The post એપ્રિલ અને મે મહિનાના 11 દિવસના લગ્નના મુહૂર્તો રદ થયા, હવે છેક 30મી જૂને જ મેળ પડશે appeared first on News n Feeds.
]]>કોરોનાએ આર્થિક મોરચે તો કેર વર્તાવ્યો જ છે, પરંતુ સામાજિક મોરચે પણ લોકોને મુંઝવણમાં મુકી દીધા છે. સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે 14 એપ્રિલથી શરૂ થઈ રહેલી લગ્નની સિઝનમાં એપ્રિલ મહિનામાં ત્રણ દિવસના મુહૂર્ત છે, જે તમામ કાર્યક્રમો રદ થયા છે. તેની સાથે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પણ રદ થયા છે. મે મહિનાનું નક્કી નથી અને જૂનમાં 30મીએ છેલ્લુ મુહૂર્ત છે.
43 દિવસ જેટલાં જ લગ્નના મુહૂર્ત હતા
વિક્રમ સંવત 2076ના વર્ષમાં માંડ 43 દિવસ જેટલાં જ લગ્નના મુહૂર્ત હતા. તેમાં પણ ધનારક, હોળાષ્ટક અને મીનારકને કારણે લગ્નના દિવસો ઘટી ગયા છે. ત્યારે કોરોનાને કારણે લગભગ 11 દિવસ હાલમાં લગ્નના મુહૂર્તો રદ થયા છે. આગામી મે મહિનાના અંત સુધીમાં તમામ કાર્યક્રમો રદ થયા છે. જેના કારણે હવે લગ્નની સિઝન ફક્ત જુન મહિના પૂરતી છે, પરંતુ તેમાં પણ કોરોનાની સ્થિતિને કારણે જાહેર મેળાવડા પર શું નિર્ણય લેવાય તે હાલ નક્કી નથી. 13મીએ રાતે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે 16મીએ લગ્નનું પ્રથમ મુહૂર્ત હતું.
આવતા વર્ષની સિઝન 25 નવેમ્બરથી શરૂ થશે
મે મહિનામાં 19મી સુધીના તમામ કાર્યક્રમો રદ થયા છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે લગ્નના મુહૂર્તમાં વર-કન્યાની કુંડળી જોઈ તમામ બાબતોનો વિચાર કરી તારીખ નક્કી કરાય છે. આથી ઘણાં કિસ્સામાં તો એવું પણ બને કે મુહૂર્તનો મેળ ન પડે તો લગ્ન બીજી સિઝનમાં જતાં રહે. જૂન મહિનામાં છ દિવસ લગ્નના મુહૂર્ત છે. આ વર્ષે અધિક આસો મહિનો હોવાથી લગ્નની આવતા વર્ષની સિઝન 25 નવેમ્બરથી શરૂ થશે.
દીકરીના લગ્ન 17 મેએ હતા, લંબાવ્યા
મારી દીકરીના લગ્ન 17 મેના રોજ નક્કી કર્યા હતા. લગ્નની ખરીદી પણ કરી નાંખી હતી. માર્ચ મહિનામાં લગ્નની કંકોત્રી છપાવવાના હતા, ત્યાં લોકડાઉનની સ્થિતિ આવી. હવે લોકડાઉન લંબાયું છે, તો શું થશે તે નક્કી નથી. હાલની સ્થિતિને કારણે જૂનમાં પણ લગ્ન કરીએ તો માણસો ભેગા કરાશે કે નહીં તે નક્કી નથી. વેવાઈ સાથે પણ વાત કરી પણ હાલમાં અચોક્કતાને કારણે કોઈ નિર્ણય પર આવી શકતા નથી. લગ્ન તો સારી રીતે જ કરવા છે.
-પન્નાબેન વ્યાસ
ધંધાની સિઝન ખતમ થઈ ગઈ
એક તો આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા. તેમાં ગરમીના દિવસોમાં લગ્નો પણ ઓછા થાય. બાકી રહ્યું તે કોરોનાનો કેર આવ્યો. અમારા માટે તો ધંધાની સિઝન ખતમ થઈ ગઈ છે. મંડપ અને કેટરીંગના કોન્ટ્રાક્ટો પણ રદ થવા લાગ્યા છે. મે મહિના સુધી તો કંઈ થઈ શકે તેમ નથી. જુનમાં ખબર નહીં શું થશે. માણસો રાખ્યા છે, તેમને બેઠા ખવડાવવું પડે છે. આથી આ વર્ષે તો કમાવાની આશા જ નથી રહી. માણસોનો ખર્ચો નીકળે તો ઘણું.
