The post સમંથા રૂથ પ્રભુનું ઇન્સ્ટાગ્રામ થઇ ગયું હેક? અભિનેત્રીએ અસામાન્ય પોસ્ટના કારણે અરાજકતા પેદા કર્યા પછી આ વાત શેર કરી appeared first on News n Feeds.
]]>સામંથા રુથ પ્રભુ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને તે ઘણીવાર તેના પ્રશંસકો અને અનુયાયીઓ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવનના ફોટા અને વિડિઓઝ શેર કરતી જોવા મળે છે. જો કે, અભિનેત્રીની તાજેતરની પોસ્ટે ઇન્ટરનેટ પર ઘણી અરાજકતા ઊભી કરી હતી. ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા જ્યારે તેઓએ એક ફોટો જોયો જે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો ન હતો. તરત જ, ચાહકોએ તારણ કાઢ્યું કે સમન્થાનું Instagram એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તેથી તેની પ્રોફાઇલ પર દૂષિત પોસ્ટ પ્રદર્શિત થઈ રહી છે.
થોડી જ વારમાં, સમન્થાના ડિજિટલ મેનેજર શેશાંક બિનેશે એક પોસ્ટ શેર કરી જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ત્યાં એક ‘તકનીકી ખામી’ હતી અને તેથી જ વપરાશકર્તાઓ અભિનેત્રીના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રોસ-પોસ્ટ જોઈ શકે છે. “ટેક્નિકલ ખામીને કારણે, ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટ સમન્થાના એકાઉન્ટ પર ભૂલથી ક્રોસ-પોસ્ટ થઈ ગઈ. અમે કેસ પર કામ કરી રહ્યા છીએ અને ટીમ ઇન્સ્ટાગ્રામ સાથે તેને આગળ વધારીશું. તેના પર થયેલી કોઈપણ મૂંઝવણ માટે ક્ષમાયાચના,” તેણીએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું. તે પછીથી સમન્થા દ્વારા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ પોસ્ટ કરવામાં આવી હતી.
The post સમંથા રૂથ પ્રભુનું ઇન્સ્ટાગ્રામ થઇ ગયું હેક? અભિનેત્રીએ અસામાન્ય પોસ્ટના કારણે અરાજકતા પેદા કર્યા પછી આ વાત શેર કરી appeared first on News n Feeds.
]]>The post ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે; appeared first on News n Feeds.
]]>આ પહેલા રાહુલે ટ્વીટ કર્યું હતું કે દુનિયાની કોઈ શક્તિ મને પીડિત પરિવારને મળતાં રોકી નહીં શકે. તો આ તરફ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે, આ વખતે પણ નહીં જવા દે તો ફરી પ્રયાસ કરીશું. દિલ્હીના નોઈડા ફ્લાઈવે પર મોટી સંખ્યામાં પોલીસદળના જવાન તહેનાત છે, રસ્તામાં બેરિકેડ લગાવી દેવાયા છે.
આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188નો ભંગ કર્યો છે.
પોલીસ આજે રાહુલને ફરી રોકશે, કારણ કે સમગ્ર હાથરસ જિલ્લામાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. સીમા સીલ કરી દેવામાં આવી છે અને કોઈને પણ ગેંગરેપ પીડિતના ગામ (બુલીગઢ)માં એન્ટ્રી આપવામાં આવતી નથી. મીડિયાને પણ અંદર જવા દેવામાં આવતું નથી. પોલીસનું કહેવું છે કે મીડિયાએ SITની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
The post ગેંગરેપ કેસમાં હોબાળાનો ત્રીજો દિવસ :રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે; appeared first on News n Feeds.
]]>The post સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; appeared first on News n Feeds.
]]>વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું, હરિવંશજી તે લોકો માટે ચા લઈને પહોંચ્યા, જેમણે થોડા દિવસો પહેલાં તેમની પર હુમલો કર્યો હતો. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર અને મોટા દિલના છે. હું દેશની જનતાની સાથે તેમને અભિનંદન પાઠવું છે.
For centuries, the great land of Bihar has been teaching us the values of democracy. In line with that wonderful ethos, MP from Bihar and Rajya Sabha Deputy Chairperson Shri Harivansh Ji’s inspiring and statesman like conduct this morning will make every democracy lover proud.
