Home Gujarati મોરબીમાં મસાલો લેવા જવાની ના કહેતા યુવાનને તેના જ બે મિત્રોએ લોખંડના...

મોરબીમાં મસાલો લેવા જવાની ના કહેતા યુવાનને તેના જ બે મિત્રોએ લોખંડના પાઇપથી માર માર્યો

96
0


હાલ લોકડાઉનમાં લોકો સુધઈ મસાલા પહોંચાડવા માટે બે યુવાને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોનનો ટીકટોક વીડિયો વાઇરલ કરી જાહેરાત કરી હતી. જો કે, પોલીસે બંને યુવાનની ધરપકડ કરી હતી. ત્યારે મસાલા બાબતે બે મિત્રોએ યુવાનને માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા દિવ્યરાજસિંહ કિરીટસિંહ જાડેજા નામના યુવાનને તેના બે મિત્રો મનોજ અને કાનાએ માર માર્યો હતો. આથી દિવ્યરાજસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બાદમાં બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોતાના બંને મિત્રોએ લોખંડના પાઇપથી માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મોરબી બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી (ફાઇલ તસવીર)