– મુકેશ પટેલ, મંડપ કોન્ટ્રાક્ટર
પાર્ટી પ્લોટના બુકીંગ રદ કરાયા છે
કોરોનાને કારણે છેલ્લાં પંદર દિવસથી એપ્રિલ મહિનાના લગ્નના બુકિંગ રદ કરવાના ફોન આવી રહ્યાં છે. મેના અંત સુધીના કાર્યક્રમો રદ થઈ ગયા છે. જુન મહિનાનું નક્કી નથી. આના કારણે કેટરર્સથી માંડી તમામને તકલીફ પડી રહી છે. સરકારના આગામી આદેશ સુધી તમામ કાર્યક્રમો રદ કરાયા છે. જેમાં સામાજિક, ધાર્મિક અને લગ્નના તમામ લંબાયા છે.
– નીતિનભાઈ મહેતા, પાર્ટી પ્લોટના માલિક
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post એપ્રિલ અને મે મહિનાના 11 દિવસના લગ્નના મુહૂર્તો રદ થયા, હવે છેક 30મી જૂને જ મેળ પડશે appeared first on News n Feeds.
]]>The post 1428 માસ સેમ્પલિંગમાં અત્યાર સુધીમાં 6 કેસ પોઝિટિવ સામે આવ્યા, 126ના રિપોર્ટ પેન્ડિંગ appeared first on News n Feeds.
]]>જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 31 પર પહોંચી ગયો છે. જે પૈકી ચારના મોત થયા છે. જ્યારે આઠ રિકવર થયા છે. પાલિકા ટેસ્ટીંગ માટે ખુબ મોટી કામગીરી કરી રહી છે. અત્યાર સુધી કુલ 1428 માસ સેમ્પલિંગ કરાયું છે તે પૈકી 6 પોઝિટિવ આવ્યાં છે અને 1296 નેગેટિવ આવ્યાં છે અને 126 માસ સેમ્પલીંગ પેન્ડીંગ છે. અત્યારે જે એઆરઆઈના કેસો માસ સેમ્પલિંગ અને જે ક્લસ્ટર માંથી મળે છે તે અને જે આઈસોલેટેડ છે તેના સગા મળે તેઓને પણ ક્વોરન્ટીનમાં ઉમેરવામાં આવ્યાં છે.
શ્રમિક વર્ગની 172 વસાહતોમાં બેરિકેટીંગ કરી દેવાઈ
શહેરમાં રહેતાં આર્થિક રીતે નબળા અને શ્રમિક વર્ગના લોકોમાં કોરોના વાયરસ ના ફેલાવે એના માટે એ લોકો જ્યાં રહે છે એવી 172 જેટલી સોસાયટી, વસાહતોને સરવેમાં તારવવામાં આવી છે ત્યાં બેરિકેટીંગ કરી દેવામાં આવી છે. આવી 172 જેટલી વસાહતો માંથી અવરજવર માટે બંધ કરવામાં આવી છે.
માસ્ક ન પહેરનારને દંડ થશે
શાક માર્કેટોમાં કે દૂધ લેવા કે અન્ય કામે નીકળતાં રસ્તા પર જતાં પહેલાં હવે માસ્ક પહેરવાનું ભુલતાં નહીં તેમજ ટોળે નહી વળી સોશિયલ ડિસ્ટંન્સીંગના નિયમનું ચુસ્ત પાલન કરશો નહીં તો હવે કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર પાલિકા સીધો 5 હજાર સુધીની દંડાત્મક કાર્યવાહી કરશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. તેમાં, સોશિયલ ડિસ્ટંન્સીંગ અને માસ્ક પહેરવાના અમલમાં મુકાયેલા નિયમનું ચૂસ્તપણે પાલન નહી કરનારા સામે 5 હજાર દંડની વસુલાત કરવા આદેશ જારી કરી દીધો છે.
