The post ‘अगर भारत, श्रीलंका की तुलना गलत है, तो क्यों…’: सर्वदलीय बैठक के बाद ओवैसी की चुटकी appeared first on News n Feeds.
]]>ओवैसी का कहना है कि भारत को यह नहीं भूलना चाहिए कि श्रीलंका में अल्पसंख्यकों की उपेक्षा स्थानिक है।
जैसा कि विदेश मंत्री एस जयशंकर ने सर्वदलीय बैठक में कहा कि भारत उसी तरह जा सकता है जैसे श्रीलंका गलत है, एआईएमआईएम सांसद असदुद्दीन ओवैसी ने पूछा कि आर्थिक मामलों के विभाग ने प्रस्तुति क्यों दी, ओवैसी ने कहा, राज्य के आर्थिक स्वास्थ्य का राजनीतिकरण।
सर्वदलीय बैठक मंगलवार को संसद में बुलाई गई थी, जहां वित्त मंत्री ने श्रीलंका संकट पर चर्चा के लिए बुलाई गई बैठक में क्षेत्रीय दलों की आलोचना करने वाले राज्यों के वित्तीय स्वास्थ्य पर एक प्रस्तुति दी थी, मंत्रालय के अधिकारियों ने ‘बजट’ की बात की थी। कुछ राज्यों की गैर-बजटीय उधारी। सरकार ने बाद में स्पष्ट किया कि यह प्रस्तुति राजकोषीय नासमझी और मुफ्त उपहारों के बुरे परिणामों को रेखांकित करने के लिए की गई थी। वाईएसआर कांग्रेस, टीआरएस, टीएमसी, डीएमके ने बैठक में प्रस्तुति पर आपत्ति जताई और कहा कि वे ‘असंबंधित मुद्दे’ थे।
The post ‘अगर भारत, श्रीलंका की तुलना गलत है, तो क्यों…’: सर्वदलीय बैठक के बाद ओवैसी की चुटकी appeared first on News n Feeds.
]]>The post Tata Nexon EV gets more features, rebranded as Nexon EV Prime appeared first on News n Feeds.
]]>
Roughly two years after it was first introduced, the Tata Nexon EV has been rebranded as Tata Nexon EV Prime. Aside from the revised nomenclature, it also gets new features, some of which debuted with the bigger battery Nexon EV Max variant launched in May 2022.
The post Tata Nexon EV gets more features, rebranded as Nexon EV Prime appeared first on News n Feeds.
]]>The post એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ appeared first on News n Feeds.
]]>‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા ઘણા મ્યુઝિક વીડિયોમાં દેખાઈ રહ્યો છે. તેના આગામી પ્રોજેક્ટમાં તે નેગેટિવ રોલમાં છે અને તેના માટે પારસે વજન વધારવું પડ્યું હતું. ઘણી મહેનત કર્યા પછી વજન વધાર્યું પણ પારસને ઘણી ખરાબ કમેન્ટ્સ મળી હતી તેની મેન્ટલ હેલ્થ પર ઘણી અસર પડી હતી.
મેન્ટલ હેલ્થ પર વાત કરતા પારસે જણાવ્યું કે, ‘મારે મારા છેલ્લા પ્રોજેક્ટ માટે વજન વધારવું પડ્યું હતું. વજન વધારવાની આખી પ્રોસેસ ઘણી મુશ્કેલ હતી. નેચરલ રીતે વજન વધારવું અને જાણીજોઈને વધારવું બંને અલગ વસ્તુ છે. આ પ્રોસેસથી મારા પર ઘણી ખરાબ અસર થઇ. આ બધાથી ઉપર લોકોએ જે રીતે મને નફરત કરી તેનાથી શોકમાં હતો. તેનાથી મારી મેન્ટલ હેલ્થ પર ઘણી ખરાબ અસર પડી અને હું એન્ગ્ઝાયટીનો શિકાર થયો.’
આગામી પ્રોજેક્ટમાં રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિરા શર્મા સાથે દેખાવાનો છે. તેમાં પારસ નેગેટિવ રોલમાં છે. આ પહેલાં પારસ અને માહિરા ‘બારિશ’, ‘હૈશ-ટેગ લવ’ અને ‘રિંગ’ સોન્ગમાં દેખાયા હતા.