મોદીએ બીજા ટ્વીટમાં કહ્યું, બિહારની મહાન ધરતી વર્ષોથી આપણને લોકશાહીનાં મૂલ્યોની શીખ આપી રહી છે. આ પરંપરાને આગળ વધારતા બિહારના સાંસદો અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશજી પણ આપણને પ્રેરણા આપી રહ્યા છે. આજે સવારે તેમણે જે વાતનો ઉલ્લેખ કર્યો એનાથી લોકશાહીને પ્રેમ કરનાર દરેક સામાન્ય માણસને ગર્વ થશે.
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે સભાપતિ વેંકૈયા નાયડુને પત્ર લખ્યો છે. તેમણે સદનમાં વિપક્ષના વલણના કારણે થયેલા અપમાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેના વિરોધમાં તેમણે 24 કલાક ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.
આપના સાંસદ સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યું, આ વ્યક્તિગત સંબંધો નિભાવવાનો સમય નથી. અમે ખેડૂતો માટે ધરણાં પર બેઠા છે. ઉપસભાપતિજીને મળવા આવ્યા, અમે તેમને પણ કહ્યું હતું કે બંધારણને બાજુમાં મૂકીને કિસાનવિરોધી કાળો કાયદો કોઈપણ વોટિંગ વગર પાસ કરવામાં આવ્યો ત્યારે ભાજપ માઈનોરિટીમાં હતી અને તમે પણ તેના માટે જવાબદાર છો.
ધરણાં પર બેઠેલા સાંસદોએ ઘરેથી તકિયાં અને બ્લેનકેટ ઉપરાંત મચ્છરને ભગાડવાની દવા પણ મગાવી હતી. ઈમર્જન્સી માટે સ્થળ પર એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને તેમના બે સાથીઓ કોંગ્રેસના રિપુન બોરા અને સીપીઆઈના ઈ. કરીમને લઈને છે, કારણ કે બંનેની ઉંમર 65 વર્ષથી વધુ છે અને બંનેને ડાયાબિટીસ છે.
https://newsnfeeds.com/drugs-case-this-is-true-of-deepika-padukones-halloween-party-three-new-characters-emerged/
The post સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદે આખી રાત ધરણાં કર્યાં, સવારે ઉપસભાપતિ ચા લઈને પહોંચ્યા તો સાંસદોએ ના પાડી; appeared first on News n Feeds.
]]>The post IT રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ન લંબાવાતા રોષ appeared first on News n Feeds.
]]>લોકસભામાં પાસ કરાયેલા ઇન્કમટેક્સ બિલના કારણે ટેકસ કન્સલ્ટન્ટ અને કરદાતાઓમાં ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવાની તારીખને લઇને કન્ફ્યુઝન ઊભું થયું છે. સરકારે માત્ર અધિકારીઓને લગતી મુદતોમાં વધારો કર્યો છે જ્યારે કરદાતાઓને ભરવામાં આવતા રિટર્નની મુદતમાં વધારો ન કરાતા કરદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુદતમાં વધારો ન કરાતા હવે કરદાતાએ તા. 31 સપ્ટેમ્બર પહેલા રિટર્ન ફાઇલ કરવા પડશે.
વર્ષ 2018-19ના વર્ષની છેલ્લી મુદત 30 સપ્ટેમ્બર 2020 છે. જ્યારે વર્ષ 2019-20ના અંતિમ 30 નવેમ્બર 2020 છે. જેમાં કોઇ વધારો કરાયો નથી. લોકસભામાં પસાર કરાયેલ બીલમાં કરવામાં આવતી અપીલ સ્ક્રુટીની એસેસમેન્ટ પર લાગુ પડતી જરૂરી મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ છે. વધારામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વાદ સે વિવાદ સ્કીમની મુદતમાં પણ વધારો કરાયો નથી. આમ વર્ષ 2018-19ના ઈન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત 30 સપ્ટેમ્બર 2020 રહેશે. જો કરદાતા આ મુદત પહેલા રિટર્ન નહીં ફાઇલ કરે તો રૂ. 10 હજાર પેનલ્ટી સાથે રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી આવી પડશે. આમ વર્ષ 2020-ના સમય ગાળાના રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદતમાં વધારો ન કરાતા કરદાતા અને ટેક્સ કન્સલ્ટન્ટને દંડની કાર્યવાહીથી બચવા 30 સપ્ટેમ્બર પહેલા ભરવું જરૂરી છે.
The post IT રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ન લંબાવાતા રોષ appeared first on News n Feeds.
]]>The post બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ appeared first on News n Feeds.