ગતરોજ આવેલા ત્રણ કેસ
લીંબાયતનો યુવક મિલેનિયમ માર્કેટમાં ટેમ્પો ચલાવતો હતો
લિંબાયત આઝાદ ચોકમાં રહેતા 24 વર્ષિય શાહરૂખ હારૂલ પઠાણ રિંગરોડ સ્થિત મિલેનીયમ માર્કેટમાં ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરે છે. લોકડાઉન પછી માર્કેટ બંધ છે ત્યારે શાહરૂખને કેવી રીતે કોરોના થયો તે હજુ બહાર આવી શક્યું નથી.
ઘરમાલિકની પુત્રીથી લાગ્યો ચેપ
વેસુ વીઆઇપી રોડના મુખ્યમંત્રી આવાસમાં રહેતા 45 વર્ષિય લત્તાબેન એસ જાવરે પારલેપોઇન્ટ પર આવેલ સરગમ શોપિંગ સેન્ટરમાં વેપારીના ઘરે ઘરકામ કરવા જાય છે. આ વેપારીની પુત્રી 22 ફેબ્રુઆરીએ ઇટલીથી આવેલી હતી. જો કે લોકડાઉન બાદ 22 માર્ચથી લતાબેને ઘરકામ કરવા જવાનું બંધ કરી દીધું હતું. જો કે વેપારીની ઇટલીથી આવેલી પુત્રી હોમ કોરોન્ટાઇનમાં રહી હતી. લત્તાબેનનો એઆરઆઇ સર્વેલન્સમાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
વિપુલભાઇ ન્યુ બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે
વરાછાના વલ્લભ નગરમાં રહેતા 34 વર્ષીય વિપુલ માવાણીના મગોબ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દ્વારા એઆરઆઈ સર્વેલન્સમાં સેમ્પલો લેવાતા પોઝિટિવ આવ્યો છે. વિપુલ ન્યૂ બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન ચલાવે છે . તેઓ સુરત ડાયમંડ એસો.ના માજી પ્રમુખના ભત્રીજા છે.
લોકડાઉનમાં ડિટેઇન કરેલા વાહનો આજથી દંડ વસૂલીને છોડી દેવાશે
લોકડાઉનમાં સુરત પોલીસે 10308 વાહનો ડિટેઇન કર્યા છે. પહેલા ડિટેઇન કરેલા વાહનો આરટીઓમાંથી છોડાવાના હતા પરંતુ હવે ડિટેઇન કરેલા વાહનોને છોડવાની સત્તા પોલીસને આપી દેવામાં આવી છે. સોમવારથી પોલીસ ડિટેઇન કરેલા વાહનો પોલીસ છોડી શકશે. જેના માટે ગાડીના ડોક્યુમેન્ટ્સ સાથે ગાડીના માલિકે પોલીસની સામે હાજર રહેવું પડશે સાથે વાહનચાલકે જે જે નિયમોનો ભંગ કર્યો હોય તે પ્રમાણેની કલમો હેઠળનો દંડ ભરી ગાડી છોડાવી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post 1428 માસ સેમ્પલિંગમાં અત્યાર સુધીમાં 6 કેસ પોઝિટિવ સામે આવ્યા, 126ના રિપોર્ટ પેન્ડિંગ appeared first on News n Feeds.
]]>The post રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યાં, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત appeared first on News n Feeds.
]]>રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે.આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51નવા દર્દીઓ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દી 519થઈ ગયા છે. જ્યારે સાંજે વડોદરમાં એક દર્દીનુંમોત થતાંમૃત્યુઆંક 25થયો છે અને 44 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં આજે 39, સુરતમાં 3, વડોદરાના નાગરવાડામાં 4 સહિત 6 અને આણંદમાં 3કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં 24 કલાકમાં કુલ 4ના મોત થયા છે. જેમાં3 મોત સિવિલ હોસ્પિટલમાં અને1 SVP હોસ્પિટલમાં મોત થયું છે. ઉલ્લેખનીય કે, આરોગ્ય અગ્ર સચિવે કોરોના અંગે સાંજે આપેલી અપડેટમાં સુરતના ત્રણ પોઝિટિવ કેસનો ઉલ્લેખ નથી. આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયા છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે સાડા સાત વાગ્યે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીમાંથી 24ના મોત થયા છે. જ્યારે 444ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2012ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 48 પોઝિટિવ અને 1632 નેગેટિવ અને 332 રિપોર્ટ પેન્ડિગ છે. અત્યાર સુધીમાં 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 516 પોઝિટિવ, 10867 નેગેટિવ અને 332 રિપોર્ટ પેન્ડીગ છે.