પારસ ‘બિગ બોસ 13’માં માહિરા સાથે ક્લોઝ થવાના કારણે ઘણો ચર્ચામાં હતો. શો દરમ્યાન જ પારસે જૂની ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બંનેએ એકબીજાના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું જેને બંનેએ રિમૂવ પણ કરાવી દીધું છે. શોની બહાર આવ્યા બાદ જ પારસ, માહિરા શર્માને ડેટ કરી રહ્યો છે.
The post એન્ગ્ઝાયટીનો શિકાર થયો ‘બિગ બોસ 13’ ફેમ પારસ છાબરા, કહ્યું- ‘લોકોની નફરત જોઈને મારી મેન્ટલ હેલ્થ પર અસર થઇ હતી’ appeared first on News n Feeds.
]]>The post કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ appeared first on News n Feeds.
]]>કેનેડા (Canada)ના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદ (Hyderabad)ના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હૈદ્રાબાદમાં વનસ્થલીપુરમ નિવાસી પાન્યમ અખિલ ઇમારતની 27મા માળે રહેતો હતો અને કથિત રીતે પોતાના ફોન પર વાત કરતાં નીચે પડી ગયો હતો.
તેમના પરિવાર સુધી જાણકારીના અનુસાર, આ ઘટના 8 નવેમ્બરના થઇ હતી. તે કથિત રીતે ફોન પર વાત કરતાં પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની પરથી પડી ગયો હતો. કેનેડામાં તેમના મિત્રોએ તેમના પરિવારને આ ઘટનાની જાણકારી આપી. અખિલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. પ્રથમ વર્ષ પુરૂ કર્યા બાદ તે આ વર્ષે માર્ચમાં પોતાના ઘરે પણ આવ્યો હતો અને તે ગત મહિને જ કેનેડા પરત ફર્યો હતો.
અખિલના પરિવારે તેલંગાણાના મંત્રી કે.ટી. રામા રાવને અપીલ કરી હતી કે તેની લાશને હૈદ્વાબાદ લાવવામાં મદદ કરે. તેમના કાકા બાબજીએ રામા રાવને મદદ માટે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે મારા ભાઇના પાન્યમ અખિલ સાથે કેનેડામાં ટોરેન્ટોમાં એક આકસ્મિક દુર્ઘટના ઘટી છે. આ વાતને સમજી શકતા નથી કે તેમની લાશને હૈદ્વાબાદ કેવી રીતે લાવવામાં આવે, કૃપિયા લાશને હૈદ્રાબાદ લાવવામાં મદદ કરે. કૃપિયા દુખની આ ઘડીમાં અમારી મદદ કરો સર.
The post કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ appeared first on News n Feeds.
]]>The post અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર appeared first on News n Feeds.
]]>ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને કરોડો રૂપિયાના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છું.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી
અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી છે.
કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તેેની માહિતી લૂંટારૂઓ પાસે હતી
ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તે સહિતની તમામ માહિતી લૂંટારૂઓ પાસે હતી. જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફાઇનાન્સ કંપની ગોલ્ડ લોન આપતી હોવાનું જાણવા મળ્યું છે.
The post અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર appeared first on News n Feeds.
]]>The post Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા appeared first on News n Feeds.
]]>જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે.
ઈન્ડસ્ટ્રી બોડી CII ના પ્રેસિડેન્ટ ઉદય કોટકે જો બાઈડેન અને કમલા હેરિસને શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે બંને દેશો વચ્ચે વધતા વેપાર અને રોકાણની સાથે આપણી અર્થવ્યવસ્થાઓની હેલ્થ એક બીજા સાથે જોડાયેલી છે અને આપણે દ્વિપક્ષીય આર્થિક એજન્ડામાં નવા પ્રાણ ફૂંકવા માટે કામ કરવાની જરૂર છે. જેનાથી આર્થિક વિકાસ, નોકરીઓ, નાના વેપારીઓને મજબૂતી મળી શકે અને બંને દેશો વચ્ચે રોકાણ સંબંધી સહયોગ વધુ મજબૂત થાય.
