The post લગ્નસમારંભમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકશે, અંતિમ સંસ્કારમાં 50, સરકારે લીધો મોટો નિર્ણય appeared first on News n Feeds.
]]>રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે લગ્નસમારંભની સંખ્યા પર સરકારે કાતર ફેરવી છે. સરકારે ગાંધીનગરથી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે કે હવે પછી રાજ્યમાં જે લગ્ન સમારંભ યોજાશે તેમાં આયોજન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકાથી ઓછા લોકોને જ બોલાવી શકાશે જ્યારે વધુમાં વધુ 100 વ્યક્તિ જ લગ્નમાં જોડાઈ શકશે. સરકારની નવી ગાઇડલાઇન મંગળવાર મધ્યરાત્રિથી લાગુ પડશે.
આ સાથે જ મૃત્યુ અને અંતિમ સંસ્કારની વિધિમાં પણ સરકારે સંખ્યામાં કાપ મૂકવાનો નિર્ણય ક્યો છે. સરકારના નિર્ણય મુજબ અંતિમ વિધિમાં વધુમાં વધુ 50 વ્યક્તિ ભાગ લઈ શકશે. અગાઉ આ સંખ્યા 200 સુધીની છૂટ આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે જેને જોતા સરકારે આકરો નિર્ણય લીધો છે. અગાઉથી અમદાવાદ, વડોદરા અને સુરત-રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.
સરકારે અન્ય નિર્ણયમાં એવું પણ નક્કી કર્યુ છે કે જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યા રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારના લગ્ન સમારંભ કે સત્કાકર સમારંભની છૂટ આપવામાં નહીં આવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં આ કર્ફ્યૂ 7મી ડિસેમ્બર સુધી યથાવત્ત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતા બે દિવસ માટે સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું બાહર પાડીને જણાવ્યું છેકે, અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ બની રહ્યા છે તેવામાં આજે 23મી નવેમ્બરે સોમવારે સાંજે 1487 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 217 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,98899 પર પહોંચી ગયો છે
The post લગ્નસમારંભમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકશે, અંતિમ સંસ્કારમાં 50, સરકારે લીધો મોટો નિર્ણય appeared first on News n Feeds.
]]>The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.
]]>રાજ્યમાં ગુનેગારો પર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસે સૌથી પહેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ એક આરોપીને પાસા કરી અને ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી અલ્પેશ તોમરના સાઇબર ક્રાઇમના બે ગુના થતાં તેને શનિવારે પાસા ભરી જેલમાં મોકલી આપ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવવાનું શરૂ કર્યું છે.
આરોપીને જામીન મળતાં નવા કાયદા મુજબ પાસા રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કરી સાઇબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સામે પાસાની કાર્યવાહીનો વટહુકમ બહાર પાડ્યો છે અને એનું બિલ સંસદમાં આજે અથવા કાલે પાસ થવાનું છે, ત્યારે અમદાવાદની નારોલ પોલીસે આવા ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજ્યમાં સૌથી પહેલા પાસાનો ઓર્ડર કરી આરોપીને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવવાના ગુનામાં આરોપી અલ્પેશ તોમરની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બે ગુના કોલસેન્ટરના નોંધાયા હતા, જેથી તેને જામીન મળતાં જ નારોલ પોલીસે નવા કાયદા હેઠળ તેની સામે પાસા ભરી PCBમાં મોકલી આપી હતી. પાસાનો ઓર્ડર આવતાં જ નારોલ પોલીસે તેની ધરપકડ કરી ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો.
રાજ્યમાં ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) એટલે કે પાસાનો કાયદો 1985થી અમલી છે અને એમાં ગંભીર પ્રકારના ગુના આચરવાની આદત કે વૃત્તિ ધરાવતા અને આવા ગુના આચરતા લોકો સામે કલમો લગાડાય છે. આ ઉપરાંત આવી વૃત્તિ ધરાવનારા લોકોની જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ માત્રથી જ અટકાયતી પગલા સ્વરૂપે એક વર્ષ માટે ધરપકડ પણ કરી શકાય છે.
હવે આ ગુનામાં પાસાની જોગવાઈ
The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.
]]>