વાપી| વાપી નજીક સલવાવની શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્રારા કોરોના વાયરસથી જે આફત આવી પડી તે સમસ્યાને નિવારી શકાય તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ આગળ આવી પોતાની ફરજ નિભાવી રહયું છે.જે અંતગર્ત સ્વામિનારાયણ શિક્ષણ સંસ્થાનાં કપિલ સ્વામીએ મુખ્યમંત્રી રાહતફંડમાં વલસાડ જિલ્લાનાં કલેકટરને બે લાખ એક હજારનો ચેક એનાયત કર્યો હતો.