Mahindra ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે ‘લીડરશીપનો અર્થ છે પોલીસી અને પર્સનાલિટી, તથા લીડર્સ શું કરે છે તેના કરતા શું કહે છે તેનાથી પણ પરખાશે. લીડર્સે છેલ્લે તો બધાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ, માત્ર એનું જ નહીં જેમણે તેમને મત આપ્યા છે અને લીડર્સમાં શાલીનતા અને મૂલ્ય ક્યારેય ખતમ થવા જોઈએ નહીં.’
ઈન્ડસ્ટ્રી બોડી Assochamના સેક્રેટરી જનરલ દીપક સૂદનું કહેવું છે કે બાઈડેન-હેરિસની લીડરશીપમાં ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. એડવાન્સ સાયન્ટિફિક રીસર્ચ અને ડેવલપમેન્ટ, રણનીતિ ક્ષેત્રોમાં બિઝનેસ ટુ બિઝનેસમાં સંબંધો વધુ મજબૂત તશે. દીપક સૂદે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને જો બાઈડેન કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પરસ્પર સહયોગ વધારશે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનને બનાવવા માટે અને વહેંચવા માટે મોટા પાયે ગ્લોબલ સહયોગની જરૂર પડશે, ભારત અને અમેરિકા આ સહયોગનું નેતૃત્વ કરશે.
CII ના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનરજીએ કહ્યું કે, ‘CII પ્રેસિડેન્ટ બાઈડેન અને તેમના પ્રશાસન પાસેથી ફરી એકવાર સહયોગની આશા રાખે છે. કોરોના મહાસંકટ અગાઉ બંને દેશો વચ્ચે 2019માં ગુડ્સ એન્ડ સર્વિસિઝને લઈને કારોબાર 150 બિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચી ગયો હતો. CIIને આશા છે કે આવનારા સમયમાં તે હજુ વધશે.’
અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ કહ્યું કે બાઈડેને બરાક ઓબામા પ્રશાસનમાં અમેરિકા-ભારતના રણનીતિક સંબંધોને આગળ વધારવામાં શાનદાર ભૂમિકા ભજવી હતી. અમે બાઈડેન-કમલા હેરિસના નેતૃત્વમાં કામ કરવાને લઈને ઉત્સાહિત છીએ. અમે આશા રાખીએ છીએ કે તેમના નેતૃત્વમાં અમેરિકા-ભારત આર્થિક ભાગીદારી પોતાની પૂરી ક્ષમતા મેળવી શકશે અને તેનાથી બંને દેશોના લોકો માટે તકો પેદા થશે.
The post Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા appeared first on News n Feeds.
]]>The post તબ્બૂ પોતે હજુ સુધી કુંવારી હોવા પાછળ કયા હીરોને ગણે છે જવાબદાર, લગ્ન કરવા અંગે તેને શું કર્યો ખુલાસો appeared first on News n Feeds.
]]>બૉલીવુડ અભિનેત્રી તબ્બૂ પોતાની સક્સેસ બૉલીવુડ લાઇફને લઇને હંમેશા ચર્ચમાં રહી છે. તેની સક્સેસ લાઇફ હોવા છતાં તબ્બૂએ આજ સુધી લગ્ન નથી કર્યુ. હવે લાંબા સમય બાદ તબ્બૂએ પોતે અનમેરિડ હોવા અંગે મોટો ખુલાસો કર્યો છે, તબ્બૂએ જણાવ્યુ કે તે અનમેરિડ હોવા પાછળનુ કારણ એક્ટર અજય દેવગન છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસ તબ્બૂએ કહ્યું હતુ કે, હું અજય દેવગનને 25 વર્ષોથી ઓળખુ છુ, અજય મારા કઝિન સમીર આર્યનો પાડોશી અને ક્લૉઝ ફ્રેન્ડ હતો. આવામાં જ્યારે હું નાની હતી ત્યારે તે બન્ને મારા પર બહુ નજર રાખતા હતા. ક્યારેય પણ કોઇ છોકરા સાથે મને વાત કરતા જોઇ લેતો તેઓ તેની સાથે મારામારી કરતા હતા. અજય અને સમીર બન્ને બહુ મોટા ગુંડા હતા.