]]>જીવરાજપાર્ક-વેજલપુર રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાના પતિ કુરિયર કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ ત્રણ દિવસથી બીમાર રહેતા હોઈ પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેમણે તેમનાં સગાં-સંબંધી અને પુત્રના મિત્રવર્તુળમાં પૈસા માટે ફોન કરી મદદ માગી હતી. 17 સપ્ટેમ્બરે મહિલાએ તેમના પુત્રના આંબાવાડી ખાતે રહેતા મિત્ર કૌશલને ફોન કરી પતિ બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત હોવાનું કહી મદદ માગી હતી.
બીજા દિવસે કૌશલ મિત્રના ઘરે પહોંચ્યો હતો. મહિલા તેમના બેડરૂમમાં હતી. તેમના પતિ બીજા રૂમમાં હતા. ત્યારે પુત્ર તેના રૂમમાં સૂતો હતો. કૌશલ તેમની પાસે પહોંચ્યો અને રૂ. 300 આપી બોલ્યો તમે ચિંતા કરશો નહીં, હું તમારી જોડે છું. તમારે કેટલા પૈસાની જરૂર છે? મહિલાએ 10થી 15 હજારની જરૂર હોવાનું જણાવતાં કૌશલે હું મારા પપ્પાને વાત કરી વ્યવસ્થા કરી આપીશ તેમ જણાવ્યું હતું. બાદમાં મહિલાના શરીરનાં અંગ પર હાથ ફેરવવા લાગ્યો હતો.
તમે મારા પપ્પાને કે બીજા કોઈને આ વાત કરતા નહીં. જો તમે કોઈને વાત કરી તો હું તમારા દીકરાને જોઈ લઈશ એવી ધમકી કૌશલે આપી હતી. મહિલાએ પતિ અને પુત્રને વાત કરી હતી. બીભસ્ત માગણી કરતાં આરોપી કૌશલ વિરૂદ્ધ મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
The post બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’ appeared first on News n Feeds.
]]>The post દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત appeared first on News n Feeds.
]]>આ કાર્ડ રીડર એસબીઆઇ, એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કનાં છે. સુરતમાં ડિંડોલી અને લિંબાયતમાં બે લોકોનાં ખાતાંમાંથી પૈસા કાઢી લેવાના બનાવો સામે આવ્યા છે. બેન્કમાં પૂછપરછ કરતાં ખબર પડી કે આ પૈસા દિલ્હીમાં આઝાદનગરસ્થિત એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરાયા હતા. પોલીસે કાર્ડ રીડર ચોરીનો કેસ નોંધ્યો છે, પણ અત્યારસુધીમાં એકપણ આરોપી પકડાયો નથી. સાઇબર એક્સપર્ટનું કહેવું છે કે કાર્ડ રીડરમાં એટીએમમાંથી પૈસા કાઢનાર ગ્રાહકનો ડેટા સ્ટોર થયેલો હોય છે. આ ડેટા ટોળકીના હાથમાં જઈ શકે છે. ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં જાન્યુઆરી 2020માં આ બનાવ સામે આવ્યો હતો.
સુરતમાં 16 એટીએમ કાર્ડ રીડર ચોરી કરીને એમાં 64 જીબીનું મેમરી કાર્ડ લગાવી દેવાયું હતું. 10 એટીએમ ખોલીને જતા રહ્યા હતા, જેમાં લોકો એટીએમ કાર્ડ નાખે તો કાર્ડ અંદર પડી જતું હતું. ચોર સવારે બેન્ક ખૂલે એ પહેલાં એટીએમ કાર્ડ કાઢીને લઈ જતા. એટીએમમાંથી કાર્ડ રીડર કાઢવા માટે ડબલ પાસવર્ડ હોય છે. ચાવીઓ પણ હોય છે. તેથી ચોરી કરવી સરળ નથી હોતી. એક કાર્ડ રીડરની કેપેસિટી 120 કાર્ડની હોય છે, પણ ડેટા વાઇપ આઉટ થઈ જાય છે.
બિહાર-ઝારખંડમાં ટ્રેનિંગ અપાય છે
આરોપીઓ જાન્યુઆરી 2020માં સુરત આવ્યા હતા. કાર્ડ રીડર ચોરીનો પહેલો કેસ સામે આવ્યા બાદ તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. લૉકડાઉનમાં તેઓ અહીંથી જતા રહ્યા હતા. જુલાઈમાં પાછા આવીને અનેક એટીએમને ટાર્ગેટ કર્યા. તેઓ સ્કીમર બનાવવાના તથા લગાવવાનાં કામમાં નિપુણ છે. રીતુરાજ નામનો આરોપી ગ્રેજ્યુએટ છે, જ્યારે બાકીના 12 પાસ છે. તેઓ બિહારના ગયા જિલ્લાના ચોવાર ગામના છે. તે ઝારખંડના જામતાડા ગામ નજીક છે. અહીંથી જ એટીએમ ફ્રોડના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તેમને ગામમાં જ આ ટ્રેનિંગ અપાય છે.
