The post ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ 15મી બાદ ભરાશેઃ તારીખો ટૂંકમાં જાહેર થશે appeared first on News n Feeds.
]]>10 અથવા 17 મેથી બોર્ડ પરીક્ષા શરૂ થવાની શક્યતા
સીબીએસઈ દ્વારા તાજેતરમાં ધોે.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ઉતરાયણ સુધીમાં અથવા ઉતરાયણ બાદ ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય તેવી શક્યતા છે.ગુજરાત બોર્ડની પરીક્ષા ૧૦ મે અથવા ૧૭ મેથી શરૃ થાય તેવી શક્યતા છે. થોડા દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ સ્કૂલોનું અને તેના વિષયવાર શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાવાનું શરૃ થશે.
સીબીએસઈ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ ગુજરાત બોર્ડના ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિની થોડા જ દિવસમાં બેઠક મળશે અને જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવામા આવશે.જો કે તે પહેલા પરીક્ષાની તારીખો સરકારની મંજૂરીથી જાહેર કરી દેવાશે. મળતી માહિતી મુજબ ૧૦ મે અથવા ૧૭ મેથી ગુજરાત બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા શરૃ થાય તેવી શક્યતા છે.હાલ આ બે તારીખો નક્કી છે.જેના પર સરકારની મંજૂરી બાકી છે. બોર્ડ પરીક્ષા માટે સ્કૂલ રજિસ્ટ્રેશન તથા ટીચર્સ રજિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની હાલ તૈયારીઓ ચાલી રહી છે.થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા સૌપ્રથમ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૃ થશે.
સ્કૂલો અને શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાયા બાદ ઉતરાયણ પછી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવાનુ શરૃ થશે. પ્રથમ તબક્કામાં ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાય તેવી શક્યતા છે અને ત્યારબાદ તબક્કાવાર ૧૨ સા.પ્ર. અને ધો.૧૦ના સ્ટુડન્ટસનું રજિસ્ટ્રેશન થશે.અંદાજે ૧૮થી૧૯ લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાતી હોઈ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા અને બેથીત્રણ વાર ફોર્મ ભરવાની મુદત આપ્યા બાદ સેન્ટરો ગોઠવવામા ઘણો સમય લાગે તેમ હોઈ બોર્ડે હવે ઉતરાયણ બાદ પ્રક્રિયા શરૃ કરી દેવી પડે તેમ છે.જો કે સ્કૂલો ફેબુ્રઆરી સુધી નહી ખુલે.ફેબુ્રઆરીમાં પણ સ્કૂલો ક્યારથી ખોલવી તે બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કમિટી નિર્ણય કરશે.
The post ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ 15મી બાદ ભરાશેઃ તારીખો ટૂંકમાં જાહેર થશે appeared first on News n Feeds.
]]>The post રશ્મિકા મંદાનાએ બીજી ફિલ્મથી મહેનતાણું વધારીને રૂા. છ કરોડ કરી નાખ્યું appeared first on News n Feeds.
]]>દિગ્દર્શક વિકાસ બહલ પોતાની આવનારી ફિલ્મ ડેડલીથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ ફાઇનલ થઇ ગયું છે. પરંતુ અભિનેત્રી ફાઇનલ કરવામાં વધુ સમયલાગ્યો હતો. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાને લેવામાં આવી છે. બોલીવૂડ સાથે સંકળાયેલા સૂત્રોના અનુસાર ફિલ્મ ડેડલી માટે રશ્મિકાને નવોદિતા તરીકે રૂપિયા છ કરોડ જેટલી તગડી રકમ આપવામાં આવી છે.
ફિલ્મ નિર્માતા જલદી જ રશ્મિકાના નામની ઘોષણા કરવાના છે. રશ્મિકાની આ બીજી ફિલ્મ હશે. રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ મિશન મજનૂથી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે.