39 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 282દર્દી, અત્યાર સુધીમાં 12ના મોત
અમદાવાદના નવા 39 કેસમોટેરા, રાયખડ, ઓઢવ, નરોડામણિનગર,જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 282કોરોનાના દર્દી થઈ ગયા છે અને મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે.
ગુજરાત અપડેટ
>>અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. રાજકોટ અને વડોદરામાં પહેલીવાર રૂ.1000નો દંડ જ્યારે અમદાવાદમાં રૂ.5 હજારનો દંડ ફટકારાશે.
>>મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારે કહ્યું કે,રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે.
>>અમદાવાદમાં જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો રૂ. 5 હજારનો દંડ કરવામાં આવશે અને જો દંડ નહી ભરે તો ત્રણ વર્ષની જેલ થઈ શકે છે
>>કોરોનાને કારણે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં આજે મૃત્યુ પામેલા75 વર્ષીયપુરુષ હાયપર ટેન્શનના દર્દી હતા.
રાજ્યમાં 519પોઝિટિવ કેસ, 25મોત અને 44 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 282 | 12 | 11 |
વડોદરા | 101 | 3 | 7 |
સુરત | 31 | 4 | 7 |
ભાવનગર | 23 | 2 | 4 |
રાજકોટ | 18 | 00 | 5 |
ગાંધીનગર | 15 | 01 | 7 |
પાટણ | 14 | 1 | 00 |
કચ્છ | 04 | 00 | 00 |
ભરૂચ | 08 | 00 | 00 |
આણંદ | 08 | 00 | 00 |
પોરબંદર | 03 | 00 | 03 |
ગીર-સોમનાથ | 02 | 00 | 00 |
મહેસાણા | 02 | 00 | 00 |
છોટાઉદેપુર | 03 | 00 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
પંચમહાલ | 01 | 01 | 00 |
જામનગર | 01 | 00 | 00 |
સાબરકાંઠા | 01 | 00 | 00 |
દાહોદ | 01 | 00 | 00 |
કુલ | 519 | 25 | 44 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યાં, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત appeared first on News n Feeds.
]]>The post રેલવે સ્ટેશનો પર કેટલી ભીડ થઈ શકે છે, તેને કેવી રીતે મેન્ટેઇન કરીશું એ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો appeared first on News n Feeds.
]]>કોરોના કારણે દેશભરમાં લાગુ કરવામાં આવેલું લૉકડાઉન 14 એપ્રિલે પૂરું થવાનું હતું. લૉકડાઉન લંબાવવા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. દરમ્યાન રેલવેએટ્રેનો શરૂ કરવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. તેમાં સૌથી પહેલા એ ચકાસવામાં આવી રહ્યું છે કે ટ્રેનો શરૂ થી તો સ્ટેશનો પર કેટલી ભીડ એકત્ર થઈ સકે છે.એક અનુમાન મુજબ પોતાના વતન જવા માટે 4 લાખ સુધી લોકો માત્ર સુરત સ્ટેશને ભેગા થઈ શકે છે. હવે પડકાર એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો વચ્ચેસોશિયલ ડિસ્ટન્સીંગ કેવી રીતે મેન્ટેન કરવામાં આવે. બીજી તરફ મુશ્કેલી એ છે કે મહારાષ્ટ્રમાં કોરોનાના 1700 અને ગુજરાતમાં અંદાજે 500 કેસ સામે આવીચૂક્યા છે. આ જ મોટા રાજ્યોમાંથી ટ્રેનો શરૂ થતી હોય છે. આ વિસ્તારો રેડ ઝોનમાં આવે છે. તેથી ટ્રેનો દોડાવવી મુશ્કેલ છે. આ બાબતો આરપીએફ દ્વારા કરવામાંઆવી રહેલા સરવેમાં બહાર આવી છે.
સુરત સ્ટેશન પર 4 લાખ લોકોની ભીડ એકત્ર થઈ શકે છે
સુરતમાં ઉત્તર ભારતીયોની સંખ્યા 25 લાખ જેટલી છે. જેમાંથી અંદાજે 4 લાખ લોકો માઇગ્રેટ થાય એવી સંભાવના છે. આ સ્થિતિમાં સ્ટેશન પર મોટી સંખ્યામાંલોકો ભેગા થઈ શકે એમ છે. આ સરવે રિપોર્ટ આરપીએફ દ્વારા ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે. એ પછી લોકોને કન્ટ્રોલ કરવા માટે શું ઉપાયો કરવા એઅંગે ચર્ચા કરાશે.
