The post બોમ્બે હાઈકોર્ટે કંગનાની તરફેણમાં ચુકાદો આપ્યો, BMCને બરાબરની ઘઘલાવતા કહ્યું કે… appeared first on News n Feeds.
]]>બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી કંગના રનૌતની મુંબઈ ખાતેની ઓફિસ તોડવાને લઈને બોમ્બે હાઈકોર્ટે બીએમસી વિરૂદ્ધ આકરી ટિપ્પણી કરી છે અને બીએમસી વિરૂદ્ધ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, બીએમસીએ બદનીયતથી અભિનેતી કંગના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. સાથે જ કોર્ટે બીએમસીએ ઓફિસ તોડવા બદલ કંગનાને વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો છે. કંગનાએ બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયને આવકાર્યો હતો.
બીએમસીએ બદલાની કાર્યવાહી કરતા કંગના રનૌતની પાલી હિલ સ્થિતિ ઓફિસ તોડી પાડી હતી. આ મામલે હાઈ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય અનુસાર કંગનાની ઓફિસમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, કંગના દ્વારા તોડફોડમાં થયેલા નુકશાનના નિવેદનનું તેઓ સમર્થન કરતા નથી.
સપ્ટેમ્બર મહિનામાં BMCએ અચાનક જ બુલડોઝર દ્બારા બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડી પાડી હતી. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યાં હતાં. બાદમાં અભિનેત્રીએ બોમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલે આજે સુનાવણી હાથ ધરતા બોમ્બે હાઈ કોર્ટે BMCને ફટકાર લગાવવી હતી.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી કંગનાએ આપેલા વાંધાજનક નિવેદનો અને પોસ્ટ્સની વાત છે તો અભિનેત્રીએ વિચારીને બોલવું જોઈએ. જ્યારે વિષય ઓફિસને તોડવો તે છે ના તો ટ્વિટમાં કહેવામાં આવેલી સંપૂર્ણ બાબતો. ત્યાં ઘણું કામ અટકી ગયું છે. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે, તેઓ કંગના દ્વારા આપેલા નિવેદનો જો કે બેજવાબદાર છે, તેનો સારો રસ્તો એ છે કે આવા નિવેદનોની અવગણના કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, આ કાર્યવાહી નાગરિકોના અધિકાર વિરુદ્ધ હતી.
BMCનો બરાબરનો ઉધડો લીધો
કોર્ટે સંજ્ઞાન લીધું હતું કે, આ તમામ બાબતો કંગનાને ધમકાવવા માટે કરવામાં આવી હતી અને BMCનો હેતુ યોગ્ય નહોતો. BMC દ્વારા આપવામાં આવેલી નોટિસ અને તોડફોડ ખરેખરમાં તો કંગનાને ધમકાવવા માટે જ હતી. કોર્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કંગનાને નુકશાનનું વળતર આપવા ચૂકવવા માટે ઓફિસમાં થયેલી તોડફોડનું મૂલ્યાંકન થવું જોઈએ અને આ મૂલ્યાંકન અંગેની જાણકારી અભિનેત્રી કંગના અને BMC બંનેને હોવી જોઈએ.
કંગના રનૌતે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું
કંગના રનૌતને કેટલું વળતર આપવામાં આવે તે માટે કોર્ટે એક વેલ્યુઅરની નિમણૂંક કરી છે. તે નુકસાનનું અનુમાન લગાવશે અને રકમ નક્કી કરશે. કંગનાએ ટ્વીટ કરીને ચુકાદાનું સ્વાગત કર્યું છે.
BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું
9 સપ્ટેમ્બરે પાલિ હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના અનેક ભાગોને બીએમસીએ ગેરકાયદે ગણાવીને તોડી પાડયા હતા..ત્યારબાદ કંગનાએ હાઇકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને બીએમસી પાસે 2 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું હતુ.
The post બોમ્બે હાઈકોર્ટે કંગનાની તરફેણમાં ચુકાદો આપ્યો, BMCને બરાબરની ઘઘલાવતા કહ્યું કે… appeared first on News n Feeds.
]]>The post ‘રસ્તાની વચ્ચોવચ રેપ થવો જોઇએ’, કંગનાની નવરાત્રિ પોસ્ટ પર એક વકીલે કરી દીધી એવી અભદ્ર કોમેન્ટ, પછી… appeared first on News n Feeds.
]]>બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હાલમાં મેહંદી રેજા નામની એક વકીલે દુષ્કર્મની ધમકી આપી છે. ખરેખર, સાંપ્રદાયિક નફરત ફેલાવવાના આરોપમાં મુંબઇ પોલીસે બ્રાંદ્રા કોર્ટના આદેશ બાદ કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ શનિવારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ મામલા પર પ્રતિક્રિયા આપતા કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.
આ પોસ્ટ પર એક વકીલે તેને જાહેરમાં દુષ્કર્મની ધમકી આપી દીધી. આ પોસ્ટ દ્વારા કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે લખ્યું હતું, કોણ-કોણ નવરાત્રિનો ઉપવાસ રાખી રહ્યા છે. આજના નવરાત્રિ ઉત્સવમાં ક્લિક કરેલી તસવીર, હું પણ વ્રત કરી રહી છું.
આ વચ્ચે મારી ઉપર વધુ એક FIR થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં પપ્પુ સેનાને મારા સિવાય કઇ દેખાતુ નથી. મને વધારે યાદ ન કરો. હું ત્યાં જલદી આવીશ. કંગનાની આ પોસ્ટ પર વકીલ મેહંદી રેજાએ કોમેન્ટ કરતા લખ્યું હતું. ‘શહેરની વચ્ચે દુષ્કર્મ કરવો જોઇએ’
જ્યારે આ કોમેન્ટ પર બબાલ થઇ તો મેહંદી રેજાએ માફી માંગતા લખ્યું કે, આજે સાંજે મારી ફેસબુક આઇડી હેક થઇ ગઇ અને તેનાથી કેટલીક અપમાન જનક કોમેન્ટ પોસ્ટ કરવામાં આવી. આ કોઇ મહિલા કે કોઇ સમુદાય અંગે મારો વિચાર નથી, હું પણ સદમામાં છું અને તેના માટે માફી માંગુ છું. હું દરેક લોકોને અનુરોધ કરું છું કે કૃપા કરીને મારી માફી સ્વીકાર કરે અને મને માફ કરે. જેની ભાવનાને દુ:ખ પહોંચ્યું છે, મને વાસ્તવામાં તેના માટે દુ:ખ છે. હું માફી માંગુ છું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેહંદી રેજા ઓડિશાના ઝારસુગુડા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં વકીલ તરીકે કામ કરે છે. તેને ભુવનેશ્વર સ્થિત આર્યા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ સાયન્સનો અભ્યાસ કર્યો છે. જોકે, આ આખી ઘટનાક્રમ બાદ મહેંદીએ તેની ફેસબુક આઇડી ડિલીટ કરી દીધું છે.
The post ‘રસ્તાની વચ્ચોવચ રેપ થવો જોઇએ’, કંગનાની નવરાત્રિ પોસ્ટ પર એક વકીલે કરી દીધી એવી અભદ્ર કોમેન્ટ, પછી… appeared first on News n Feeds.
]]>