The post કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ! appeared first on News n Feeds.
]]>અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ ફાઈઝર કંપનીએ જાહેરાત કરી હતી કે તેઓ લેબમાં કોવિડ-19ની રસી બનાવવામાં સફળ થયા છે જે વાયરસ સામે 96% જેટલી અસરકારક છે. ગઈ કાલે જ જર્મનીની બાયોફાર્માસ્યૂટિકલ કંપની બાયોએનટેક અને તેની અમેરિકન ભાગીદાર કંપની ફાઈઝરે યુરોપિયન સંઘ સામે રસીના રજિસ્ટ્રેશન માટે ઔપચારિક અરજી કરી હતી. બ્રિટિશ રેગ્યુલેટર MHRA આ રસીના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી.
રસીના 10 મિલિયન ડોઝ જેમ બને તેમ જલદી ઉપલબ્ધ થશે. બહુ જલદી રસીનો પહેલો ડોઝ યુકે પહોંચશે. રસીના કોન્સેપ્ટથી રિયાલિટી સુધી પહોંચવામાં કોરોનાની આ રસી સૌથી ઝડપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જે પ્રક્રિયામાં દાયકો નીકળી જાય છે તેના માટે માત્ર 10 મહિનાનો સમય લાગ્યો છે.
જો કે વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ભલે રસીકરણ ચાલુ થઈ જાય, પરંતુ લોકોએ આમ છતાં સાવચેત રહેવાની અને કોરોના વાયરસની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવાની જરૂર છે. એટલે કે સામાજિક અંતર રાખવું જરૂરી છે અને માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે.
કેવા પ્રકારની છે આ રસી?
આ એક નવા પ્રકારની mRNA vaccine છે. જેમાં કોરોના વાયરસના જેનેટિક કોડના નાનકડા અંશનો ઉપયોગ થાય છે જે બોડીને કોવિડ-19 સામે કેવી રીતે લડવું અને ઈમ્યુનિટી બનાવવી તે શીખવે છે. mRNA vaccineને આ અગાઉ હ્યુમન વપરાશ માટે મંજૂરી અપાયેલી નથી આમ છતાં ક્લિનિકલ ટ્રાયલમાં લોકોને તે અપાઈ છે.
કેવી રીતે કામ કરે છે આ રસી
આ રસી ઈન્જેક્શન દ્વારા શરીરમાં સેલ્સમાં પ્રવેશ કરે છે અને તેમને Coronavirus Spke Protein ઉત્પન્ન કરવાનું કહે છે. જેના કારણે ઈમ્યુન સિસ્ટમ ને એન્ટીબોડીઝ અને એક્ટિવ ટી-સેલ્સ ઉત્પન્ન કરવાનો મેસેજ મળે છે જે ઈન્ફેક્ટેડ સેલ્સનો નાશ કરે છે. જો વ્યક્તિ કોરોના વાયરસના સંપર્કમાં આવે તો એન્ટીબોડીઝ અને ટી-સેલ્સ શરીરમાં દાખલ થયેલા આ વાયરસ સામે લડે છે અને તેનો નાશ કરે છે.
આ રસીને -70C પર સ્ટોર કરવી જરૂરી છે. તથા ડ્રાય આઈસમાં પેક કરીને સ્પેશિયલ બોક્સમાં ટ્રાન્સપોર્ટ કરવી પડે છે. ફ્રીઝમાં તે પાંચ દિવસ સુધી રાખી શકાય છે.
રસી કોને અને ક્યારે મળશે?
વિશેષજ્ઞો દ્વારા આ રસીકરણમાં કોને પ્રાથમિકતા આપવામાં આવશે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જે લોકો હાઈ રિસ્ક પર છે તેમને પહેલા રસી અપાશે. કેર હોમ રેસિડેન્ટ્સ અને સ્ટાફ, 80 ઉપરના લોકો અને અન્ય હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સને સૌથી પહેલા રસી આપવામાં આવશે. કેટલાકને ક્રિસમસ પછી અપાશે. 50થી ઉપરના લોકોને આપવામાં આવશે. યંગ એજના લોકો કે જેઓ કોઈ હેલ્થ સમસ્યાથી પીડાતા હશે તેમને 2021માં આ રસી ઉપલબ્ધ બનશે. 21 દિવસના સમયગાળામાં આ રસીના બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ બુસ્ટર ડોઝ હશે.
અન્ય કોરોના રસીની શું છે સ્થિતિ
મોર્ડનાએ પણ આ જ રીતે રસી બનાવી છે એટલે કે mRNA vaccine છે. યુકેએ આ રસીના પણ 7 મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. યુકેએ 100 મિલિયન ડોઝ અન્ય રસી જેમ કે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાના પણ ઓર્ડર આપેલા છે.
ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી (Viral vector (Genetically modified virus type) – 62-90 % અસરકારક
Moderna (RNA (part of virus genetic code) – 95% અસરકારક
Pfizer-BioNTech (RNA) – 95% અસરકાર
Gamaleya (Sputnik V) Viral Vector – 92% અસરકારક
The post કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ! appeared first on News n Feeds.
]]>The post અભિનેતા સની દેઓલ કોરોના સંક્રમિત થયા, હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય સચિવે માહિતી આપી appeared first on News n Feeds.
]]>બોલિવૂડ અભિનેતા અને ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય સચિવ અમિતાભ અવસ્થી મંગળવારે મોડી રાત્રે માહિતી આપી છે.
મળતી માહિતી અનુસાર, સની દેઓલ છેલ્લા કેટલા દિવસોથી કુલુ જિલ્લામાં હતા. અહીં તેઓ રજાઓ મનાવવા માટે આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું હતું કે તેઓ 3 ડિસેમ્બરે મુંબઈ પાછા ફરવાના હતા, તેથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ મંગળવારે કોવિડ-19ના રિપોર્ટમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.
કોરોના પોઝિટિવ હોવા છતાં સની દેઓલે પોતે જ ટ્વીટ કરીને લોકોને એની માહિતી આપી છે. તેમણે લખ્યું છે, “મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ક્વોરન્ટીન છું અને મારી તબિયત સારી છે. હું અપીલ કરું છું કે તમારામાંથી જે લોકો છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને પોતાની જાતને આઈસોલેટ કરીને રિપોર્ટ કરાવે.”
ઉલ્લેખનીય છે કે 64 વર્ષના અભિનેતા સની દેઓલે તાજેતરમાં મુંબઈમાં પોતાના ખભાની સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેઓ આરામ કરવા માટે મનાલીના તેમના ફાર્મ હાઉસમાં આવ્યા હતા. ઘણા દિવસથી તેઓ ત્યાં અહીં રોકાયા હતા.
હિમાચલમાં અત્યારસુધીમાં 41, 228 કોરોના સંક્રમિત
હિમાચલમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 41,228 પહોંચી ગઈ છે તેમજ રાજ્યમાં મંગળવારે સંક્રમણના કારણે 21 લોકોનાં મૃત્યુ બાદ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 657 પર પહોંચી ગઈ છે.
The post અભિનેતા સની દેઓલ કોરોના સંક્રમિત થયા, હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્ય સચિવે માહિતી આપી appeared first on News n Feeds.
]]>The post કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી appeared first on News n Feeds.
]]>એક બાજુ ખુશખબર છે તો બીજી બાજુ ચિંતાના સમાચાર… દવા કંપની ફાઈઝરએ દાવો કર્યો છે કે કોરોના રસીની ટ્રાયલ્સ દરમિયાન લગભગ 90 ટકા સફળતા મળી છે. કોરોના વિરુદ્ધ જંગમાં આ સારા સમાચારની સાથે સાથે ભારતમાં તેને રાખવાને લઈને એક ચિંતા પણ સામે આવી છે. એમ્સ દિલ્હીના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે Pfizer ની રસીને માઈનસ 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં રાખવાની જરૂર પડશે અને ભારતમાં આમ કરવું સરળ નહીં હોય. જો કે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તે પણ એક સારા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં નવા 47,905 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 86,83,917 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 4,89,294 છે. જે સતત ઘટતી જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,905 દર્દીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,905 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 86,83,917 થઈ છે. જેમાંથી 4,89,294 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. જ્યારે 80,66,502 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના 550 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મોતની સંખ્યા 1,28,121 થઈ છે.
અત્યાર સુધીમાં કુલ 12,19,62,509 કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં 12,19,62,509 કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ગઈ કાલે એટલે કે 11મી નવેમ્બરે 11,93,358 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોલ્ડ ચેન મોટી મુશ્કેલી
Pfizer કંપનીએ પોતાની કોરોના રસીની વેક્સિનના ટ્રાયલમાં 90 ટકા સફળતા મળવાની જાહેરાત કરી છે. પરંતુ તેના સ્ટોરેજમાં મોટી મુશ્કેલી આવી રહી છે. દિલ્હી એમ્સના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે ફાઈઝર કંપનીની રસીને -70 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનમાં રાખવી પડે અને ભારત જેવા દેશોમાં તેના માટે આટલા નીચા તાપમાનની કોલ્ડ ચેન બનાવવી અને તેને ચલાવી રાખવી ખુબ મોટો પડકાર રહેશે.
ફાઈઝરનું સારું પ્રદર્શન
અમેરિકી કંપની ફાઈઝરે પોતાની કોરોના રસીની ટ્રાયલ્સ દરમિયાન આશા કરતા સારું પ્રદર્શન કર્યું છે. જેને જોઈને લાગે છે કે એક સારી કોરોના રસી દુનિયાને જલદી મળવાની છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે માગણી કરી છે કે દરેક ભારતીય સુધી કોરોનાની રસી પહોંચે તે માટે જરૂરી લોજિસ્ટિક સુવિધાઓનો વિકાસ થવો જોઈએ.