અભિનેત્રીએ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે અનમેરિડ હોવા પાછળ અજય દેવગનને જવાબદાર ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અજય અને તબ્બૂ ગાઢ મિત્રો પણ છે. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તબ્બૂનો જન્મ 4 નવેમ્બર 1970ના રોજ થયો હતો, તબ્બૂ આ વર્ષે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહી છે. તબ્બૂ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી જ આવે છે. તબ્બૂએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો.
તબ્બૂએ ફિલ્મ હમ નૌજવાન અને બાજાર સહિત કેટલીય ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ભૂમિકા નિભાવી છે. 1980થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી તબ્બૂ પોતાની અત્યાર સુધીની કેરિયરમાં કેટલાય પૉપ્યૂલર રૉલ કરી ચૂકી છે, અને ફિલ્મ કેરિયર સક્સેસફૂલ રહી છે.
The post તબ્બૂ પોતે હજુ સુધી કુંવારી હોવા પાછળ કયા હીરોને ગણે છે જવાબદાર, લગ્ન કરવા અંગે તેને શું કર્યો ખુલાસો appeared first on News n Feeds.
]]>The post Arnab Goswami Arrested: મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની કેમ કરી ધરપકડ? જાણો સમગ્ર કેસ appeared first on News n Feeds.
]]>મહારાષ્ટ્ર સ્થિત મુંબઈમાં પોલીસે રિપબ્લિક ટીવી (Republic TV) ના ઇડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. તેમની પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. નોંધનીય છે કે, ટેલીવીઝન પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય આ ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી. આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકારે આ કેસની સીઆઇડી દ્વારા ફરીથી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.
ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકની દીકરી આજ્ઞા નાઇકે તે સમયે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીબાથ પોલીસે બાકી રકમ ન આપી જેના કેસની તપાસ કરી નહોતી જેથી અન્વય અને તેમની માતાને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હતું.
આ મામલે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, આજ્ઞા નાઇકે મને ફરિયાદ કરી હતી કે અર્નબ ગોસ્વામીના રિપબ્લિક દ્વારા બાકી રકમ ન આપવાના કારણે તેના પીતા અને દાદીએ મે 2018માં આત્મહત્યા કરી લીધી હતી અને અલીબાગ પોલીસે તેની તપાસ નહોતી કરી.
The post Arnab Goswami Arrested: મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની કેમ કરી ધરપકડ? જાણો સમગ્ર કેસ appeared first on News n Feeds.
]]>The post મંદિરા બેદીએ 4 વર્ષની દીકરીને લીધી દત્તક, તારા સાથે શેર કરી ફેમિલી ફોટો appeared first on News n Feeds.
]]>એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી તેની ફિટનેસ માટે જાણીતી છે. હાલમાં મંદિરા બીજી વખત મા બની છે. 48 વર્ષની મંદિરા બેદીએ હાલમાં જ એક દીકરી દત્તક લીધી છે. મંદિરા અને તેનાં પતિ રાજ કૌશલે ચાર વર્ષની દીકરી તારાને દત્તક કર્યો છે. જે બાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફેમિલી ફોટો શેર કરી છે. આ ફેમિલી ફોટોમાં દીકરી તારાની તસવીર છે.
ખાસ વાત તો એ છે કે, રાજ અને મંદિરાએ તારાને 28 જુલાઇનાં તેનાં પરિવારમાં શામેલ કરી. જોકે, મંદિરાએ હવે ફેન્સ અને શુભચિંતકોની સાથે આ ખુશી શેર કરી છે. સાથે જ મંદિરાએ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ પણ લખ્યો છે. જેમાં તેણે તારા અંગે વાત કરી છે.
અમારી દીકરી તારા, અમારા ઘરે ભગવાનનો આશિર્વાદ બનીને આવી છે. ચારથી થોડી વધુ તેની ઉંમર છે. આંખો જે તારા જેવી ચમકે છે. આ વીરની બહેન છે. તેનું અમે ઘરમાં હાથ ફેલાવીને અને શુદ્ધ પ્રેમથી સ્વાગત કર્યુ છે. અમે ખુશકિસ્મત છે, બ્લેસ્ડ છીએ અને આભાર માનીયે છીએ. પોસ્ટનાં અંતમાં મંદિરાએ તારાને તારા બેદી કૌશલ કહી બોલીવી છે. અને જણાવ્યું છે કે, તારા કૌશલનો હિસ્સો 28 જુલાઇનાં રોજ બની છે.
