ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરના વોર્ડ 51માં મહાનંદાનગર મકાન પર A-2-2 નેમ પ્લેટ લગાવીછે. આ મકાન કૃષ્ણાદેવી અગ્રવાલનું છે. સ્માર્ટ નેમ પર QR (ક્વિક રિસ્પોન્સ) કોડ છે, જેની મદદથી ખબર પડી જશે કે નગર નિગમની કચરા લેવા માટે આવતી ગાડી આવી છે કે નહીં. એટલું જ નહીં પણ મકાનનો ટેક્સ પણ આ ક્યૂઆર કોડની મદદથી કરી શકશે. સ્માર્ટ સિટી કંપની પ્રાઈવેટ બેન્કની મદદથી શહેરના આશરે 1.20 લાખ ઘરની બહાર નેમ પ્લેટ લગાવી રહી છે. આ માટે મકાનમાલિક પાસેથી કોઈ રૂપિયા લેવામાં આવતા નથી.
શહેરના મેયર મીના જાનેવાલે કહ્યું કે, સ્માર્ટ સિટી કંપનીની મદદથી શહેરને સ્માર્ટ સુવિધા આપવામાં આવી રહી છે. આ દરમિયાન દેશમાં પ્રથમ સ્માર્ટ નેમ પ્લેટ લગાવાઈ છે. શહેરના મોટાભાગના ઘરની બહાર આ નેમ પ્લેટ લાગશે. આની મદદથી કચરા કલેક્શન વાહનોનું ધ્યાન રહેશે. એટલું જ નહીં, પણ આવક વેરો પણ ભરી શકાશે. ક્યૂઆર કોડની મદદથી મકાનમાલિકને કેટલી ટેક્સ ભરવાનો બાકી છે તે પણ ખબર પડશે.
વધુમાં મેયરે જણાવ્યું કે, આ સુવિધાથી ભવિષ્યમાં ઘણા લાભ થશે. સ્માર્ટ સિટી કંપની હાલ આવનારા સમયમાં નેમ પ્લેટથી વીજળીનું બિલ ભરી શકાય તે દિશામાં કામ કરી રહી છે.