ડિસ્ટન્સ જાળવવા માટે આ સૂચનો આવ્યા
ટ્રેનો શરૂ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે રેલવે બોર્ડ અને મંત્રાલય દ્વારા ટ્રેનો શરૂ કરવા અંગે હાલ કોઈ દિશાનિર્દેશ અપાયો નથી. તેથી અત્યારેટ્રેનો શરૂ થવાની સંભાવના નથી. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાયું છે.
ફ્લાઇટ ઓપરેશન શરૂ થવાની આશા, સોશિયલ ડિસ્ટન્સિંગની તૈયારી શરૂ
સુરત એરપોર્ટ પર ટીકિટ વિન્ડો, બોર્ડિંગ પાસ માટે એક એક મીટરનું અંતર રાખવાના ચિહ્નો મુકવામાં આવ્યા છે. સુરત એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈનીએજણાવ્યું હતું કે અત્યારે નિર્ણય નથી લેવાયો પણ અમે તૈયારી શરૂ કરી દીધી છે. જ્યારે સ્પાઇસ જેટના પ્રવકત્તા આનંદ દેવરાએ જણાવ્યું હતું કે 15 એપ્રિલથીબુકિંગ ઓપન છે. 15 એપ્રિલથી વિમાનોનું સંચાન થશે કે નહીં એ અંગે ડીજીસીએ દ્વારા નિર્ણય લેવાશે. જે પ્રવાસીઓનું બુકિંગ 15 એપ્રિલ પછી છે તેઓ પોતાનીટીકિટ રદ ન કરાવે. કારણ કે કેન્સલેશન ચાર્જીસ લાગશે. તેથી જે નિર્ણય લેવાશે એ મુજબ ટીકિટ ઓટોમેટીક રદ થઈ જશે અને રિફંડ જમા થશે. પ્રવાસીઓએ 14એપ્રિલ સુધી રાહ જોવી જોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post રેલવે સ્ટેશનો પર કેટલી ભીડ થઈ શકે છે, તેને કેવી રીતે મેન્ટેઇન કરીશું એ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો appeared first on News n Feeds.
]]>The post વડોદરાની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી ગમે ત્યાં થૂંકે છે, કર્મી પર પણ થૂંકયો appeared first on News n Feeds.
]]>દિલ્હીમાં તબ્લીગી જમાતીઓ પરથી દુષ્પ્રેરણા લઇને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોઝિટિવ દર્દીઓ પણ ગમે ત્યાં થૂંકવાની હીનમાનસિકતા બતાવી રહ્યાં છે અને તેને લઇને ગંભીર ફરિયાદો ઊઠી છે. આ દર્દીઓએ બાલ્કનીમાંથી થૂંકવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં હોસ્પિટલના લિફ્ટનીઆસપાસની પગથિયામાં પણ થૂકવાનું ચાલુ કરીને પોતાના હલકા પ્રકારના મનસૂબા સ્પષ્ટ કરી દીધા છે. હદ તો ત્યારે થઇ જ્યારે રવિવારે એક પોઝિટિવ દર્દીએબાલ્કનીમાંથીસેનેટરી વિભાગના એક સુપરવાઇઝર પર થૂંક્યો હતો. થૂંક પડવાથી ગભરાયેલા સુપરવાઇઝરે હોસ્પિટલના આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરીહતી. જેથી હોસ્પિટલ તંત્ર દ્વારા આવા બદઇરાદા ધરાવતા તત્વોને કાબૂમાં રાખવા પોલીસ બોલાવી હતી. અને પોલીસ બંદોબસ્ત વધારવા અંગેનું સૂચન કર્યું હતું.
રાજકોટના જંગલેશ્વરમાંથી નીકળતા કચરાનો બાયોમેડિકલ વેસ્ટની ભઠ્ઠીમાં નાશ કરાશે
રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીના ઘરમાંથી નીકળતા કચરાનો દવાખાનામાંથી નીકળતો બાયોમેડિકલ વેસ્ટનો જ્યાં નિકાલ થાય છે તે કુવાડવા રોડ સ્થિતબાયોમેડિકલ વેસ્ટની ભઠ્ઠીમાં નિકાલ કરાય છે. જંગલેશ્વર વિસ્તારમાં પરિવારેના મહાનગરપાલિકા દ્વારા આ માટે પીળા રંગની ખાસ થેલીઓ અપાઈ છે.
