્યુ થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે. વધુમાં, પરિવારે પોસ્ટમોર્ટમ સહિતની તપાસનો આગ્રહ રાખી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. થલતેજ સુરધારા સર્કલ નજીક રહેતા કિરીટ પટેલ 7 ઓક્ટોબરે કોરોના પોઝિટિવ આવતાં સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 14 ઓક્ટોબરે રજા અપાઈ હતી. રજા આપ્યાના 24 કલાકમાં જ કિરીટભાઇનું ઓક્સિજન લેવલ 82 થઈ જતાં ફરી સાલ હોસ્પિટલમાં લવાયા હતા. જોકે હોસ્પિટલે તેમને ખાનગી બેડમાં જ દાખલ કરવાનો આગ્રહ રાખી 2 લાખ ભરાવ્યા હતા. દર્દીને પ્લાઝમા નહીં આપ્યું હોવા છતાં તેનું બિલ બનાવ્યું હતું. પરિવારે પોલીસમાં અરજી કર્યા પછી તેમને પ્લાઝમા અપાયું હતું.
2 લાખ લીધા નથી, મૃત્યુ હાર્ટ-અટેકથી થયું હતું
સાલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની ગાઇડલાઇન્સ મુજબ 12 દિવસ સારવાર કરી. દર્દીને રજા આપ્યા બાદ ફરી શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં તેમને ખાનગી બેડ પર દાખલ કરાયા હતા. આઇસીયુની ટીમે દર્દીને સઘન સારવાર આપી હતી. દર્દીનું મૃત્યુ હાર્ટ-અટેક આવવાને લીધે થયું હતું. 2 લાખ લીધા નથી કે દર્દીના સગાએ પૈસા પણ ભર્યા નથી અને મૃતદેહ સોંપ્યો હતો, પણ પરિવારની માગણી પોસ્ટમોર્ટમની હતી. અમે પરવાનગી આપી હતી. અમારી કોઈ ભૂલ નથી.
આરોગ્ય વિભાગને રજૂઆત છતાં પ્રશ્ન ન ઉકેલાયો
ખાડિયા રાવળશેરીમાં રહેતાં દેવીબેન જોષી અને તેમની પુત્રી વિદ્યા જોષીનો રિપોર્ટ 17 મેએ પોઝિટિવ આવ્યો હતો. દેવીબેનના પતિનું અગાઉ કોરોનાથી અવસાન થયું હતું. માતા-પુત્રીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યાંથી તેમને સિમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. દેવીબેન જોષીએ 18 મેથી 29 મે જ્યારે તેમની પુત્રી વિદ્યા જોષીએ 18 મેથી 28 મે સુધી સિમ્સમાં સારવાર લીધી હતી. હોસ્પિટલે બંને માટે અનુક્રમે 2.49 લાખ અને 2.09 લાખનું બિલ પકડાવી દીધું હતું. મ્યુનિ. આરોગ્ય વિભાગને રજૂઆત છતાં પ્રશ્ન ઉકેલાયો ન હતો.
હોસ્પિટલ સામે પગલાં લો
ખાડિયાના કોર્પોરેટર મયૂર દવેએ જણાવ્યું હતું કે આ બાબતે મેં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હેલ્થને રજૂઆત કરી છે કે મ્યુનિ. ક્વોટામાં દાખલ કર્યા બાદ માતા-પુત્રી પાસેથી બિલની રકમ વસૂલવામાં આવી એ ગંભીર બાબત છે. એમાં યોગ્ય તપાસ કરીને પગલાં લેવાવાં જોઇએ.
મ્યુનિ.નો પત્ર પછી લાવ્યા
સિમ્સ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ એડમિનિસ્ટ્રેટર ધવલ પટેલે જણાવ્યું હતું કે તેમણે પ્રાઇવેટ બેડમાં જ ટ્રીટમેન્ટ લીધી છે. દાખલ થતા સમયે તેમણે આ બાબતે કન્સેન્ટ પણ આપી હતી. બાદમાં તેઓ મ્યુનિ.નો લેટર ક્યાંકથી મેનેજ કરીને લાવ્યા હતા, જે બાબતે અમે મ્યુનિ.નું ધ્યાન પણ દોર્યું હતું.
The post ઉઘાડી લૂંટ:સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર દાખલ કરી રૂ.2 લાખનું બિલ પકડાવ્યું appeared first on News n Feeds.
]]>The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.
]]>આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જિતાડી છે. ધોની એકમાત્ર કેપ્ટન છે, જેમણે CSKને 100 મેચ જિતાડી છે.
હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશીદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલોરમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, અડમ જંપા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર પણ છે.
પિચ અને મોસમ રિપોર્ટઃ દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાને કારણે સ્પિનર્સને પણ અનુકૂળતા રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી 62 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો સક્સેસ રેટ 56.45 ટકા રહ્યો છે.
હેડ-ટુ-હેડ
બંનેની વચ્ચે અત્યારસુધીમાં 15 મેચ રમાઈ છે. એમાંથી હૈદરાબાદે 8 અને બેંગલોરે 6 મેચ જીતી છે. 1 મેચ કોઈપણ પરિણામ વગરની રહી છે. ગત બંને સીઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.
વોર્નર અને વિલિયમ્સન હૈદરાબાદના મજબૂત બેટ્સમેન
હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.
કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર
RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડી વિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.
The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.
]]>The post IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે appeared first on News n Feeds.
]]>The post IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે appeared first on News n Feeds.
]]>