સુરતમાં કાર્ડ રીડર ચોરીના બનાવો
મોડ્સ ઓપરેન્ડી: ATM ખોલીને મેગ્નેટિક ચિપ લગાવી દેવાય છે, પછી સૉફ્ટવેરથી ડુપ્લિકેટ કાર્ડ બનાવી લે છે
સુરતમાં પકડાયેલા આરોપી ટીમ બનાવીને એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ કરે છે. તેઓ ડુપ્લિકેટ ચાવીથી એટીએમનું હૂડ ખોલીને કાર્ડ રીડરની સાથે સ્કિમર મશીન લગાવી દેતા. એ પછી તેઓ પૈસા વિડ્રો કરનારાઓના કાર્ડનો ડેટા ચોરી લે છે. પૈસા કાઢતી વખતે એક આરોપી ત્યાં જ ઊભો રહે છે. ગ્રાહક જે પીન નંબર નાખે તેને એ પોતાના મોબાઇલમાં નોંધી લે છે. બાદમાં એટીએમમાંથી મળેલો ડેટા લેપટોપમાં લઈને મિની ટૂલ્સ સૉફ્ટવેર દ્વારા રાઇટર મશીનમાં ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી લે છે. ગેંગના સભ્યો સુરતમાં ભાડાના ઘરમાં રહેતા. તેઓ એટીએમ ખોલીને કાર્ડ રીડર પર મેગ્નેટિક ચિપ લગાવી દેતા. ચિપ લગાવ્યા બાદ બે જણ એટીએમની આસપાસ રહેતા. દર 15-20 મિનિટે એક જણ દૂર થઈ જતો અને તેની જગ્યાએ બીજો માણસ આવી જતો હતો.
એક્સપર્ટ વ્યૂ: કાર્ડ રીડર ચોરી થતાં ગ્રાહકો સાથે ચાન્સ વધી જાય છે
સાઇબર એક્સપર્ટ ડૉ. ચિંતન પાઠકના જણાવ્યા અનુસાર, કાર્ડ રીડર એટીએમ મશીનનો સૌથી મહત્ત્વનો ભાગ છે. એમાં એક મેગ્નેટિક ચિપ હોય છે, જેમાં યુઝર્સનો ડેટા હોય છે. ગ્રાહક કાર્ડ ઇન્સર્ટ કરે એટલે સર્વર સાથે કનેક્ટ થાય છે, જ્યાંથી ટ્રાન્ઝેક્શન થાય છે. કાર્ડ રીડરનું કામ એ છે કે તે કાર્ડને રીડ કરીને સર્વર સુધી પહોંચાડે. કાર્ડ રીડરની કેપેસિટી ફિક્સ નથી હોતી, માત્ર મશીનની જ કેપેસિટી હોય છે અને ડેટા રીરાઇટ પણ થઈ જાય છે. ધારો કે પહેલા દિવસે 500-600 લોકો એટીએમમાં આવ્યા હોય અને કાર્ડ રીડ કરાવ્યું હોય અને બીજા દિવસે 500 લોકો આવે છે તો પહેલા દિવસનો ડેટા રીરાઇટ થઈ જાય છે. ડેટા કાયમ માટે સ્ટોર નથી થતો, તેથી જ્યારે એટીએમમાંથી કાર્ડ રીડર ચોરી થાય છે ત્યારે તેના એક દિવસ અગાઉના ગ્રાહકો સાથે ફ્રોડ થવાના ચાન્સીસ વધી જાય છે. ગેંગમાં સૉફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર જેવા લોકો સામેલ છે, જેમને એટીએમની સારી જાણકારી હોય છે.
The post દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત appeared first on News n Feeds.
]]>The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.
]]>રાજ્યમાં ગુનેગારો પર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસે સૌથી પહેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ એક આરોપીને પાસા કરી અને ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી અલ્પેશ તોમરના સાઇબર ક્રાઇમના બે ગુના થતાં તેને શનિવારે પાસા ભરી જેલમાં મોકલી આપ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવવાનું શરૂ કર્યું છે.
