Home Gujarati 101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં...

101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં મોત

117
0
મોટી રાહત! ભારતમાં કોવિડ-19ને 72 લાખ દર્દીઓએ મ્હાત આપી, એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો.

Coronavirus Cases in India Latest News Updates: દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. અનેક દિવસો બાદ મંગળવારે જાહેર થયેલા આંકડો 40 હજારની નીચે નોંધાયો છે જે એક આશાનું કિરણ સમાન છે. નોંધનીય છે કે 101 દિવસ બાદ આટલો ઓછો આંકડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 488 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,46,429 થઈ ગઈ છે.