મંદિરાએ જેમ તારાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ અને મિત્રોનું રિએક્શન આ તસવીર પર આવવાં લાગ્યું છે. દરેક મંદિરા અને રાજનાં આ નિર્ણયનાં વખાણ કરી રહ્યા છે. ફેન્સ, મિત્રો અને શુભચિંતકો તેને વધામણી આપી રહ્યાં છે. સાથે જ નાનકી તારાને આશિર્વાદ આપ્યા છે.
The post મંદિરા બેદીએ 4 વર્ષની દીકરીને લીધી દત્તક, તારા સાથે શેર કરી ફેમિલી ફોટો appeared first on News n Feeds.
]]>The post Covid-19: ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનું મોત appeared first on News n Feeds.
]]>\
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં લગભગ 12 વેક્સીન એવી છે જેના ટ્રાયલ અંતિમ ચરણમાં છે. આ ટ્રાયલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaની કોરોના વેક્સીનને સૌથી સારી ગણાવવામાં આવી રહી છે. જોકે ખરાબ સમાચાર એ છે કે આ વેક્સીનના ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનું મોત થયું છે.
બ્રાઝીલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે જણાવ્યું કે વેક્સીનના ટ્રાયલમાં સામેલ એક Volunteerનું મોત ભલે થયું હોય પરંતુ મોતનું કારણ વેક્સીન નથી. બ્રાઝીલે નિર્ણય કૃયો છે કે આ ઘટના બાદ પણ હાલ ટ્રાયલ નહીં રોકવામાં આવે.
ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોનાની વેક્સીન AZD222ના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. યુનિવર્સિટીએ જાણકારી આપી છે કે જે Volunteerનું મોત થયું છે તે બ્રાઝીલનો રહેવાસી છે. બ્લૂમબર્ગ મુજબ આ વ્યક્તિની ઉંમર 28 વર્ષની હતી અને તેને તમામ વેક્સીન નહોતી આપવામાં આવી.
Anvisaએ કહ્યું કે દુર્ઘટના બાદ પણ વેક્સીનનું ટ્રાયલ ચાલતું રહેશે પરંતુ આ વિશે વધુ જાણકારી નથી આપવામાં આવી. બીજી તરફ ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું કે વેક્સીનની સુરક્ષાને લઈ ચિંતાની વાત નથી. આ પહેલા સપ્ટેમ્બરમાં બ્રિટનમાં વેક્સીનના ટ્રાયલ દરમિયાન એક Volunteerને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. બીજી તરફ દક્ષિણ કોરિયામાં પણ ફ્લૂ શોટ લગાવ્યા બાદ પાંચ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં પણ હવે FDAએ સેફ્ટી ડેટા રિવ્યૂ બાદ ટ્રાયલ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે ફરી એકવાર સવાલ ઊભા થયા છે કે બ્રાઝીલની ઘટના બાદ શું નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ કોરોનાના સંક્રમણને લઈ બ્રિટનના ટોપ વૈજ્ઞાનિક સલાહકારના દાવાથી લોકોની ચિંતા વધી ગઈ છે.
મહામારી માટે રચવામાં આવેલી બ્રિટિશ સરકારની સલાહકાર સમિતિના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોનાને ક્યારેય ખતમ નથી કરી શકાય. તે લોકોની વચ્ચે હંમેશા રહેશે. તેઓએ કહ્યું કે જોકે એક વેક્સીન હાલની સ્થિતિને થોડી સારી કરવામાં મદદ ચોક્કસ કરશે.
કોરોનાની વિરુદ્ધ જંગમાં સૌથી અગત્યની માનવામાં આવી રહેલી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaની કોવિડ-19 વેક્સીનના ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerના મોત બાદ પણ ટ્રાયલ નહીં રોકવામાં આવે.
The post Covid-19: ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનું મોત appeared first on News n Feeds.
]]>