The post દિવાળી પહેલા ફટાકડાં પર પ્રતિબંધ:દિલ્હી-NCRમાં આજે રાતે 12 વાગ્યે ફટાકડાં પર પ્રતિબંધ, NGTએ 30 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો appeared first on News n Feeds.
]]>જે શહેરોમાં એર ક્વોલિટી સારી , ત્યાં પ્રદુષણ રહિત ફટાકડાંઓ માટે છૂટ
NGTના આદેશ પ્રમાણે, જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી મોડરેટ અથવા તેનાથી નીચેના લેવલ પર છે, ત્યાં પ્રદુષણ રહિત ફટાકડાં વેચવાની છૂટ અપાઈ છે. પરંતુ દિવાળી, છઠ, ક્રિસમસ, નવા વર્ષ જેવા અવસરો પર માત્ર 2 કલાક ફટાકડાં ફોડવાની છૂટ હશે. આ 2 કલાક રાજ્ય સરકાર તરફથી નક્કી કરેલા સમય પ્રમાણે હશે. જો રાજ્ય તરફથી કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નહીં હોય તો દિવાળી અને ગુરુપર્વ પર રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને છઠ પર સવારે 6થી 8 વાગ્યા સુધી રહેશે.
જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી સારી છે, ત્યાં ફટાકડાં પર પ્રતિબંધ ઓપ્શનલ હશે. લોકલ ઓથોરિટી ઈચ્છે તો તેમના હિસાબથી ગાઈડલાઈન્સ નક્કી કરીને પ્રતિબંધ લગાવી શકે છે. કોરોનાના કેસ વધવાની આશંકાને ધ્યાનમાં રાખતા NGTએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, કોઈ પણ સોર્સથી થતા પ્રદુષણને અટકાવવા માટે વિશેષ મુહિમ ચલાવો.
The post દિવાળી પહેલા ફટાકડાં પર પ્રતિબંધ:દિલ્હી-NCRમાં આજે રાતે 12 વાગ્યે ફટાકડાં પર પ્રતિબંધ, NGTએ 30 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો appeared first on News n Feeds.
]]>The post અંતિમ સફર :મુંબઈ ડોક પરથી INS વિરાટ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ આવવા માટે રવાના appeared first on News n Feeds.
]]>અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 (શ્રી રામ ગ્રીન શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ) ખાતે જહાજને ખેંચવા માટેની વિંચ, ચેઇન, કપ્પા સહિતના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે. શિપને મુંબઇથી અલંગ એન્કરેજ સુધી પહોંચવા માટે 5 દિવસ લાગશે. કસ્ટમ્સ, GMB, GPCB સહિતની સરકારી કામગીરીઓ ત્વરીત કરી શકાય તેના માટે સંકલન સાધવામાં આવ્યું છે. મહત્વનું છે કે અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 દ્વારા ઓનલાઇન ઓક્શનમાં 38.45 કરોડ રૂપિયાની કિંમતે INS વિરાટ ખરીદી લીધું છે.
ભારતીય નૌસેનાનું જહાજ INS વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. INS વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજું વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી અને આ પહેલાં તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. તેનું હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું, જેનો મતલબ થાય છે કે જેનો સમુદ્ર પર કબજો છે એ જ સૌથી વધુ બળવાન છે.
વર્ષ 1987થી 2016 સુધી સતત દેશની રક્ષામાં કાર્યરક હતું
18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું હતું અને 23 જુલાઇ 2016ના અંતિમ સફર ખેડી હતી. નેવી યુદ્ધ જહાજ તરીકે સૌથી વધુ 56 વર્ષ સેવા આપનાર INS વિરાટ ભારતમાં 30 વર્ષ સુધી સેવામાં રહીને કારગીલ જેવા યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અલંગ શિપ યાર્ડના ઈતિહાસમાં સૌથી મોટું INS વિરાટ યુદ્ધ જહાજ બ્રેકીંગ માટે આવશે.
INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગશે
INS વિરાટએ અલંગ ખાતે ભંગાણ માટે આવનારૂ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, UKનું નેવી જહાજનું અગાઉ બ્રેકીંગ કરેલ, તે ઉપરાંત અન્ય વિદેશી જહાજોને ભાંગવાનો બહુળો અનુભવ છે. INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગી શકે છે.
ભારત પછી ચીનની તાઈવાનમાં ઘુસણખોરી:ચીનના 18 ફાઈટર જેટ્સે તાઈવાનની સીમામાં ઉડાન ભરી
The post અંતિમ સફર :મુંબઈ ડોક પરથી INS વિરાટ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ આવવા માટે રવાના appeared first on News n Feeds.
]]>The post નવરાત્રિ થશે કે નહીં??? appeared first on News n Feeds.
]]>કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.
નોરતાના આયોગન અંગે સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરી નવરાત્રિ પહેલા જાહેરાત કરશેઃ નીતિન પટેલ
નીતિન પટેલે આગળ કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી.
નવરાત્રિ ગાઈડ લાઈનમાં આ બાબતો ફરજિયાત થઈ શકે
નાયબ મુખ્યમંત્રીના નવરાત્રિને છૂટ આપવાના સંકેત મુજબ, જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, મેદાનની લંબાઇ, પહોળાઈ, માસ્ક કે ફેસશિલ્ડ પહેરી રમવું, નેપકીન ફરજિયાત, પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રિ ગાઇડ લાઇન આવી શકે છે.
મંજૂરી માટે ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી પર દબાણ વધાર્યું
રાજ્યમાં નવરાત્રિ અંગે હજુ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ માંગ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિ કાર્યક્રમ કરવા દેવા જોઇએ. જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. અનલોક–4માં ઘણી બધી રાહતો આપવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મહિનાના અતં સુધીમાં કોઇ નિર્ણય લેવો જોઇએ.
બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી હોવાથી નવરાત્રિને મંજૂરી મળવી જોઈએઃ ગરબા એસો.
એક તરફ ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના કલાસ તેમજ નવરાત્રિના આયોજનને મંજૂરી આપવી જોઇએ. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે છતાં સરકારે કોઇ સ્પષ્ટતા હજી સુધી કરી નથી. ગત મહિને જ્યારે ઇવેન્ટ સંચાલકો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અતં સુધીમાં સરકાર નવરાત્રી અંગે નિર્ણય લેશે.
અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છેઃ સાંસ્કૃતિક વિભાગના એક અધિકારી
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.
નવરાત્રિ માટેની 5 સંભવિત શરતો
बिदाई फेम एक्ट्रेस सारा खान निकलीं कोरोना पॉजिटिव, हुईं होम क्वारनटीन
The post નવરાત્રિ થશે કે નહીં??? appeared first on News n Feeds.
]]>