The post ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે, વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલે મોકલવાનાં રહેશે appeared first on News n Feeds.
]]>ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે. ધોરણ 9થી 12 કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે, જ્યારે ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે.
વાલીઓએ ‘મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું’નું સંમતિ પત્રક આપવું પડશે
સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં ભૂપેન્દ્રસિંહે ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલને સંમતિ પત્ર આપવો પડશે કે મારી જવાબદારી પર મારા બાળકને સ્કૂલે મોકલું છું.
સરકારે હાથ ખંખેર્યા, વાલીઓને માથે જવાબદારી નાખી
રાજ્ય સરકારની આ નીતિ જોતાં કોરોનાકાળમાં સરકાર કે સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે.
આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો
ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે.
આગળના સત્રની ભરપાઈ બીજા સત્રમાં કરાશે
બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.
બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે
1. ફેસ માસ્ક પહેરવું પડશે.
2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.
9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.
11. એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેન્મેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેન્મેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈન્સના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
19. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
20. સફાઈ કામદારોને કામ પર રાખતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.
21. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
22. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.
શાળા માટે શું ગાઇડલાઇન્સ રહેશે
The post ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે, વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલે મોકલવાનાં રહેશે appeared first on News n Feeds.
]]>The post ગુજરાતમાં દિવાળી નહીં, ડિસેમ્બરમાં જ શાળા ખોલવા સરકાર મક્કમ : સૂત્ર appeared first on News n Feeds.
]]>કોરોનાના મહામારીને કારણે રાજ્યય સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે.
તજજ્ઞોનાં મત પ્રમાણે, શિયાળામાં કોવિડ 19નું સંક્રમણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે શિયાળો શરૂ થશે. હાલની પરિસ્થિતિમાં તો કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઘટી રહ્યું છે ત્યારે સરકાર દિવાળી બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે અને તે પછી જ કોઇ ચોક્કસ નિર્ણય લેઇ શકે છે.
માહિતી તો એવી પણ મળી રહી છે કે, આ અંગે વાલીઓ અને સંચાલકોનો મત પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. સંભાવના તો એવી પણ છે કે, ડિસેમ્બર સુધીમાં કોરોના વાયરસને નાથવા માટે કોઇ રસી પણ આવી શકે છે. એટલે સૂત્રોનું માનીએ તો ડિસેમ્બરમાં ગુજરાતમાં શાળા ખૂલે તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે.
16 માર્ચથી શાળા બંધ છે
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે 15 માર્ચના રોજથી ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી.
The post ગુજરાતમાં દિવાળી નહીં, ડિસેમ્બરમાં જ શાળા ખોલવા સરકાર મક્કમ : સૂત્ર appeared first on News n Feeds.
]]>The post શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત appeared first on News n Feeds.
]]>રાજ્યના મંત્રીમંડળની બેઠકની બેઠકમાં વાલીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે.
કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીંસ, તે સવાલનો આજે સુખદ અંત આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
16 માર્ચથી બંધ છે સ્કુલો
રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.
https://newsnfeeds.com/bidai-fame-actress-sara-khan-turns-out-to-be-corona-positive-home-quarantine/
The post શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત appeared first on News n Feeds.
]]>The post શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે appeared first on News n Feeds.
]]>મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ નહીં ખૂલવા બાબતે મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં આંશિક રીતે માર્ગદર્શન માટે વાલીની લેખિત મંજૂરી સાથે શાળાઓ શરૂ કરવા નિર્દેશિકાઓ જાહેર કરવામાં આવી છે. જે બાબતે કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે, શાળાઓ ખોલવામાં નહિ આવે. કેન્દ્ર દ્વારા આપેલી ગાઈડલાઈનમાં પણ શાળાઓ ખોલવા બાબતે મરજિયાત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જે મામલે કેબિનેટમાં શાળાઓના ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓ ના ખોલવા માટેનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
https://newsnfeeds.com/incidents-near-rajasthan-kota/
The post શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે appeared first on News n Feeds.
]]>The post સ્કૂલો ખોલવા અંગે ચર્ચા-વિચારણા appeared first on News n Feeds.
]]>આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી.
બાળકો સ્કૂલે જશે તોપણ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
1. ફેસ માસ્ક પહેરવું પડશે.
2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂંકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.
9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.
11.એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન આપવાનું રહેશે.
18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
19. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
20. સફાઈકામદારોને કામ પર લગાવતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.
21. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં
22. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.
The post સ્કૂલો ખોલવા અંગે ચર્ચા-વિચારણા appeared first on News n Feeds.
]]>