Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Street Fashion – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 16 Oct 2020 08:34:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં https://newsnfeeds.com/state-governments-big-decision-on-navratri-police-approval-not-required-for-pooja-aarti-in-flats-or-society-premises/ Fri, 16 Oct 2020 08:34:56 +0000 https://newsnfeeds.com/?p=157174 ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે. નવરાત્રી (Navratri 2020)ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીની પૂજા-આરતી તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની મંજૂરી (Police Permission for Navratri 2020) લેવી પડશે. જેના અનુસંધાને […]

The post નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં appeared first on News n Feeds.

]]>
ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે.

નવરાત્રી (Navratri 2020)ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીની પૂજા-આરતી તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની મંજૂરી (Police Permission for Navratri 2020) લેવી પડશે. જેના અનુસંધાને નવરાત્રી પહેલા પોલીસ સ્ટેશનોમાં મંજૂરી માટે લાઇનો લાગી ગઈ હતી. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો (Public Places) પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે. એટલે કે સોસાયટીઓ કે ફ્લેટના પરિસરોમાં મૂર્તિની સ્થાપના માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.

આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસ મંજૂરી ફરજિયાત છે. જે બાદમાં સોસાયટી અને એપોર્ટમેન્ટ ધારકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ સાથે જ લોકોએ આ માટેની મંજૂરી લેવા માટે પોલીસ સ્ટેશનોમાં લાઇનો લગાવી દીધી હતી. આજે સરકારે સોસાયટી અને ફ્લેટ પરિસરોમાં મંજૂરી જરૂરી ન હોવાનું કહેતા લોકોને મોટી રાહત થઈ છે. જોકે, આ સાથે સરકારે જાહેર કરેલી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની અન્ય તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

The post નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં appeared first on News n Feeds.

]]>
157174
નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે https://newsnfeeds.com/in-navratri-where-there-is-no-place-to-set-foot-2-streets-of-ahmedabad-are-waiting-for-customers/ Fri, 16 Oct 2020 06:36:39 +0000 https://newsnfeeds.com/?p=157147 નવરાત્રિની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકતા માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા કોઈ જ આવી નથી રહ્યું. નવરાત્રિની ઉજવણી કેન્સલ થતા હવે રોવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકારે ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આવામાં સૌથી કફોડી હાલત વેપારીઓની થઈ છે. કારણ કે, તેમની આખા વર્ષની આવક નવરાત્રિ પર નિર્ભર હોય છે. અમદાવાદમાં લો […]

The post નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે appeared first on News n Feeds.

]]>
નવરાત્રિની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકતા માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા કોઈ જ આવી નથી રહ્યું. નવરાત્રિની ઉજવણી કેન્સલ થતા હવે રોવાનો વારો આવ્યો છે.

ગુજરાત સરકારે ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આવામાં સૌથી કફોડી હાલત વેપારીઓની થઈ છે. કારણ કે, તેમની આખા વર્ષની આવક નવરાત્રિ પર નિર્ભર હોય છે. અમદાવાદમાં લો ગાર્ડન અને રાણીનો હજીરો નવરાત્રિ (navratri) ની ખરીદીનું મોટુ માર્કેટ છે. ત્યારે આવામા આ વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસ્યા છે. જ્યાં નવરાત્રિમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી ત્યાં હવે કોરોનાને કારણે કોઈ પગ મૂકવા તૈયાર નથી.

નવરાત્રિની ખરીદી માટે જાણીતા લોગાર્ડન માર્કેટ પર મંદીના વાદળ છવાયા છે. લો ગાર્ડનની લેનમાં વેપારીઓ સાવ નવરાધૂપ બેસી રહ્યાં છે. કોરોનાને કારણે ધંધો ભાંગી પડ્યો છે. નવરાત્રિની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકતા માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા કોઈ જ આવી નથી રહ્યું. માર્કેટમાં 90 થી 80 ટકા ધંધામાં નુકસાન થઈ રહ્યું છે.

