સુરત | હોંગકોંગના સ્થાનિક દ્વારા 3 દિવસથી ત્યાં દેખાવો થઈ રહ્યો છે. જેની વિપરીત અસર હેઠળ હોંગકોંગ એરપોર્ટને બંધ કરાયું છે. જેના કારણે સુરત-મુંબઈથી જતાં હીરા-ઝવેરાતના પાર્સલ અટકી પડ્યા છે. 3 દિવસથી મુંબઈ એરપોર્ટ પર હીરાના પાર્સલને રિઝર્વ કરી દેવાયા છે.હીરાઉદ્યોગને એક પછી એક સમસ્યાઓ નડી રહી છે. અત્યાર સુધી ક્રેડિટ રિફંડથી લઈને કન્સાઈન્ટમેન્ટ પર લાગતી ડ્યુટીને લઈને ચિંતા સેવાઈ રહી હતી. ત્યાં તે સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી કે હોંગકોંગ જતો હીરા-ઝવેરાતનો જથ્થો ઓચિંતો અટકી પડ્યો છે.