ગ્રામીણ વિસ્તારોમાં થશે મુશ્કેલી
એમ્સના ડાઈરેક્ટરની વાતે દેશની ચિંતા વધારી દીધી છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ કોરોના રસી ઉપયોગી તો ખુબ છે પરંતુ તેનો સ્ટોરેજ કરવો એક મુશ્કેલ કામ છે. ફાઈઝની રસીને ખુબ જ ઓછા તાપમાનમાં રાખવી એ ભારત અને તેના જેવા તમામ બીજા દેશો માટે મોટો પડકાર સિદ્ધ થશે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિનને કોલ્ડ ચેન બનાવીને -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ કાર્ય રહેશે.
બીજી કોરોના રસીનો પણ ઈન્તેજાર
રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ફાઈઝર રસીને ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોલ્ડ ચેન જાળવી રાખવી પડકારજનક કામ રહેશે. આવામાં સારું એ રહેશે કે આપણે બીજી કોરોના રસીની પણ રાહ જોઈએ. ફેઝ 3ની ટ્રાયલ્સમાં તમામ સંભવિત રસીઓને લઈને ઉત્સાહજનક પરિણામ જોવા મળ્યા છે.
The post કોરોનાના એક્ટિવ કેસ પર સારા અને રસી વિશે ચિંતાજનક સમાચાર, બંને જાણવા ખુબ જરૂરી appeared first on News n Feeds.
]]>The post આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો appeared first on News n Feeds.
]]>જો તમને એમ લાગતુ હોય કે ભારતમાં કોરોના વાયરસ અન્ય દેશોની સરખામણીએ ઓછો ફેલાવવા પાછળનું કારણ માત્ર સરકારના નિર્દેશોનું પાલન કરવું છે તો કદાચ તમે ખોટા છો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હાલમાં જ કરાયેલા એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે ભારતમાં કોવિડ-19 નું સંક્રમણ ઓછું ફેલાવવાનું કારણ ભારતીયોની ‘અસ્વચ્છ’ એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ગંદા રહેવાની આદતો છે.
National Centre for Cell Sciences પુણે અને Chennai Mathematical Institute ના વૈજ્ઞાનિકો દ્વારા આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. રિસર્ચર્સનું માનીએ તો ભારતના લોકોના અસ્વચ્છ રહેવાની આદતે જ તેમની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવી દીધી છે. આજે દુનિયામાં કોરોનાના સૌથી ઓછા કેસ અને ઓછા મૃત્યુદરની સાથે ભારત કોવિડ-19ને હરાવવામાં અન્ય દેશો કરતા સૌથી વધુ આગળ છે. આ અભ્યાસે ભારતીય સંદર્ભમાં મહામારીને જોતા એક નવો જ એંગલ આપી દીધો છે. જો કે રિસર્ચર્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ‘અમે એવું નથી કહેતા કે માત્ર ખરાબ સ્વાસ્થ્ય અને અસ્વચ્છતા જ કોવિડ 19 સંક્રમણ રોકવાના કારણ છે.’
રિસર્ચ મુજબ હાઈ માઈક્રોબિયલથી એક્સપોઝ થવું એ કોવિડ 19ના સંક્રમણને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. પરંતુ રિસર્ચર્સ કોઈ પણ સંજોગોમાં અસ્વચ્છ આદતોને અપનાવવાની કે ફોલો કરવાની માગણી કરતા નથી, કે ન તો તેઓ આવી આદતોને કોવિડ 19ના સંક્રમણને રોકવાનો વિકલ્પ ગણે છે. તેઓ આ રિસર્ચની સંપૂર્ણ રીતે ખરાઈ પણ કરતા નથી. પરંતુ હવે જોવાનું એ છે કે જો આ સ્ટડી સાચો છે તો શું ભારતીયોએ પોતાની આદતો સુધારવી ન જોઈએ? શું સાચ્ચે જ માત્ર ખરાબ સ્વાસ્થ્ય અને અસ્વચ્છતા કોવિડ 19 સંક્રમણને રોકવા માટે પૂરતા છે?
The post આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો appeared first on News n Feeds.
]]>The post કોરોના દેશમાં:સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં 9 લાખ ઓછા દર્દી નોંધાયા, પણ દિલ્હીમાં ફરી કેસ વધવા માંડ્યા appeared first on News n Feeds.
]]>દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 80 લાખ 87 હજાર 428 થઈ ગયો છે. રાહતની વાત તો એ છે કે આમા 73 લાખ 71 હજાર 568 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 1 લાખ 21 હજાર 130 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. આ બધાની વચ્ચે 85 દિવસ એટલે કે 3 મહિના પછી એક્ટિવ કેસ(એવા દર્દી જેમની હાલ સારવાર ચાલી રહી છે) ફરીથી ઘટીને 6 લાખથી ઓછા થઈ ગયા છે. હવે દેશમાં 5 લાખ 93 હજાર 698 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ લોકો કાંતો હોસ્પિટલમાં દાખલ છે અથવા પછી હોમ આઈસોલેશનમાં રહીને પોતાની સારવાર કરાવી રહ્યાં છે. આ પહેલા 5 ઓગસ્ટે દેશમાં 5 લાખ 94 હજાર એક્ટિવ કેસ હતા.
સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં 9 લાખ ઓછા દર્દી નોંધાયા
તારીખ | નવા કેસ | સાજા થયા | મોત |
1-30 સપ્ટેમ્બર | 26 લાખ | 24 લાખ | 33,273 |
1-29 ઓક્ટોબર | 17 લાખ | 21 લાખ | 22,423 |
દિલ્હીમાં 3 દિવસથી 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે
તારીખ | નવા કેસ | સાજા થયા | એક્ટિવ કેસ |
25 ઓક્ટોબર | 4136 | 3826 | +277 |
26 ઓક્ટોબર | 2832 | 3736 | -958 |
27 ઓક્ટોબર | 4853 | 2722 | +2087 |
28 ઓક્ટોબર | 5673 | 4128 | +1505 |
29 ઓક્ટોબર | 5739 | 4138 | +1574 |
કોરોના અપડેટ્સ
પાંચ રાજ્યોની સ્થિતિ
1. મધ્યપ્રદેશ
રાજ્યમાં ગુરુવારે 728 દર્દી નોંધાયા, 9689 લોકો સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા. અત્યાર સુધી 1 લાખ 69 હજાર 999 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 1 લાખ 57 હજાર 381 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 9689 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 2929 લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.
2. રાજસ્થાન
છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ લોકોની તપાસ થઈ છે. જેમાં 1790 લોકો સંક્રમિત મળ્યા છે. 1933 લોકો રિકવર થયા અને 11 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 93 હજાર 419 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 15 હજાર 554 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 75 હજાર 977 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 1888 લોકોના મોત પણ થયા છે.
3. બિહાર
રાજ્યમાં ગુરુવારે 783 લોકો સંક્રમિત નોંધાયા. 1068 લોકો રિકવર થયા અને 7 દર્દીઓના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 14 હજાર 946 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 8484 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 5 હજાર 385 લોકો સાજા થઈ ચુક્યાં છે. અત્યાર સુધી 1076 સંક્રમિતના મોત થયા છે.
4.મહારાષ્ટ્ર
ગુરુવારે રાજ્યમાં 5902 લોકો સંક્રમિત નોંધાયા. આ સાથે જ દર્દીઓનો આંકડો વધીને 16 લાખ 66 હજાર 668 થઈ ગયો. જેમાં 1 લાખ 27 હજાર 603 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 14 લાખ 94 હજાર 809 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 43 હજાર 710 લોકોના મોત થયા છે.
5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં 24 કલાકની અંદર 1861 નવા સંક્રમિતોની પુષ્ટી થઈ છે. 2465 લોકો રિકવર થયા અને 25 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી 4 લાખ 77 હજાર 895 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 24 હજાર 858 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 46 હજાર 54 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણથી મરનારની સંખ્યા હવે 6983 થઈ ગઈ છે.
The post કોરોના દેશમાં:સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં 9 લાખ ઓછા દર્દી નોંધાયા, પણ દિલ્હીમાં ફરી કેસ વધવા માંડ્યા appeared first on News n Feeds.
]]>The post ઉઘાડી લૂંટ:સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર દાખલ કરી રૂ.2 લાખનું બિલ પકડાવ્યું appeared first on News n Feeds.
]]>કોરોનાના કપરા સમયમાં પણ ખાનગી હોસ્પિટલો દર્દીની સારવારને મહત્ત્વ આપવાને બદલે પોતાના પૈસાને જ મહત્ત્વ આપે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને રિફર કરેલા દર્દીની ફ્રીમાં સારવાર કરવાની હોય છે, પણ એક ખાનગી હોસ્પિટલે ખાનગી દર્દી ગણી 5 લાખનું બિલ વસૂલ્યું હતું. અન્ય એક કિસ્સામાં દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ફરી તકલીફ થતાં ખાનગી દર્દી તરીકે દાખલ કરી 2 લાખનું બિલ પકડાવી દીધું હતું.