સુરતમાં વધુ 3 વ્યક્તિને કોરોના પોઝિટિવ, 3ના રિપોર્ટ પેન્ડિંગ, 1 વ્યક્તિ ડિસ્ચાર્જ
રવિવારે સુરતમાં વધુ 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 31 પર પહોંચી ગઈ હતી.અત્યારસુધીમાં શહેરમાં કુલ 332 લોકો શંકાસ્પદ નોંધાયા છે જે પૈકી 29નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.300 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જયારે 3 લોકોના રિપોર્ટઆવવાના બાકી છે.શનિવારે મોડી રાત્રે 2 અને રવિવારે 1 વ્યક્તિને સાજો કરી ઘરે મોકલવામાં આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post વડોદરાની હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી ગમે ત્યાં થૂંકે છે, કર્મી પર પણ થૂંકયો appeared first on News n Feeds.
]]>The post રાજકોટ પોલીસને બે મહિને યાદ આવ્યું કે લાશ તો PM રૂમમાં પડી છે appeared first on News n Feeds.
]]>Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post રાજકોટ પોલીસને બે મહિને યાદ આવ્યું કે લાશ તો PM રૂમમાં પડી છે appeared first on News n Feeds.
]]>The post 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમવા જોઇએ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માગ કરી appeared first on News n Feeds.
]]>રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ-પેરામેડિકલની કર્મચારીઓ્ની તાતી જરૂરિયાત છે.આવી સંજોગોમાં ગુજરાત સરકારે ટ્રેનિંગ લઇ રહેલા 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તાત્કાલિક નિમણૂંક કરવી જોઇએ તેવી માગ કરતા પત્ર વિધાનસભાવિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતિન પટેલને લખ્યો છે.
1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટ્રેનિંગ લઇ રહ્યા
ધાનાણીએ નિતન પટેલને લખેલા પત્રમાં એવી લાગણી વ્યકત કરી છે કે, કોરોના વાયરસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાંમેડિકલ-પેરામેડિકલના કર્મચારીઓની જરૂરિયાત છે. રાજય સરકાર ખાનગી ડોકટરોની મદદ લઇ રહીં છે. બીજી બાજુ, સરકાર પાસે જ નેશનલ રૂરલ હેલ્થ મિશનહેઠળ 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટ્રેનિંગ લઇ રહ્યા છે. આ મેડિકલ ઓફિસરોને નિમણૂંક આપવામાં આવે તો ગુજરાતને બે વર્ષનો મેડિકલ ફિલ્ડનોઅનુભવ ધરાવતા 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી શકે તેમ છે. આથી સરકારે તાત્કાલિક તેમની નિમણૂંક કરવી જોઇએ તેવી લાગણી ધાનાણીએ વ્યકત કરીછે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમવા જોઇએ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માગ કરી appeared first on News n Feeds.
]]>The post કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વાતાવરણ બગાડવા કરે છેઃ અહેમદ પટેલ appeared first on News n Feeds.
]]>કોરોના વાયરસના કેસ ગુજરાતમાં વધી રહ્યા હોવાથી આપણે પ્રથમ તો દર્દીઓની સારવાર કરતા મેડિકલ-પેરામેડિકલ, સફાઇ કર્મચારી, ઇમરજન્સી સેવા આપતાફાયર, પોલીસ કર્મચારીઓની સેવા અભિનંદનને પાત્ર છે તેમ કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેટલાક લોકો સોશીયલમિડીયાનો ઉપયોગ વાતાવરણ બગાડવા કરે છે, આપણે ભારતીય તરીકે એકજૂથ થઇને જરૂરિયાતમંદને મદદરૂપ થઇએ.
