અમદાવાદનુ લો ગાર્ડન અને રાણીના હજીરાનું માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે. અહી લોકો અમદાવાદ અને બહારથી પણ ખરીદી કરવા આવે છે. નવરાત્રિમાં દરમિયાન અહી દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે સાવ સૂનકાર વ્યાપી રહ્યો છે.
The post નવરાત્રિના કોસ્ચ્યુમનો રૂપિયા 200 કરોડનો ધંધો આ વરસે ઠપ, એકલા ગારમેન્ટ સેક્ટરને 60-70%નું નુકસાન થયું appeared first on News n Feeds.
]]>ગરબા પરના પ્રતિબંધથી ખેલૈયાઓ નિરાશ થયા તો રાજ્યના ગારમેન્ટ, એસેસરીઝ બિઝનેસને પણ માતબર ખોટ થઈ
ગુજરાત સરકારે આ વર્ષે નવરાત્રિમાં જાહેર ગરબા આયોજનો પર પ્રતિબંધ મૂક્યો એ અગાઉથી જ અમદાવાદના ઘણા વેેપારીઓએ ૨થી ૩ લાખનો સામાન ભરી રાખ્યો હતો. પણ આજે સ્થિતિ એ છે કે આ માલનો લેવાલ શોધ્યો જડતો નથી. વેપારીઓ માલ વેચવા માટે ઑનલાઇન મુકે છે. લોકો ઈન્કવાયરી કરે છે પણ ખરીદતા નથી. કેટલાક વેપારીઓ જણાવે છે કે આ નોરતે હજાર રૂપિયાનો ધંધો પણ થતો નથી. જાણકારો અને વેપારીઓનું માનીએ તો, ગુજરાતમાં નવરાત્રિમાં કપડામાં વેપારીઓ 200 કરોડ રૂપિયાથી પણ વધારે ધંધો કરતા હોય છે. એકલા અમદાવાદમાં જ રેડીમેડ કપડાનો 30 કરોડ રૂપિયાનો ધંધો થતો હોય છે. આ વર્ષે ગરબા મોકૂફ રહેતા મફતના ભાવે ચણિયા ચોળી વેચવાનો વારો આવ્યો છે.
અમદાવાદમાં રાણીમા હજીરા પાસે વેપાર કરતાં અનિલ દરજી કહે છે કે, કોરોનાની મહામારીને કારણે આ વર્ષે નવરાત્રિમાં બિઝનેસ નથી બરાબર છે. સામાન્ય રીતે નવરાત્રિમાં 7 લાખ કે તેનાથી વધુ ધંધો થતો હોય છે. જ્યારે આ વખતે હિંમત કરી રૂપિયા બે લાખનો માલ તૈયાર કર્યો લેવા કોઈ આવતું નથી, ફક્ત ઓનલાઈન ઈન્કવાયરી કરે છે. અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે નવરાત્રિના વેપારમાંથી જ આખા વર્ષનો ખર્ચ નીકળી જતો હતો પણ આ વર્ષે એ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. એવા અનેક ગ્રાહકો રહેતા જે માસ્તર કોસ્ચ્યુમ અને એસેસરીઝ પાછળ 50-60 હજાર રૂપિયા ખર્ચતા પણ આ વખતે આવા કોઈ ગ્રાહક રહ્યા નથી.
ડિઝાઈનર્સનું કહેવું છે કે આ વર્ષે તેમનો એક્સપોર્ટનો બિઝનેસ સૌથી વધુ છે. વિદેશમાં વસતા ગુજરાતીઓનો આ વર્ષે સૌથી વધુ ઓર્ડર આવ્યા છે. જેમાં કચ્છી અને સેમી કચ્છી વર્કનાં ચણિયા ચોળી વધુ લોકોએ ખરીદવા પસંદ કર્યા છે. હવે એસેસરિઝનાં બિઝનેસને જોઈએ નવરાત્રિમાં નવ દિવસ માટે લોકો ઓક્સોડાઈઝ અને કાપડમાંથી તૈયાર થતી જ્વેલરી ખરીદવી પસંદ કરતા હતા. આ જ્વેલરી નવરાત્રિ સિવાય અન્ય ટ્રેડિશનલ આઉટફિટમાં પહેરી શકાય તેવી હોય છે. ગારમેન્ટ બિઝનેસમાં જ્યારે 60 થી 70 ટકાનો ઘટાડો છે ત્યારે એસેસરીઝના વેપારીઓની હાલત પણ કફોડી બની છે.