આરોપીને જામીન મળતાં નવા કાયદા મુજબ પાસા રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કરી સાઇબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સામે પાસાની કાર્યવાહીનો વટહુકમ બહાર પાડ્યો છે અને એનું બિલ સંસદમાં આજે અથવા કાલે પાસ થવાનું છે, ત્યારે અમદાવાદની નારોલ પોલીસે આવા ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજ્યમાં સૌથી પહેલા પાસાનો ઓર્ડર કરી આરોપીને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવવાના ગુનામાં આરોપી અલ્પેશ તોમરની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બે ગુના કોલસેન્ટરના નોંધાયા હતા, જેથી તેને જામીન મળતાં જ નારોલ પોલીસે નવા કાયદા હેઠળ તેની સામે પાસા ભરી PCBમાં મોકલી આપી હતી. પાસાનો ઓર્ડર આવતાં જ નારોલ પોલીસે તેની ધરપકડ કરી ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો.
રાજ્યમાં ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) એટલે કે પાસાનો કાયદો 1985થી અમલી છે અને એમાં ગંભીર પ્રકારના ગુના આચરવાની આદત કે વૃત્તિ ધરાવતા અને આવા ગુના આચરતા લોકો સામે કલમો લગાડાય છે. આ ઉપરાંત આવી વૃત્તિ ધરાવનારા લોકોની જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ માત્રથી જ અટકાયતી પગલા સ્વરૂપે એક વર્ષ માટે ધરપકડ પણ કરી શકાય છે.
હવે આ ગુનામાં પાસાની જોગવાઈ
The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.
]]>The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.
]]>આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જિતાડી છે. ધોની એકમાત્ર કેપ્ટન છે, જેમણે CSKને 100 મેચ જિતાડી છે.
હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશીદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલોરમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, અડમ જંપા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર પણ છે.
પિચ અને મોસમ રિપોર્ટઃ દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાને કારણે સ્પિનર્સને પણ અનુકૂળતા રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી 62 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો સક્સેસ રેટ 56.45 ટકા રહ્યો છે.
હેડ-ટુ-હેડ
બંનેની વચ્ચે અત્યારસુધીમાં 15 મેચ રમાઈ છે. એમાંથી હૈદરાબાદે 8 અને બેંગલોરે 6 મેચ જીતી છે. 1 મેચ કોઈપણ પરિણામ વગરની રહી છે. ગત બંને સીઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.
વોર્નર અને વિલિયમ્સન હૈદરાબાદના મજબૂત બેટ્સમેન
હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.
કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર
RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડી વિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.
The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.
]]>The post ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક appeared first on News n Feeds.
]]>અમે તૈયાર કરેલા લિસ્ટમાં 39 ઈંચથી લઈને 50 ઈંચના ટીવી સામેલ છે. આ ટીવી પર 32%થી લઈ 58% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ તમામ ટીવીની કિંમત 19,000 રૂપિયાથી પણ ઓછી છે. તો ચાલો આ ડીલ્સ પર એક નજર કરીએ…
JVCનું 39 ઈંચનું ટીવી
આ ટીવીની MRP 29,999 રૂપિયા છે. આ સેલમાં ટીવીની ખરીદી 12,000 રૂપિયામાં કરી શકાશે. અર્થાત ટીવી પર 56%નું ડિસ્કાઉન્ટ મળશે. તમને 17 હજાર રૂપિયાનો ફાયદો થશે.
ડીલ નંબર 2
BPLનું 39 ઈંચનું ટીવી
આ ટીવીની MRP 19,990 રૂપિયા છે. તેના પર 39% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન તેની ખરીદી 12,999 રૂપિયામાં કરી શકાશે.
ડીબ નબંર 3
કોડકનું 40 ઈંચનું ટીવી
ટીવીની MRP 23,990 રૂપિયા છે, પરંતુ હાલ તેના પર 41%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલ દરમિયાન ટીવી 13,999 રૂપિયામાં ખરીદી શકાશે.
ડીલ નંબર 4
MarQનું 43 ઈંચનું ટીવી
હાલ આ ટીવી સેલ દરમિયાન 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેની MRP 30,999 રૂપિયા છે. અર્થાત ટીવી પર 58%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
ડીલ નબંર 5
થૉમસનનું 50 ઈંચનું ટીવી
ટીવીની MRP 27,999 રૂપિયા છે, પરંતુ તેને હાલ સેલમાં 18,999 રૂપિયામાં ખરીદી શકાશે. ટીવી પર કંપની 32%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
આ ઓફર મળશે
The post ફ્લિપકાર્ટ સેલ:43 ઈંચનું LED ટીવી 12,999 રૂપિયામાં તો 50 ઈંચનું 18,999 રૂપિયામાં ખરીદવાની તક appeared first on News n Feeds.
