બરવાળા ભાસ્કર | ચાચરીયા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમા ૧૫૦ વધુ વૃક્ષોનું રામદેવજી મહારાજના મંદિરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા શાળા પરિવાર, સરપંચ નાગરાજભાઈ ખાચર, સી.આર.સી.મહેશભાઈ રુપેલીયા, આચાર્ય પ્રકાશભાઈ તથાઈનોવેટીવ શિક્ષક પ્રવીણભાઈ ખાચર, શિક્ષક ગોવિંદભાઇ, શિક્ષીકા બહેનો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.