આ રીતે સેટ થતી હોય છે ફૂલ એસેસરીઝ
હેન્ડવર્ક કોસ્ચ્યુમ મોંઘા હોય છે. તેમાં પણ દુપટ્ટામાં કરાતા વર્કની કિંમતનો એક પેચ 5000 રૂપિયાનો હોય છે. જેટલુ ઝીણું વર્ક લો કે વધારે વર્ક લો એટલી કોસ્ટિંગ વધે છે. તો ગળામાં પહેરાતા સેટની કિંમત 5000ની હોય છે. જો બાજુ બંધ, કંદોરો, હાથ અને પગનાં પોહોંચોની, નથણી, બુટી, ટીકો વગેરેની કિંમત 8000થી શરૂ થતાં હોય છે.
અમદાવાદમાં જ ચણિયાચોળી વેપારનું ટર્ન ઓવર રૂ.5 કરોડ
ચણિયા ચોળીની વાત આવે એટલે તરત જ અમદાવાદમાં પહેલાં લૉ-ગાર્ડનનું નામ આવે છે. પછી, માણેકચોક અને રાણીનો હજીરો આવે છે. અહીં વર્ષોથી ચણિયા ચોળી વેચાતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નવરાત્રીના આયોજન રદ થતા અમદાવાદીઓના નવરાત્રી બજારના વેપારીના વેચાણમાં 5 કરોડનો ફટકો પડ્યો છે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ચણિયા ચોળીનું વેચાણ કરતા 100 જેટલા વેપારીઓ હાલ મંદીનો સામનો કરી રહ્યાં છે.
ચણિયા ચોળી 8થી 15 હજારની, હેન્ડવર્ક વધુ હોય તો 25 હજાર
અમે છેલ્લા ઘણા વર્ષોથી હેન્ડીક્રાફ્ટનાં આઉટફિટ તૈયાર કરીએ છીએ. જેમાં કચ્છી અને સેમી કચ્છી વર્કનો ચણિયા ચોળી તૈયાર કરીએ છીએ. આ ચણિયા ચોળીની કિંમત રૂપિયા 8 હજારથી શરુ થઈને 15 હજાર સુધીની હોય છે. પણ જો હેન્ડવર્ક વધુ કરાવું હોય તો 25 હજાર પણ થાય છે. આ વખતે ગુજરાત કરતા દિલ્હી અને મુંબઈ તરફ વઘુ એક્સપોર્ટ થયા છે. અમે 50 કારીગરો પાસે હેન્ડવર્ક કરાવી કચ્છી વર્ક શરૂ કરીએ છીએ. આ વર્ષે 30 થી 40 ટકાનો ઘટાડો છે. – યોગિતા અને મેઘલ પટેલ, મેઘ ક્રાફ્ટ, આર્ટિસન ડિઝાઈનર
માત્ર કેડિયા પાછળ 35 હજારનો ખર્ચ કરતા
સામાન્ય રીતે નવરાત્રિમાં કેડિયું કરાવવા લોકો ૩૫ હજાર ખર્ચી નાખે છે અને ચણીયા ચોળીનો આખો સેટ એસેસરીઝ સાથે 50થી 60 હજારમાં બનતો હોય છે.આ વર્ષે કોઈ માર્કેટ ના હોવાથી કોઈ ઓર્ડર પણ મળ્યા નથી. ઈન્કવાયરી આવી હતી પણ તેઓ પણ સરકારની ગાઈડલાઈનની રાહ જોતા હતા. – રાઘિકા મારફતિયા, કસ્ટમાઈઝ ડિઝાઈનર
The post નવરાત્રિના કોસ્ચ્યુમનો રૂપિયા 200 કરોડનો ધંધો આ વરસે ઠપ, એકલા ગારમેન્ટ સેક્ટરને 60-70%નું નુકસાન થયું appeared first on News n Feeds.