ઓક્સિજન લેવલ 82 થઈ જતાં ફરી સાલ હોસ્પિટલ લવાયા
સાલ હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સાથેની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ. ક્વોટાના બેડ પર દર્દીને માત્ર એક સપ્તાહ સારવાર આપી, સારું છે કહી એક વખત રજા આપ્યાના બીજા જ દિવસે દર્દીની હાલત ખરાબ થઈ હતી. બીજા દિવસે સાલ હોસ્પિટલમાં ફરી આ જ દર્દીને પ્રાઈવેટ બેડમાં દાખલ કરી હોસ્પિટલે 2 લાખ પડાવ્યા હતા. આટલી જંગી રકમ લીધા પછી યોગ્ય સારવારના અભાવે દર્દીનું મૃત્યુ થયાનો આક્ષેપ પરિવારે કર્યો છે. વધુમાં, પરિવારે પોસ્ટમોર્ટમ સહિતની તપાસનો આગ્રહ રાખી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. થલતેજ સુરધારા સર્કલ નજીક રહેતા કિરીટ પટેલ 7 ઓક્ટોબરે કોરોના પોઝિટિવ આવતાં સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 14 ઓક્ટોબરે રજા અપાઈ હતી. રજા આપ્યાના 24 કલાકમાં જ કિરીટભાઇનું ઓક્સિજન લેવલ 82 થઈ જતાં ફરી સાલ હોસ્પિટલમાં લવાયા હતા. જોકે હોસ્પિટલે તેમને ખાનગી બેડમાં જ દાખલ કરવાનો આગ્રહ રાખી 2 લાખ ભરાવ્યા હતા. દર્દીને પ્લાઝમા નહીં આપ્યું હોવા છતાં તેનું બિલ બનાવ્યું હતું. પરિવારે પોલીસમાં અરજી કર્યા પછી તેમને પ્લાઝમા અપાયું હતું.
2 લાખ લીધા નથી, મૃત્યુ હાર્ટ-અટેકથી થયું હતું
સાલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની ગાઇડલાઇન્સ મુજબ 12 દિવસ સારવાર કરી. દર્દીને રજા આપ્યા બાદ ફરી શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં તેમને ખાનગી બેડ પર દાખલ કરાયા હતા. આઇસીયુની ટીમે દર્દીને સઘન સારવાર આપી હતી. દર્દીનું મૃત્યુ હાર્ટ-અટેક આવવાને લીધે થયું હતું. 2 લાખ લીધા નથી કે દર્દીના સગાએ પૈસા પણ ભર્યા નથી અને મૃતદેહ સોંપ્યો હતો, પણ પરિવારની માગણી પોસ્ટમોર્ટમની હતી. અમે પરવાનગી આપી હતી. અમારી કોઈ ભૂલ નથી.
આરોગ્ય વિભાગને રજૂઆત છતાં પ્રશ્ન ન ઉકેલાયો
ખાડિયા રાવળશેરીમાં રહેતાં દેવીબેન જોષી અને તેમની પુત્રી વિદ્યા જોષીનો રિપોર્ટ 17 મેએ પોઝિટિવ આવ્યો હતો. દેવીબેનના પતિનું અગાઉ કોરોનાથી અવસાન થયું હતું. માતા-પુત્રીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યાંથી તેમને સિમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. દેવીબેન જોષીએ 18 મેથી 29 મે જ્યારે તેમની પુત્રી વિદ્યા જોષીએ 18 મેથી 28 મે સુધી સિમ્સમાં સારવાર લીધી હતી. હોસ્પિટલે બંને માટે અનુક્રમે 2.49 લાખ અને 2.09 લાખનું બિલ પકડાવી દીધું હતું. મ્યુનિ. આરોગ્ય વિભાગને રજૂઆત છતાં પ્રશ્ન ઉકેલાયો ન હતો.
હોસ્પિટલ સામે પગલાં લો
ખાડિયાના કોર્પોરેટર મયૂર દવેએ જણાવ્યું હતું કે આ બાબતે મેં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હેલ્થને રજૂઆત કરી છે કે મ્યુનિ. ક્વોટામાં દાખલ કર્યા બાદ માતા-પુત્રી પાસેથી બિલની રકમ વસૂલવામાં આવી એ ગંભીર બાબત છે. એમાં યોગ્ય તપાસ કરીને પગલાં લેવાવાં જોઇએ.
મ્યુનિ.નો પત્ર પછી લાવ્યા
સિમ્સ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ એડમિનિસ્ટ્રેટર ધવલ પટેલે જણાવ્યું હતું કે તેમણે પ્રાઇવેટ બેડમાં જ ટ્રીટમેન્ટ લીધી છે. દાખલ થતા સમયે તેમણે આ બાબતે કન્સેન્ટ પણ આપી હતી. બાદમાં તેઓ મ્યુનિ.નો લેટર ક્યાંકથી મેનેજ કરીને લાવ્યા હતા, જે બાબતે અમે મ્યુનિ.નું ધ્યાન પણ દોર્યું હતું.
The post ઉઘાડી લૂંટ:સાલ હોસ્પિટલે કોરોના દર્દીને રજા આપ્યાના બીજા દિવસે ખાનગી બેડ પર દાખલ કરી રૂ.2 લાખનું બિલ પકડાવ્યું appeared first on News n Feeds.
]]>The post 101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં મોત appeared first on News n Feeds.
]]>Coronavirus Cases in India Latest News Updates: દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે.
આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 72 લાખ 1 હજાર 70 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,25,857 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,502 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,44,20,894 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 9,58,116 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, 26 ઑક્ટોબરે કોરોના વાયરસના 908 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1102 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 4 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 168081 એ પહોંચી ગયો છે.
ગુજરાતમાં 24 કલાકમાં સુરતમાં 228, અમદાવાદમાં 173, વડોદરામાં 111, રાજકોટમાં 70, જામનગરમાં 17, મહેસાણામાં 27, કચ્છમાં 14, પંચમહાલમાં 8, અમરેલીમાં 17, બનાસકાંઠા 11, સાબરકાંઠામાં 10 , મોરબીમાં 23, સુરેન્દ્રનગરમાં 22 કેસ નોંધાયા છે.
બીજી તરફ, ગાંધીનગરમાં 26, જૂનાગઢમાં 18, પાટણમાં 17, ગીરસોમનાથમાં 11, નર્મદામાં 9, ભાવનગરમાં 10, દાહોદમાં 6, આણંદ 13, બોટાદ 1, ખેડામાં 11, દેવભૂમિ દ્વારકામાં 7, છોટાઉદેપુર 4, મહીસાગરમાં 3, નવસારીમાં 2, અરવલ્લી 4, તાપીમાં 4, વલસાડમાં 1, ડાંગમાં 0 મળીને કુલ 908 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 13,738 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 13,677 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,50,650 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3,693 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
આ દરમિયાન અમદાવાદમાં 2, સુરતમાં 1, રાજકોટમાં 1 મળી કુલ 4 દર્દીના નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં 173 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વઘુ થયા છે.
The post 101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં મોત appeared first on News n Feeds.
]]>The post विदेशी छात्रों और कारोबारियों को भारत आने की इजाजत, टूरिस्ट वीजा पर रोक जारी appeared first on News n Feeds.
]]>सरकार ने वीजा पाबंदियों में बड़ी राहत दी है। सरकार ने ओवरसीज सिटीजन ऑफ इंडिया (OCI) और पर्सन ऑफ इंडियन ओरिजिन (PIO) कार्डधारकों को वीजा देने की मंजूरी दी है। गृह मंत्रालय ने बताया कि इनके अलावा विदेशी छात्र और कारोबारियों को भी भारत आने के लिए वीजा जारी किया जाएगा। हालांकि, सरकार ने टूरिस्ट वीजा पर पाबंदी बरकरार रखी है।
गृह मंत्रालय (MHA) की तरफ से जारी बयान में कहा गया कि सरकार ने वीजा और यात्रा पाबंदियों में ग्रेडेड छूट देने का फैसला किया है। इसके तहत विदेशी नागरिकों को भारत आने और भारतीय नागरिकों को देश से बाहर जाने में सुविधा होगी। कारोबार, कॉन्फ्रेंस, रोजगार, पढ़ाई, रिसर्च और इलाज के लिए वीजा दिए जाएंगे। सभी यात्रियों को स्वास्थ्य मंत्रालय की कोरोना गाइडलाइंस का पालन करना होगा।
मेडिकल वीजा के लिए आवेदन कर सकेंगे विदेशी
गृह मंत्रालय के ताजा निर्देशों के मुताबिक, इलेक्ट्रॉनिक वीजा, टूरिस्ट वीजा और मेडिकल वीजा के अलावा सभी तरह के मौजूदा वीजा को तत्काल प्रभाव से बहाल कर दिया गया है। इलाज के लिए भारत आने वाले विदेशी नागरिकों को अटेंडेंट के साथ मेडिकल वीजा के लिए आवेदन करना होगा।
हवाई और समुद्री रास्तों से आ सकेंगे लोग
जिन कैटेगरी को वीजा पाबंदियों से छूट दे दी गई है, उनके तहत लोग हवाई और समुद्री रास्तों से भारत आ सकेंगे। सरकार ने विदेशियों को देश में प्रवेश देने के लिए चुनिंदा हवाई अड्डों और इमिग्रेशन चेक पोस्ट को इजाजत दी है। सरकार के इस फैसले में वंदे भारत मिशन, एयर ट्रांसपोर्ट बबल अरेंजमेंट या सरकार से मंजूरी दी गईं नॉन शेड्यूल्ड कॉमर्शियल फ्लाइट को भी शामिल किया गया है।
सरकार ने 23 मार्च को इंटरनेशनल फ्लाइट्स बैन की थीं
कोरोनावायरस के कारण भारत ने 23 मार्च को अंतरराष्ट्रीय यात्री उड़ानों पर प्रतिबंध लगाया था। हालांकि, 25 मई से घरेलू उड़ानें शुरू कर दी गई थीं। कोरोना के दौरान विदेशों में फंसे भारतीयों की वापसी के लिए वंदे भारत मिशन के तहत स्पेशल फ्लाइट्स चलाई गई थीं। वहीं, खाड़ी देशों में फंसे भारतीय नागरिकों को वापस लाने के लिए नौसेना के जहाज भी तैनात किए गए थे। सरकार वंदे भारत मिशन के तहत सात फेज में 50 से ज्यादा देशों से लाखों भारतीय नागरिकों को वापस लाया जा चुका है।tourist
The post विदेशी छात्रों और कारोबारियों को भारत आने की इजाजत, टूरिस्ट वीजा पर रोक जारी appeared first on News n Feeds.