ફિલ્મ ડેડલી સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતુ ંકે, નિર્માત્રી એકતા કપૂર એક જાણીતો ચહેરો આ ફિલ્મમાં ઇચ્છતી હતી. વિકાસે એકતાને રશ્મિકાનું નામ સૂચવ્યું હતું અને એકતા તેને આ ફિલ્મમાં લેવા માટે તૈયાર થઇ હતી. રશ્મિકા સાઉથની ફિલ્મોમાં તગડી ફી વસૂલ કરે છે અને હવે તેણે બોલીવૂડમાં પણ નવોદિતા તરીકે રૂપિયા ્છ કરોડ જેટલી મોટી રકમ માગી છે. મેકર્સને ખુશી છે કે, રશ્મિકાએ આ ફિલ્મ સાઇન કરી છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ડેડલી માટે રશ્મિકા પહેલા કેટરિના કૈફષ ક્રિતી સેનોનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની પાસે તારીખોનો મેળ ન હોવાથી મેકર્સે સાઉથની અભિનેત્રીને લેવાનો નિર્ણય કર્યો હતો.
The post રશ્મિકા મંદાનાએ બીજી ફિલ્મથી મહેનતાણું વધારીને રૂા. છ કરોડ કરી નાખ્યું appeared first on News n Feeds.
]]>The post વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ appeared first on News n Feeds.
]]>અમદાવાદ – બર્થ ડે પાર્ટીમાં, સામાજિક પ્રસંગ માં કે પછી શોખ માટે હવા માં ફાયરિંગ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ અમદાવાદમાં એક પછી એક ફાયરિંગના ચારથી પાંચ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી ઊઠી હતી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે આ ઘટના બાદ પણ હજી પણ લોકો જાણે કે સુધરવાનું નામ ન લઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઓઢવમાં લગ્ન પ્રસંગનાં વરઘોડા દરમિયાન વરરાજાએ જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું છે.
અમદાવાદમાં દિવાળીના પર્વ બાદ કોરોના ના કેસ માં વધારો જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા સામાજિક પ્રસંગોમાં સો વ્યક્તિઓને હાજર રહેવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વરઘોડો નીકાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે શહેરના ઓઢવ વિસ્તારમાં આ ગાઈડ લાઈન ની એસીતેસી થઈ હોવાનું જોવા મળ્યું છે. ઓઢવ માં હરે કૃષ્ણ સોસાયટી પાસે લગ્ન માં વરઘોડો પણ નીકળવામાં આવી રહ્યો છે.
The post વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ appeared first on News n Feeds.
]]>The post પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક appeared first on News n Feeds.
]]>પ્રિયંકા ચોપરા જોનસ તેની બુકને લઈને ઘણી ઉત્સુક છે. તેણે સોશિયલ મીડિયા પર આ બુકનું કવર શેર કર્યું છે. આ બુક આવતા વર્ષે જાન્યુઆરીમાં માર્કેટમાં આવી જશે. તેણે આ મેમોયરનું અનાઉન્સમેન્ટ 2018માં કર્યું હતું અને આ વર્ષે ઓક્ટોબરમાં તે પૂરી થઇ ગઈ છે.
પ્રિયંકાએ લખ્યું- બુક નથી, કવર છે
પ્રિયંકાએ લખ્યું, આ એ જ અવસર હશે, જ્યારે હું મારી પહેલી બુકની કોપી હાથમાં લઈશ, જોકે આ તો માત્ર કવર છે. મેં આને બુક પર કવર કરી દીધું જેથી ફીલ કરી શકું. હું આવતા મહિને આવનારી અનફિનિશ્ડની પહેલી કોપી માટે રાહ જોઈ શકું એમ નથી. પ્રિયંકાએ ઓક્ટોબરમાં બુક વિશે માહિતી શેર કરી હતી. પ્રિ-ઓર્ડરના આધારે તેણે કહ્યું હતું કે અનફિનિશ્ડ માર્કેટમાં આવ્યા પહેલાં 12 કલાકની અંદર એમેઝોન પર બેસ્ટ સેલિંગ બુક્સમાં સામેલ થઇ જશે. ત્યારે પ્રિયંકાએ લખ્યું હતું કે અમેરિકામાં અમને 12 કલાકમાં જ નંબર 1 બનાવવામાં માટે આભાર. આશા છે તમને બધાને આ બુક ગમશે.