]]>The post નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં appeared first on News n Feeds.
]]>નવરાત્રી (Navratri 2020)ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીની પૂજા-આરતી તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની મંજૂરી (Police Permission for Navratri 2020) લેવી પડશે. જેના અનુસંધાને નવરાત્રી પહેલા પોલીસ સ્ટેશનોમાં મંજૂરી માટે લાઇનો લાગી ગઈ હતી. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો (Public Places) પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે. એટલે કે સોસાયટીઓ કે ફ્લેટના પરિસરોમાં મૂર્તિની સ્થાપના માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.
આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસ મંજૂરી ફરજિયાત છે. જે બાદમાં સોસાયટી અને એપોર્ટમેન્ટ ધારકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ સાથે જ લોકોએ આ માટેની મંજૂરી લેવા માટે પોલીસ સ્ટેશનોમાં લાઇનો લગાવી દીધી હતી. આજે સરકારે સોસાયટી અને ફ્લેટ પરિસરોમાં મંજૂરી જરૂરી ન હોવાનું કહેતા લોકોને મોટી રાહત થઈ છે. જોકે, આ સાથે સરકારે જાહેર કરેલી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની અન્ય તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
The post નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં appeared first on News n Feeds.
]]>The post નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે appeared first on News n Feeds.
]]>ગુજરાત સરકારે ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આવામાં સૌથી કફોડી હાલત વેપારીઓની થઈ છે. કારણ કે, તેમની આખા વર્ષની આવક નવરાત્રિ પર નિર્ભર હોય છે. અમદાવાદમાં લો ગાર્ડન અને રાણીનો હજીરો નવરાત્રિ (navratri) ની ખરીદીનું મોટુ માર્કેટ છે. ત્યારે આવામા આ વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસ્યા છે. જ્યાં નવરાત્રિમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી ત્યાં હવે કોરોનાને કારણે કોઈ પગ મૂકવા તૈયાર નથી.
નવરાત્રિની ખરીદી માટે જાણીતા લોગાર્ડન માર્કેટ પર મંદીના વાદળ છવાયા છે. લો ગાર્ડનની લેનમાં વેપારીઓ સાવ નવરાધૂપ બેસી રહ્યાં છે. કોરોનાને કારણે ધંધો ભાંગી પડ્યો છે. નવરાત્રિની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકતા માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા કોઈ જ આવી નથી રહ્યું. માર્કેટમાં 90 થી 80 ટકા ધંધામાં નુકસાન થઈ રહ્યું છે.
વેપારીઓનું કહેવુ છે કે, અમે ઉછીના રૂપિયા લાવી માલ ભર્યો છે. નવરાત્રિની ઉજવણી કેન્સલ થતા હવે રોવાનો વારો આવ્યો છે. સરકારને માત્ર એટલી વિનંતી છે કે, નવરાત્રિને મંજૂરી આપે અથવા તો અમને આર્થિક સહાય આપે. જેથી અમારા ઘરનું ગુજરાન ચાલે. ચોમાસું અને કોરોનાના કારણે ધંધો પડી ભાંગ્યો છે.
કોરોનાની અસર બધા બજારો પર જોવા મળી છે. જેમાં અમદાવાદનું રાણીના હજીરાનું માર્કેટ પણ બાકાત નથી. નવરાત્રિ માટે ખૂબ જાણીતા માર્કેટ રાણીના હજીરામાં બિલકુલ ખરીદી કરવા કોઈ ગ્રાહક આવી નથી રહ્યાં. વેપારીઓને 75 ટકા વેપારમાં મદી જોવા મળી રહી છે. જોકે, હજીરાના વેપારીઓ સરકારે કરેલ નવરાત્રિ પરના પ્રતિબંધના નિર્ણયને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે, સરકારનો કોરોનાને લઈ નિર્ણય તે યોગ્ય છે.