]]>The post ઘરમાં કોરોનાના દર્દીની સારવાર ચાલતી હોય તો બાકીના સભ્યોએ સુરક્ષિત રહેવા શું કરવું? appeared first on News n Feeds.
]]>કોરોના મહામારી સાથે છેલ્લા 9 મહિના મુશ્કેલીભર્યા રહ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત થવાના ડરે લોકોને પરેશાન કરી મૂક્યો છે અને વૈજ્ઞાનિકો પણ આનો તોડ શોધવા માટે દિવસ-રાત મથી રહ્યા છે. કોરોના વાયરસ કઈ સપાટી પર કેટલાક કલાકો સુધી જીવતો રહી શકે અને કઈ ઉંમરના લોકો માટે કેટલો ઘાતક છે તે સહિતની ઘણી માહિતી રોજેરોજ સામે આવી રહી છે. જો કે, અત્યાર સુધીમાં એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે સંક્રમિત વ્યક્તિના શ્વાચ્છોશ્વાસમાંથી નીકળતા છાંટા દ્વારા બીજા વ્યક્તિને ચેપ લાગે છે. તમે ઘરની બહાર તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકો છો પરંતુ જો પરિવારના કોઈ સભ્યને જ ચેપ લાગે અને તે હોમ આઈસોલેશનમાં હોય ત્યારે તમારે જ ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન શું સાવધાની રાખશો?
જ્યારે તમારા ઘરના જ કોઈ સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને તે હોમ આઈસોલેશનમાં હોય તો પરિવારમાં બીજા કોઈને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આ કપરી ઘડીમાં માત્ર સંક્રમિત વ્યક્તિ જ નહીં તમારા પોતાનું પણ ધ્યાન રાખવાની જવાબદારી આવી પડે છે. આ સમયે તમે પોતે તંદુરસ્ત રહો એ જરૂરી છે અને તેના માટે સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જો તમારા ઘરમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોય તો આ બાબતોની ખાસ કાળજી લેવી.
સૌથી પહેલી વસ્તુ છે ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું, જો ઘર નાનું હોય તો આમ કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. દૂર રહેવાનો મતલબ છે કે, સંક્રમિત વ્યક્તિએ વાપરેલી અને સ્પર્શેલી વસ્તુઓથી પણ દૂર રહેવું. સુનિશ્ચિત કરો કે તમારા બેડરૂમ, બાથરૂમ અને અન્ય વસ્તુઓ અલગ-અલગ હોય. તમે સંક્રમિત વ્યક્તિને જરૂરી તમામ વસ્તુઓ આપીને ઘરના એક રૂમમાં રાખી શકો છો. આમ કરવાથી વાયરસને ફેલાતો રોકી શકાય છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિ માટે યોગ્ય હવા-ઉજાસવાળો રૂમ જરૂરી છે.
કોરોના સંક્રમિત વ્યક્તિને અલગ રૂમમાં રાખવાથી તમારું કામ પૂરું નથી થઈ જતું. નાની સરખી પણ ચૂક ગંભીર સાબિત થઈ શકે છે. માટે જ તમારી અંગત સ્વચ્છતાને હળવાશમાં ના લો. કોઈપણ સપાટીને સ્પર્શ્યા પછી હાથ બરાબર ધોઈ નાખો અને આસપાસની વસ્તુઓને સ્વચ્છ રાખો. જ્યારે પણ તમે કોરોના સંક્રમિત વ્યક્તિની નજીકમાં હોવ ત્યારે માસ્ક અને ગ્લવ્ઝ પહેરેલા રાખો. જ્યારે પણ દર્દીને દવા અથવા ભોજન આપવા જાવ ત્યારે માસ્ક અને ગ્લવ્ઝ પહેર્યા હોય તે સુનિશ્ચિત કરો.
આ સમયગાળામાં સ્વચ્છતા એવી બાબતે છે જેના પ્રત્યે બેદકારી ના દાખવી શકાય. તમારી આસપાસની વસ્તુઓ અને જગ્યાને વારંવાર સાફ કરતા રહો. ઘર સાફ રાખો. સફાઈ માટે ઈસોપ્રોપેલ આલ્કોહોલ અથવા બ્લીચ સોલ્યુશનવાળું ડિસઈન્ફેક્ટન્ટ રાખો. દર્દી દ્વારા વારંવાર સ્પર્શ થતી વસ્તુઓ જેવી કે, વોશરૂમ, દરવાજા, ફોન, રિમોટ વગેરેને થોડા થોડા સમયે સેનિટાઈઝ કરવું જરૂરી છે. વધારે વખત આ વસ્તુઓને સેનિટાઈઝ ના કરી શકતા હો તો દિવસમાં બેવાર તો અચૂક કરવી.