બુક લખવાનો અનુભવ શેર કર્યો હતો
પ્રિયંકાએ બુક પૂરી કર્યા બાદ તેનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તેણે બધી માહિતી ભેગી કરી અને વિચાર્યું કે શું પાછળ છૂટી ગયું છે. હવે તેણે આ બુકનું કવર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પણ, ફોટો જોઈને કોઈપણ એમ જ કહેશે કે આ કવર નહીં પરંતુ બુક છે. પ્રિયંકાની ખુશી જોઈને એવું જ લાગે છે.
The post પ્રિયંકા ચોપરાએ શેર કર્યું તેની બુક ‘અનફિનિશ્ડ’નું કવર, આવતા વર્ષે જાન્યુઆરીમાં આવશે બુક appeared first on News n Feeds.
]]>The post વટવા GIDCની કેમિકલ ફેક્ટરીની આગે 20 પરિવારને કરી નાંખ્યા નોંધારા, ઘર સાથે બધુ જ બળીને થઈ ગયું રાખ appeared first on News n Feeds.
]]>વટવા જીઆઇડીસી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં મોટી જાનહાનિ તો નથી થઈ, પરંતુ આગ લાગવાથી નજીકમાં નાના બાંધકામ બનાવીને એટલે કે ઝુંપડા બનાવીને રહેતા પરિવારજનો હવે નિઃસહાય બન્યા છે. કેમિકલ ફેક્ટરીની પાસે જ ૨૦ જેટલી ઝૂંપડીઓમાં 60 લોકો વસવાટ કરી રહ્યા હતા.
કેમિકલથી બ્લાસ્ટ થવાથી આ લોકો અહીંથી પહેર્યા કપડે ભાગ્યા હતા. તેમની ઝૂંપડીમાં રહેલ ઘર વખરીનો સમાન, અનાજ પણ નષ્ટ થયું છે, જેન કારણે શ્રમિકો હવે ઘર વિહોણા બન્યા છે. વટવા માતંગી કંપની પાસે રહેતા શ્રમિકોએ વ્યક્ત પોતાની વેદના વ્યક્ત કરી હતી. આગ લગવાથી મોટા ધડાકા થયા અને ભાગ્યા હતા. જેને કારણે તેમના જીવ તો બચી ગયા હતા, પરંતુ 20 જેટલા ઝુંપડા બળીને ભસ્મ થઈ ગયા હતા.
કેમિકલ ફેકટરી પાછળ રહેતા 60 લોકો હાલ બેઘર બન્યા છે. અમારું અનાજ, ઘર વખરીનો સામાન ખાખ થઈ ગયો છે, તેમ શ્રમિકોએ જણાવ્યું હતું.
The post વટવા GIDCની કેમિકલ ફેક્ટરીની આગે 20 પરિવારને કરી નાંખ્યા નોંધારા, ઘર સાથે બધુ જ બળીને થઈ ગયું રાખ appeared first on News n Feeds.
]]>The post ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી તાજ હોટેલની શરૂઆત કરી appeared first on News n Feeds.
]]>સિંધુ ભવન રોડ પર બનેલી 18 માળની તાજ સ્કાયલાઈનમાં 315 રૂમ્સ
ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સિંધુભાવન રોડ પર 1.4 એકરમાં બનેલી આ હોટલમાં 315 જેટલા રૂમ્સ છે. IHCL દ્વારા આ હોટેલને તાજ સ્કાયલાઈન નામ આપવામાં આવ્યું છે. થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ ઈને બનાવી છે અને હોટલનું મેનેજમેંટ ઇન્ડિયન હોટેલ્સ કરશે. આ સાથે જ ઇન્ડિયન હોટેલ્સની ગુજરાતમાં 13 હોટેલ્સ થઇ છે અને એક હોટેલ નિર્માણાધીન છે.
