Home Gujarati શંકાસ્પદ દર્દીને તપાસતા તબીબની વ્યથા: અમનેય પરિવાર કહે છે 20 દિવસ ઘરમાં...

શંકાસ્પદ દર્દીને તપાસતા તબીબની વ્યથા: અમનેય પરિવાર કહે છે 20 દિવસ ઘરમાં પૂરાઇને રહો,પણ અમે બોર્ડર અંદરના સૈનિક છીએ

91
0

રાજકોટ: કોરોના વાઇરસની મહામારીમાં શંકાસ્પદ કેસોની સારવાર આપી રહ્યા છે તેવા તબીબની વેદના પણ ઓછી નથી. તબીબ પણ આખરે એક માણસ જ છે. તેની પણ મર્યાદા હોય છે. પરંતુ હાલ જે પરિસ્થિતિ સર્જાઇ છે તેને જોતા એવું લાગે છે કે ધરતી પર સફેદ કપડામાં રહેલા તબીબો મનુષ્યો માટે ભગવાન સમાન જ છે. પોતાના પરિવારને છોડી રાત-દિવસ હોસ્પિટલમાં પોતાની સેવા આપી લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે. આવી જ એક વેદના ગોકુલ હોસ્પિટલના ડાયરેક્ટર અને કન્સલટન્ટ ઇન્ટેનસીવીસ્ટ અને IMA રાજકોટના સેક્રેટરી ડો. તેજસ કરમટાએ વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, દર્દીને ચકાસતા હોઇએ એટલે ઘરે જઇએ ત્યારે પત્ની કહે છે કપડા ગરમ પાણીમાં નાંખીને સીધા બાથરૂમમાં જતા રહો. પરિવાર કહે છે કે 20 દિવસ ઘરમાં પૂરાઇને રહો ને. પરંતુ અમે બોર્ડર અંદરના સૈનિક છીએ

.ઘરની બહાર સૈનિકની જેમ નિકળીએ છીએ, અમને તિરસ્કારો નહીં

વિશ્વ એક કોવીડ-19 કોરોના વાઇરસની મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે. જેમાં ભારત, ગુજરાત અને રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. આ એક એવો સમય છે કે ઘરમાં પૂરાઇને રહેવું પડે છે. આપણે સમજણ શક્તિનો ઉપયોગ નહીં કરીએ તો આ લડાઇ બંદુક, ભાલા કે તલવારથી લડાશે નહીં. આ લડાઇને આપણે એકદમ સમજણપૂર્વક લડવી પડશે. તમે મેડિકલ સ્ટાફને, પેરા મેડિકલ સ્ટાફને, ડોક્ટરોને જો સોસાયટીમાં નહીં રહેવા દો, શંકા કરશો અથવા ઘર ખાલી કરાવશો તો આ મહામારીને કોણ એટકાવશે. અમે ઘરની બહાર નિકળીએ છીએ ત્યારે અમારી પત્ની, બાળકો, મોટા ભાઇઓ પૂછે છે કે સેનિટાઇઝરથી હાથ ધોયા, તમે મોજા પહેરો છો, તમે હોસ્પિટલ શું કામ જાવ છો. હોસ્પિટલે જવાની ક્યાં જરૂર છે આપણને ભગવાને ઘણું દીધું છે. મિત્રો 15-20 દિવસ ઘરમાં પૂરાઇને રહોને. અમે એક સૈનિકની જેમ સેવામાં નિકળી પડીએ છીએ. અમે બહાર શેના માટે નિકળી પડીએ છીએ. સમાજ માટે નિકળી પડીએ છીએ.તમારા માટે નિકળી પડીએ છીએ,

ઘરે આવીએ એટલે પત્ની કહે છે કે કપડા ગરમ પાણીમાં નાંખી દ્યો

અમે ઘરે આવીએ ત્યારે મારી પત્ની કહે છે કે તમારા કપડા ગરમ પાણીમાં નાંખી દ્યો, સીધા બાથરૂમમાં જતા રહો. સાયન્ટીફિક રીતે તો અમે તૈયાર હોઇએ છીએ પણ સામાજીક રીતે, કૌટુંબિક રીતે અમને પણ તકલીફ પડે છે. આવી બધી રીતે અમે લડતા લડતા આટલી સમાજ સેવા કરતા હોઇએ તેમાં કોઇ પેરા મેડિકલ સ્ટાફને એમ કહે કે તું સોસાયટી મુકીને જતો રહે તો શું મકાન માલિકનો ભાઇ, પુત્ર કે તેના ઘરના સભ્યો ભવિષ્યમાં માંદા નથી પડવાના. તો તમે સમાજમાંથી તેને કેમ તિરસ્કારો છો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કોરોના વાઇરસના શંકાસ્પદ કેસને તપાસતા ગોકુલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. તેજસ કરમટા