જ્યારે તમે દર્દીની સંભાળ રાખતા હો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન તેનામાં જ હોય છે. પરંતુ આ સમયમાં પોતાની કાળજી લેવાની પણ જરૂર છે. આ સમય દરમિયાન પૌષ્ટિક આહાર લો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવો. દર્દી માટે પણ આ વાત લાગુ પડે છે. વિટામિન C, વિટામિન A અને ઝિંક ધરાવતી વસ્તુઓ ડાયટમાં સામેલ કરો. હેલ્ધી ડાયટ લેવાથી રિકવરી ઝડપી બને છે.
આવી કપરી પરિસ્થિતિમાં હો ત્યારે સ્ટ્રેસ અને ભય અનુભવાય તે વ્યાજબી છે. જ્યારે પણ તમને લાગે કે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે ત્યારે મૂંઝાયા વિના ખુલ્લા મને તમારા ડૉક્ટર સાથે વાત કરો. તમારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે આ વાત લાગુ પડે છે. આ સ્થિતિ દરમિયાન અંતે તો ચોક્કસ અને સાચી સલાહ તો ડૉક્ટર જ આપી શકે છે.
The post ઘરમાં કોરોનાના દર્દીની સારવાર ચાલતી હોય તો બાકીના સભ્યોએ સુરક્ષિત રહેવા શું કરવું? appeared first on News n Feeds.
]]>The post કોરોના વાયરસની ચપેટમાં સિંગર કુમાર સાનૂ, પરિવારને મળવા લોસ એન્જલસ જવાનો હતો appeared first on News n Feeds.
]]>એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા સિંગર્સમાંથી એક કુમાર સાનૂ કોરોના વાયરસનાં સંક્રમણનો શિકાર થઇ ગયા છે .90નાં દાયકમાં હિટ ગીતો આપનારા પ્લેબેક સિંગર કુમાર સાનૂની કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવી છે. તે તેનાં પરિવાર સાથે મળવાં લોસ એન્જલ્સ જવાનો હતો. પણ હવે તેની સફર પર બ્રેક લાગી ગયો ચે. કુમાર સાનૂ અને ગોરગાંવ સ્થિત ઘરમાં તમામ સાવધાની સાથે હોમ ક્વૉરન્ટીન થઇ ગયા છે. આ માહિીત બાદથી જ કુમાર સાનુનાં ફેન્સ તેની જલદી ઠીક થવાની કામના કરી રહ્યાં છે.
કુમાર સાનૂને આ વાતની માહિતી ત્યારે મળી જ્યારે તેઓ અમેરિકાની હવાઇ યાત્રા કરતા પહેલાં તેમનાં જરૂરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે, કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેમને તેમની અમેરિકાની યાત્રા રદ્દ કરવી પડી હતી અને પોતાને હોમ ક્વૉરન્ટીન કરવાનો નિર્ણય તેમણે લીધો હતો.
લોકડાઉનને કારણે તે તેમનાં પરિવારને ખુબજ યાદ કરી રહ્યાં હતાં. આશરે 9 મહિનાનાં લાંબા સમય બાદ તેઓ લોસ એન્જલસમાં રહેતા તેમનાં પરિવારને મળવાં જવાનાં હતાં. તેમણે પ્લાન કર્યો હતો કે તે 20 ઓક્ટોબરનાં પત્ની સલોની અને બંને દીકરીઓ સાથે તેમનો જન્મ દિવસ ઉજવશે. પણ કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેમનાં પ્લાન પર પાણી ફરી ગયુ છે.
કુમાર સાનૂની પત્ની સલોનીનાં જણાવ્યાં અનુસાર, જો તેઓ ત્યાં સુધીમાં સારા થઇ જશે તો તે 8 નવેમ્બરનાં અમેરિકા આવશે. તેમણે કહ્યું કે, ગત 9 મહિનાથી તેઓ અમને મળવાં માટે બેચેન છે. સલોનીએ જણાવ્યું કે, જો તેઓ બાદમાં યાત્રા કરવામાં અસમર્થ થાય છે તો, તેમનો પરિવાર તેમની સાથે તમામ તહેવાર ઉજવવાં મુંબઇ આવી જશે.
આપને જણાવી દઇએ કે, કુમાર સાનૂની પત્ની સલોની અને તેમની બે દીકરીઓ સના અને એના અમેરિકાનાં લોસ એન્જલસ શહેરમાં રહે છે.
The post કોરોના વાયરસની ચપેટમાં સિંગર કુમાર સાનૂ, પરિવારને મળવા લોસ એન્જલસ જવાનો હતો appeared first on News n Feeds.
]]>