કંપની માટે અમદાવાદ મહત્વનું માર્કેટ
ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ચટવાલે જણાવ્યું કે, તાજ સ્કાયલાઇન સાથે, IHCLએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરના તમામ નોંધપાત્ર વ્યવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટીએ અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે.
હોટેલ નિર્માણમાં સંકલ્પનું રૂ. 300 કરોડનું રોકાણ
અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનનાં ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે, અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટેલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટેલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.
દુબઈ અને મુંબઈ બાદ અમદાવાદમાં પણ શામિયાના
કંપનીના જણાવ્યા મુજબ તેની ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવી છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે. આ સિવાય આ હોટેલના ઇન્ટીરીયરમાં અમદાવાદ શહેરના હેરિટેજને પણ દર્શાવવામાં આવી છે.
The post ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી તાજ હોટેલની શરૂઆત કરી appeared first on News n Feeds.
]]>The post રૂબીના દિલૈકનો મોટો ધડાકો, ડિવોર્સ પહેલાં પતિ અભિનવને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો, આ શો ના હોત તો અલગ થઈ જાત appeared first on News n Feeds.
]]>ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 14’માં ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક તથા પતિ અભિનવ શુક્લા જોવા મળે છે. બંને શોમાં છેલ્લા અઢી મહિનાથી જોવા મળે છે. બંનેને દર્શકોનો ઘણો જ સપોર્ટ મળી રહ્યો છે. શોમાં રૂબીનાએ એક ટાસ્ક દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો કે બંને આ વર્ષે ડિવોર્સ લેવાના હતા અને તેણે પતિને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
આ અઠવાડિયે ‘બિગ બોસ 14’ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. ફિનાલેમાં માત્ર ચાર સભ્ય જ જશે. શોના દરેક સભ્ય ફિનાલેમાં જવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં જ ‘બિગ બોસ’એ ઘરના સભ્યોને એક ટાસ્ક આપી હતી. આ ટાસ્કમાં દરેક સભ્યે પોતાના જીવનની સિક્રેટ વાત કહેવાની હતી. રૂબીનાએ પતિ અભિનવ સાથેના તૂટતાં સંબંધો અંગે વાત કરી હતી. રૂબીનાએ કહ્યું હતું, ‘અમે બંને ડિવોર્સ લેવાના હતા પરંતુ અમે એકબીજાને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.’
આ વાત કહેતાં સમયે રૂબીના ઘણી જ ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘અમારા ડિવોર્સ થવાના હતા. જો અમે બંને આ શોમાં ના આવ્યા હોત તો અમે આજે સાથે ના હોત.’ કન્ફેશન બાદ અભિનવે રૂબીનાને ગળે લગાવી હતી.
સિક્રેટ જાહેર કરતાં અભિનવ નારાજ પણ થયો
રૂબીનાની આ વાત બાદ અભિનવે તેના આ નિર્ણયની ટીકા કરી હતી. અભિનવે કહ્યું હતું, ‘હવે આ વાતની ચર્ચા દરેક લોકો કરશે. આ આપણું સીક્રેટ હતું અને હવે આ દુનિયાને પણ ખબર પડી ગઈ.’ રૂબીના પહેલાં સલમાન ખાને પણ શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં બંનેના સંબંધો અંગેની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે રૂબીના તથા અભિનવે 2018માં લગ્ન કર્યાં હતાં. જોકે, ગયા વર્ષે તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.
The post રૂબીના દિલૈકનો મોટો ધડાકો, ડિવોર્સ પહેલાં પતિ અભિનવને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો, આ શો ના હોત તો અલગ થઈ જાત appeared first on News n Feeds.