]]>The post ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે appeared first on News n Feeds.
]]>હવે તેલની સ્થિતિ અગાઉ જેવી નહીં રહે. સાઉદી અરબ જેવા પેટ્રો દેશોને ખર્ચ ચલાવવા માટે તેલની કિંમત 70-80 ડોલર બેરલ હોવી જોઈએ. આજે તેલની કિંમત 40 ડોલર બેરલની આસપાસ છે. બદલાયેલા વાતાવરણમાં સ્વચ્છ ઊર્જા તરફ સૌ વળ્યા છે. ચાલુ વર્ષે સ્વચ્છ ઊર્જા આધારિત કંપનીઓના શેર 45% વધ્યા છે. જળવાયુ પરિવર્તનને કારણે લોકો જાગૃત થયા છે. યુરોપિયન યુનિયને કોવિડ-19થી બચાવમાં પોતાની 880 અબજ ડોલરની યોજનાના 30% જળવાયુ પરિવર્તન ઉપાયો માટે રાખ્યા છે.
21મી સદીની એનર્જી સિસ્ટમ તેલ યુગની સરખામણીએ માનવીય આરોગ્ય માટે સારી હશે. રાજકીય સ્થિરતા વધુ રહેશે, અર્થતંત્ર ઓછું અસ્થિર બનશે. જોકે, આ પરિવર્તનની સાથે મોટા જોખમ જોડાયેલા છે. જો અરાજકતા ફેલાઈ તો તેલ પર આધારિત દેશોમાં રાજકીય, આર્થિક અસ્થિરતા પગ ફેલાવશે. ગ્રીન અનર્જી સપ્લાય ચેન પર ચીનનો દબદબો બની જશે.
આજે, 85% ઊર્જાનો સ્રોત અશ્મીભૂત ઈંધણ છે. તેનાથી વિશ્વમાં બે તૃતિયાંશ ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન થાય છે. ઈંધણના સળગવાથી 40 લાખથી વધુ લોકો દર વર્ષે મરી જાય છે. તેલે રાજકીય અસ્થિરતા પેદા કરી છે. અનેક દાયકાઓથી વેનેઝુએલા અને સાઉદી અરબ જેવા દેશ જનતાને મફત સુવિધાઓ આપવાની રાજનીતિ પર આશ્રિત છે. તેમણે પોતાના અર્થતંત્રના વિકાસનો પ્રયાસ જ કર્યો નથી. આ દેશો પર મહાસત્તાઓનો પ્રભાવ છે. તેલનું બજાર ગઠબંધનથી ચાલે છે. 1970 પછી 62 વખત છ મહિના જેટલા સમય માટે તેલની કિંમતોમાં 30% જેટલો ઉતાર-ચઢાવ આવ્યો છે.
સ્વચ્છ ઊર્જા સ્રોતની ટેક્નોલોજી બાબતે પ્રભુત્વના કારણે સરમુખત્યાર ચીનનો દબદબો થોડા સમય માટે વધી જશે. અત્યારે ચીનની કંપનીઓ સોલર એનર્જીની 72% સિસ્ટમ, 69% લિથિયમ બેટરી અને 45% વિન્ડ ટરબાઈન બનાવે છે. સ્વચ્છ ઉર્જા માટે મહત્ત્વપૂર્ણ કોબાલ્ટ અને લિથિયમ જેવા ખનિજોના ખાણકામ પર પણ તેનું નિયંત્રણ છે. ચીન આગળ જતાં પેટ્રો દેશના બદલે ઈલેક્ટ્રો દેશ બની જશે. તેણે છેલ્લા 6 મહિનામાં ઈલેક્ટ્રિક કારોના નિર્માણમાં રોકાણ કર્યું છે. પાકિસ્તાનમાં પરમાણુ વીજળીઘર બનાવ્યું છે.
The post ધ ઈકોનોમિસ્ટમાંથી:ગ્રીન એનર્જી તરફ આગળ વધતી દુનિયામાં મોટાં પરિવર્તનની સંભાવના, થોડા સમય માટે ચીનનો દબદબો વધશે appeared first on News n Feeds.
]]>