રાજકીય પક્ષોએ એક થવું પડશે
કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહેમદ પટેલે એવી અપીલ કરી હતી કે, ગુજરાતના નાગરિકોને સાવચેત અને સતર્ક બની આ કોરોના સામેની લડાઇ જીતવા માટેતમામ પક્ષ,જાતિ,કોમ બધુ ભૂલી ભારતીય તરીકે એકજૂથ થવું જોઇએ. તેમણે નાગરિકોને એવી પણ અપીલ કરી હતી કે, ખેતમજૂરો, શ્રમિકો, રોજેરોજનું લાવીખાનાર પરિવારને મદદરૂપ થવું જોઇએ. તેમણે આ પરિસ્થિતિમાં ખેતમજૂર, લઘુ ઉદ્યોગના માલિકોને લોકડાઉનથી વધારે અસર થઇ હોવાથી તેમને આપણે અનેસરકારે મદદ કરવી જોઇએ. તેમણે ગંભીર પ્રશ્નો પ્રત્યે સરકારને સાવચેત કરતા કહ્યું હતું કે, બિમારી હજુ નિયંત્રણમાં છે,પણ ભૂખમરાથી કેટલાક લોકો જીવગુમાવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે જે અતિગંભીર બાબત છે. કેટલીક જગ્યાએ આરોગ્ય કર્મચારીઓને પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ ઘણા આરોગ્ય કર્મચારીસુધી પહોંચ્યા નથી, સફાઇ કર્મચારીઓને પણ ખાસ કીટની જરૂર છે. કેટલાક લોકો સોશીયલ મિડીયામાં પણ વાતાવરણ ડહોળતી પોસ્ટ મુકે છે, તંત્રએ આવા લોકોસામે પગલા ભરવા જોઇએ. રાજકીય ઝઘડાથી દૂર રહી ભાજપ-કોંગ્રેસે અને અન્ય રાજકીય પક્ષોએ એક થવું પડશે તેવી લાગણી પણ અહેમદ પટેલે વ્યકત કરીહતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વાતાવરણ બગાડવા કરે છેઃ અહેમદ પટેલ appeared first on News n Feeds.
]]>The post કેન્દ્ર-રાજ્ય સરકારે રૂ. 6210 કરોડનું પેકેજ આપ્યું, ઉજજ્વલા યોજનાના લાભાર્થીને ફ્રી ગેસ સિલિન્ડર મળશે appeared first on News n Feeds.
]]>રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અ્ને રાજય સરકારે મળીને કુલ રૂ. 6210 કરોડના પેકેજ જાહેર કર્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે,ગરીબ,વંચિત અને ગંગા સ્વરૂપ બહેનો,મધ્યમ વર્ગ સહિત સમાજના વિવિધ ર્વગને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે રૂ. 3950અને રાજય સરકારે રૂ. 2259 કરોડની સહાય કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાન મંત્રી ગરીબ ક્લ્યાણ પેકેજઅ્ને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યા છે.
ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર ફ્રી આપ્યાં
મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું કે, પીએમ કિસાન યોજના હેઠળ ગુજરાતના 47,81,426 ખેડૂત લાભાર્થીને કુલ રૂ. 956.28 કરોડની રકમ ચુકવાઇ છે. રેશનીંગમારફત ગુજરાતના 68 લાખ કાર્ડધારકને રૂ. 1182 કરોડનું વધારાનો અનાજનો જથ્થો અપાયો છે. ઉપરાંત વૃધ્ધ,ગંગા સ્વરૂપ માતા-બહેનોને બે મહિના સુધી રૂ.500-500 લેખે રૂ.1000 ચુકવવાનો નિર્ણય લીધો છે,જેના પરિણામે 5.80 લાખ વૃધ્ધ લાભાર્થી અને 10,700 દિવ્યાંગ લાભાર્થી અને 97,437 ગંગા સ્વરૂપબહેનોને લાભ મળશે. જન-ધન બેંન્ક ખાતુ ધરાવનાર મહિલાઓને દર મહિને રૂ. 500 લેખે ત્રણ મહિના સુધી 74 લાખ મહિલાઓને રૂ. 1110 કરોડની સહાય કરીછે. ઉજજ્વલા યોજના હેઠળ લાભાર્થીને ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર વિનામુલ્યે કેન્દ્ર સરકારે આપ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post કેન્દ્ર-રાજ્ય સરકારે રૂ. 6210 કરોડનું પેકેજ આપ્યું, ઉજજ્વલા યોજનાના લાભાર્થીને ફ્રી ગેસ સિલિન્ડર મળશે appeared first on News n Feeds.
]]>The post 14થી 17 એપ્રિલ દરમિયાન અવકાશમાં ચંદ્ર સાથે ત્રણ ગ્રહો ચલકચલાણું રમતા નરી આંખે દેખાશે appeared first on News n Feeds.