]]>The post રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ appeared first on News n Feeds.
]]>રાજકોટની ઉદય કોવિડ હૉસ્પિટલની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બનાવની સુઓ મોટો નોંધ લીધી છે. આ નોંધ લેતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકોટ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ -19 દર્દીઓનાં મોત આઘાતજનક છે. સર્વોચ્ચ અદાલતે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાની ફક્ત તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જ્યારે દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મિકેનિઝમના અમલીકરણ માટે કડક અપવાદ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સમય સમય પર માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતાં, રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતું નથી અને વિદ્યુત લાઇનોનું નિરીક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા.
ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ (Rajkot fire deaths) થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશને જવાબદારી સોંપી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
The post રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ appeared first on News n Feeds.
]]>The post મારાડોનાનાં નિધનથી શોકમાં બોલિવૂડ, સ્ટાર્સે ભાવૂક થઇ આપી શ્રદ્ધાંજલિ appeared first on News n Feeds.
]]>આર્જેન્ટિનાનાં લીજન્ડ્રી ફૂટબોલર ડિએગો મારાડોનાનું બુધવારે હાર્ટએટેકથી નિધન થઇ ગયુ છે. 60 વર્ષની ઉંમરમાં ડિએગા મારાડોનાએ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ ખબરથી દુનિયાભરનાં તેનાં ફેન્સ અને બોલિવૂડ સ્ટાર્સ શોકમાં છે. એવામાં સોશિયલ મીડિયા પર સૌ કોઇ મારાડોનાને તેમનાં અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ચાલો નજર કરીએ કોણે કોણે શ્રદ્ધાંજલિ આપી.
રણવીર સિંહે મારાડોનાની તસવીર શેર કરતાં તુટેલાં દિલની ઇમોજી બનાવી શેર કરી હતી.
એક્ટર અભિષેક બચ્ચન ફૂટબોલનો મોટો ફેન છે. તેણે મારાડોનાને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, ‘RIP લીજેન્ડ, તેની સાથે તેણે #GOAT લખ્યું હતું જેનો અર્થ થાય છે Greatest of All Time!
શાહરૂખ ખાને લખ્યું- ‘ડિએગો મારાડોના.. આપનાં ફૂટબોલને વધુ સુંદર બનાવ્યું RIP’
શેખર કપૂરે લખ્યું, RIP મારાડોના, પેલે બાદ ફૂટબોલની દુનિયાનાં મહાનતમ જીનિયસ
મધુર ભંડારકરે લખ્યું, ફૂટબોલે તેનાં સૌથી મહાન આઇકોનમાંથી એક ગુમાવ્યાં છે. ખરેખર લીજેન્ડ
નિમ્રત કૌરે લખ્યું છે, લીજેન્ડની વિરાસત અમર રહે.
ઇશા દેઓલે મેરાડોનાને પોતાની પ્રેરણા જણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
અનુરાગ કશ્યપ- તુટેલાં દિલની ઇમોજી શેર કરી દુખ વ્યક્ત કર્યું હતું.
The post મારાડોનાનાં નિધનથી શોકમાં બોલિવૂડ, સ્ટાર્સે ભાવૂક થઇ આપી શ્રદ્ધાંજલિ appeared first on News n Feeds.
]]>The post Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે વધારી જનતાની ચિંતા, સતત પાંચમાં દિવસે ભાવમાં વધારો appeared first on News n Feeds.
]]>સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારવાનું શરૂ કરી દીધું છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો.
રોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ
નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે.
જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 24 November 2020)
દિલ્હી- પેટ્રોલ 81.59 રૂપિયા અને ડીઝલ 71.41 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 77.90 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.15 રૂપિયા અને ડીઝલ 74.98 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલ 76.88 રૂપિયા પ્રતિ લીટર છે.
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
The post Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે વધારી જનતાની ચિંતા, સતત પાંચમાં દિવસે ભાવમાં વધારો appeared first on News n Feeds.
]]>