જોકે બીજી તરફ રાણીના હજીરાના વેપારીઓ એમ પણ કહી રહ્યા છે કે, હાલ ઘરનો ખર્ચની સાથે દુકાનનો ખર્ચ નીકળવામાં તકલીફ પડી રહી છે.
અમદાવાદનુ લો ગાર્ડન અને રાણીના હજીરાનું માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે. અહી લોકો અમદાવાદ અને બહારથી પણ ખરીદી કરવા આવે છે. નવરાત્રિમાં દરમિયાન અહી દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે સાવ સૂનકાર વ્યાપી રહ્યો છે.
The post નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે appeared first on News n Feeds.
]]>The post નવરાત્રીમાં ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જાણી લો દર્શનનાં સમયમાં થયેલો ફેરફાર appeared first on News n Feeds.
]]>તમને જણાવીએ કે, પ્રથમ નોરતા, 17 ઓક્ટોબરનાં દિવસે, અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનનો સમય સવારે 8:15થી 9: 00 છે.નવરાત્રી આઠમના દિવસે સવારે 6 વાગે આરતી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રેસનોટ જાહેર કરીને જાહેર જનતા માટે આ માહિતી આપવામાં આવી છે.
અંબાજી મંદિરમાં સવારે આરતી 7:30 વાગે થશે.
સાંજે આરતી 6:30 વાગે થશે.
બપોરે મંદિર 4:15 વાગે બંધ થશેઅંબાજી મંદિર નવરાત્રી દર્શન સમય
સવારે આરતી 7:30 થી 8
સવારે દર્શન 8 થી 11:30
બપોરે રાજભોગ 12 વાગે
બપોરે દર્શન 12:30 થી 4: 15
સાંજે આરતી6:30 થી 7:00
સાંજે દર્શન 7 થી 9
રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.
The post નવરાત્રીમાં ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જાણી લો દર્શનનાં સમયમાં થયેલો ફેરફાર appeared first on News n Feeds.
]]>The post નવરાત્રિ થશે કે નહીં??? appeared first on News n Feeds.
]]>કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.
નોરતાના આયોગન અંગે સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરી નવરાત્રિ પહેલા જાહેરાત કરશેઃ નીતિન પટેલ
નીતિન પટેલે આગળ કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી.
નવરાત્રિ ગાઈડ લાઈનમાં આ બાબતો ફરજિયાત થઈ શકે
નાયબ મુખ્યમંત્રીના નવરાત્રિને છૂટ આપવાના સંકેત મુજબ, જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, મેદાનની લંબાઇ, પહોળાઈ, માસ્ક કે ફેસશિલ્ડ પહેરી રમવું, નેપકીન ફરજિયાત, પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રિ ગાઇડ લાઇન આવી શકે છે.
મંજૂરી માટે ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી પર દબાણ વધાર્યું
રાજ્યમાં નવરાત્રિ અંગે હજુ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ માંગ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિ કાર્યક્રમ કરવા દેવા જોઇએ. જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. અનલોક–4માં ઘણી બધી રાહતો આપવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મહિનાના અતં સુધીમાં કોઇ નિર્ણય લેવો જોઇએ.
બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી હોવાથી નવરાત્રિને મંજૂરી મળવી જોઈએઃ ગરબા એસો.
એક તરફ ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના કલાસ તેમજ નવરાત્રિના આયોજનને મંજૂરી આપવી જોઇએ. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે છતાં સરકારે કોઇ સ્પષ્ટતા હજી સુધી કરી નથી. ગત મહિને જ્યારે ઇવેન્ટ સંચાલકો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અતં સુધીમાં સરકાર નવરાત્રી અંગે નિર્ણય લેશે.
અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છેઃ સાંસ્કૃતિક વિભાગના એક અધિકારી
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.
નવરાત્રિ માટેની 5 સંભવિત શરતો
बिदाई फेम एक्ट्रेस सारा खान निकलीं कोरोना पॉजिटिव, हुईं होम क्वारनटीन
The post નવરાત્રિ થશે કે નહીં??? appeared first on News n Feeds.
]]>