]]>તારીખ 14થી 17 એપ્રિલ દરમિયાન સતત ચાર દિવસ સુધી અવકાશમાં એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. લોકો ત્રણ ગ્રહોની ચંદ્ર સાથેની અવકાશીપરેડ નિહાળી શકશે. વહેલી સવારે 5.30 વાગ્યા આસપાસ દક્ષિણ પૂર્વ દિશામાં ચંદ્ર અને ત્રણ ગ્રહો ગુરુ, શનિ અને મંગળ ચલકચલાણું રમતા નરી આંખે દેખાશે.રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને અવકાશ વિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા નિલેશ રાણા જણાવે છે કે, તારીખ 14ના રોજ ગ્રહોની સ્થિતિ પશ્ચિમથીઅનુક્રમે ચંદ્ર, ગુરુ, શનિ અને મંગળ તેમજ તા 17 ના રોજ પશ્ચિમથી અનુક્રમે ગુરુ, શનિ, મંગળ અને ચંદ્ર એમ હશે.
ચંદ્ર દરરોજ 52 મિનિટ મોડો ઉગે છે
તા.14ના દિવસે કૃષ્ણપક્ષની સાતમનો ચંદ્ર આશરે 60% જેટલો પ્રકાશિત હશે. જ્યારે તા. 17ના રોજ દશમનો ચંદ્ર માત્ર 30% પ્રકાશિત હશે. હાલના સમયમાં ગુરુધન રાશિમાં તેમજ શનિ અને મંગળ કુંભ રાશિમાં છે ત્યારે ચંદ્ર આ ચાર દિવસોમાં આ બંને રાશિઓમાંથી પસાર થઈ જશે કેમકે ચંદ્ર 2.25 એટલે કે સવા બે દિવસમાં એક રાશિ પાર કરી લે છે. આ સાથો સાથ ચંદ્ર દરરોજ 13 અંશ જેટલો પાછળ (પૂર્વ તરફ) ખસતો જાય છે જેના કારણે તે દરરોજ આશરે 52 મિનિટ મોડો ઉગે છે.
ચંદ્ર 15મીએ ગુરુની, 16મીએ મંગળની એક્દમ નજીક દેખાશે
તારીખ 15ના રોજ ચંદ્ર ગુરુ ગ્રહની અને 16મીએ મંગળની એકદમ નજીક જોવા મળશે. નરી આંખે જોતા ત્રણે ગ્રહોમાં ગુરુ સૌથી તેજસ્વી લાગતો હોવાને કારણે તરત જ નોખો તરી આવશે. જો સારી ગુણવત્તાના દૂરબીન અથવા સામાન્ય એવા ટેલિસ્કોપથી ગુરુને જોવામાં આવે તો પીળા રંગનું નાનું બિંબ દેખાશે જેના પર બે બદામી રંગના પટ્ટાઓ જોવા મળશે.
પૃથ્વીથી ગુરુનું અંતર 76 કરોડ, શનિનું 151 કરોડ કિ.મી.
શનિને ટેલિસ્કોપ વડે જોવો એક લહાવો છે જેમાં વલયોની રિંગ વચ્ચે તરતા ગોળા જેવો ગ્રહ સુંદર દેખાય છે. નરી આંખે જોતા ગુરુ તેજસ્વી હોવાને કારણે અને મંગળ તેના લાલ રંગને કારણે તરત ઓળખાય જશે. આ બે વચ્ચે પીળા રંગનો તારો એ શનિ ગ્રહ છે. ગુરુ અને શનિની તેજસ્વીતામાં આટલો તફાવત હોવાનું કારણ છે તેમનું પૃથ્વીથી અંતર હાલમાં પૃથ્વીથી ગુરુનું અંતર 76 કરોડ km જેટલું છે જ્યારે પૃથ્વીથી શનિનું અંતર હાલ તેનાથી ડબલ એટલે કે 151 કરોડ કિ.મી જેટલું છે આ કારણે જ આપણાથી માત્ર 24 કરોડ કિ.મી દૂર આવેલ મંગળ પણ શનિ કરતા વધુ તેજસ્વી લાગે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The post 14થી 17 એપ્રિલ દરમિયાન અવકાશમાં ચંદ્ર સાથે ત્રણ ગ્રહો ચલકચલાણું રમતા નરી આંખે દેખાશે appeared first on News n Feeds.
]]>