અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારીના સમયે સ્વામિનારાયણ સંસ્થા SMVS દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખની સહાય કરવામાં આવશે. સંસ્થાના વડા સત્યસંકલ્પસ્વામીની આજ્ઞાથી સહાય કરવામાં આવશે. આ સાથે જ ગાંધીનગરમાં આવેલા સ્વામિનારાયણ ધામમાં 500 બેડ સાથે ક્વોરેન્ટાઇન માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંસ્થાની હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, જરૂરિયાતમંદોને પણ સંસ્થા દ્વારા સિધુ-સામાનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આવેલા તમામ મંદિરોને પણ સૂચના આપવામાં આવી છે કે, ત્યાંના વહીવટીતંત્રને કોઇ પણ જરૂરિયાત પડે તો મદદ કરે અને ફૂડ પેક્ટ્સ બનાવી તેમને પહોંચાડે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today