અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળ્યો છે. ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામીએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવા પણ જણાવ્યું છે. પુરુષોત્તમદાસ સ્વામીએ લોકોને ડોક્ટર સહિત સરકારને સહકાર આપવાની વાત પણ જણાવી છે.