વેપારીઓનું કહેવુ છે કે, અમે ઉછીના રૂપિયા લાવી માલ ભર્યો છે. નવરાત્રિની ઉજવણી કેન્સલ થતા હવે રોવાનો વારો આવ્યો છે. સરકારને માત્ર એટલી વિનંતી છે કે, નવરાત્રિને મંજૂરી આપે અથવા તો અમને આર્થિક સહાય આપે. જેથી અમારા ઘરનું ગુજરાન ચાલે. ચોમાસું અને કોરોનાના કારણે ધંધો પડી ભાંગ્યો છે.

કોરોનાની અસર બધા બજારો પર જોવા મળી છે. જેમાં અમદાવાદનું રાણીના હજીરાનું માર્કેટ પણ બાકાત નથી. નવરાત્રિ માટે ખૂબ જાણીતા માર્કેટ રાણીના હજીરામાં બિલકુલ ખરીદી કરવા કોઈ ગ્રાહક આવી નથી રહ્યાં. વેપારીઓને 75 ટકા વેપારમાં મદી જોવા મળી રહી છે. જોકે, હજીરાના વેપારીઓ સરકારે કરેલ નવરાત્રિ પરના પ્રતિબંધના નિર્ણયને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે, સરકારનો કોરોનાને લઈ નિર્ણય તે યોગ્ય છે.

જોકે બીજી તરફ રાણીના હજીરાના વેપારીઓ એમ પણ કહી રહ્યા છે કે, હાલ ઘરનો ખર્ચની સાથે દુકાનનો ખર્ચ નીકળવામાં તકલીફ પડી રહી છે.

અમદાવાદનુ લો ગાર્ડન અને રાણીના હજીરાનું માર્કેટ ચણિયાચોળી માટે ખૂબ જાણીતું છે. અહી લોકો અમદાવાદ અને બહારથી પણ ખરીદી કરવા આવે છે. નવરાત્રિમાં દરમિયાન અહી દર વર્ષે ભારે ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે સાવ સૂનકાર વ્યાપી રહ્યો છે.

The post નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે appeared first on News n Feeds.

]]>
157147
સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી https://newsnfeeds.com/gold-prices-soared-silver-prices-rose-again/ Mon, 12 Oct 2020 08:17:13 +0000 https://newsnfeeds.com/?p=156969 સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો. નવી […]

The post સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી appeared first on News n Feeds.

]]>
સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો.

નવી દિલ્હી: સોનાના ભાવ (Gold Rate) માં આજે બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. સવારે લગભગ 10 વાગે સોનામાં મલ્ટી કોમોડિટિઝ એક્સચેન્જ (MCX) પર લગભગ 242 રૂપિયાની તેજી સાથે 51059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર ચાલતો હતો. જ્યારે ચાંદી (Silver Rate) માં 857 રૂપિયાની તેજી સાથે 63741 રૂપિયા પ્રતિ કિલો પર વેપાર ચાલતો હતો.

બજારના જાણકારો મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળશે. સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે દીવાળી સુધીમાં સોનામાં ફરીથી એકવાર તેજી આવશે. ડિસેમ્બરના અંત સુધીમાં સોનું ઓલ ટાઈમ હાઈ જઈ શકે છે.

મોતીલાલ ઓસવાલના એસોશિએટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત સસેજાના જણાવ્યાં મુજબ સોનામાં દર 500થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ કરી શકાય છે. એન્જલ બ્રોકિંગના કમોડિટી અને કરન્સીના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા મુજબ દીવાળી સુધીમાં સોનું ફરીથી 52,500થી 53,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ બાજુ સોનાના ભાવ એમસીએક્સ પર 55,000 રૂપિયા અને રિટેલ બુલિયનમાં 57,000 રૂપિયા સુધી જઈ શકે છે.

સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ સતત સોનામાં રોકાણની સલાહ આપે છે. આ બધા વચ્ચે મોદી સરકારે તહેવારની સિઝન પહેલા સસ્તામાં સોનું ખરીદવા માટે અવસર આપ્યો છે. તમે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ની શ્રેણી- સાત હેઠળ 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીમાં ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો ભાવ 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાયો છે.

The post સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, ચાંદીના ભાવમાં પણ ફરી જોવા મળી તેજી appeared first on News n Feeds.

]]>
156969