The post Tesla job cuts continue, 229 employees from Autopilot team fired appeared first on News n Feeds.
]]>The post Tesla job cuts continue, 229 employees from Autopilot team fired appeared first on News n Feeds.
]]>The post પાકિસ્તાન સરકારે આખરે દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનો 2.35 કરોડ રૂપિયામાં ખરીદી લીધાં, હવે ત્યાં મ્યુઝિયમ બનાવશે appeared first on News n Feeds.
]]>ઇન્ડિયન લેજન્ડરી એક્ટર્સ દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનોને આખરે પાકિસ્તાન સરકારે ખરીદી લીધાં છે. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલા સુપરસ્ટાર દિલીપ કુમાર અને રાજ કપૂરનાં પૈતૃક મકાનોને 2.35 કરોડ રૂપિયામાં ખરીદવા માટે પાકિસ્તાન સરકારે મંજૂરી આપી દીધી છે. 2014માં નવાઝ સરકારે આ મકાનોને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કર્યાં હતાં. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાં રાજ કપૂર અને દિલીપ કુમારે આ જ ઘરમાં તેમના જીવનનો શરૂઆતનો સમય પસાર કર્યો હતો.
પાકિસ્તાન સરકારે અરજી મંજૂર કરી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મેહમૂદ ખાને પ્રપોઝલને સ્વીકારી આ મકાનોને ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ મકાનના ભાવ ખૈબર પખ્તૂનખ્વા કમ્યુનિકેશન અને વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.
પેશાવરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલી અસગરે દિલીપ કુમારના 4 માળના 101 સ્કવેર મીટર ઘરની કિંમત 80.56 લાખ રૂપિયા અને રાજ કપૂરના 6 માળના 151.75 સ્કવેર મીટર બિલ્ડિંગની કિંમત 1.50 કરોડ રૂપિયા નક્કી થવાની માહિતી આપી છે. આ બંને ઘર પુરાતત્ત્વ વિભાગને સોંપવામાં આવશે, જે આ બંને ઘરની સંભાળ લઈને એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરશે.
પુરાતત્ત્વ વિભાગે ખૈબર પખ્તૂનખ્વા સરકારને અપીલ કરી હતી તેઓ તેમને રૂપિયા અલોટ કરે, જેથી ડિપાર્ટમેન્ટ બંને મકાન ખરીદીને એને રિનોવેટ કરી શકે. સરકારની યોજના આ બંને મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની છે, જેથી દરેક અહીં આવી શકે. એની પાછળનો હેતુ એ દેખાડવાનો છે કે દુનિયા અને બોલિવૂડ માટે પેશાવરનું શું યોગદાન છે.
100 વર્ષથી પણ જૂનાં ઘરો
રાજ કપૂરનું ઘર ‘કપૂર હવેલી’ તરીકે ઓળખવામાં આવે છે. એ 1918થી 1922 દરમિયાન એક્ટરના દાદા દીવાન કપૂર દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોક કપૂરનો જન્મ એ જ હવેલીમાં થયો છે. દિલીપ કુમારનું પણ ઘર 100 વર્ષથી વધુ જૂનું છે. દિલીપ કુમાર ત્યાં જ મોટા થયા હતા. આ બંને મકાન પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત છે.
જગ્યાના માલિકો ત્યાં મોલ બનાવવા ઇચ્છતા હતા
આ જર્જરિત મકાનો પડવાની સ્થિતિમાં છે. તેના માલિક આ જગ્યા પર મોલ બનાવવા ઇચ્છતા હતા, કારણ કે આ પેશાવરના પ્રાઈમ લોકેશન પર છે. ત્યારે પુરાતત્ત્વ વિભાગે દખલ દઈને આવું થવા ન દીધું, કારણ કે તે આ ઐતિહાસિક મહત્ત્વની જગ્યાઓને સંરક્ષિત કરવા ઈચ્છતા હતા.
The post પાકિસ્તાન સરકારે આખરે દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનો 2.35 કરોડ રૂપિયામાં ખરીદી લીધાં, હવે ત્યાં મ્યુઝિયમ બનાવશે appeared first on News n Feeds.
]]>The post 2021માં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે સોના-ચાંદીના ભાવ, 10 ગ્રામ ગોલ્ડ માટે આપવા પડશે 65 હજાર રૂપિયા appeared first on News n Feeds.
]]>ગત વર્ષે એટલે કે 2020માં સોનાએ રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું હતું. કોરોના વાયરસની મહામારી વચ્ચે ઘણા કારણોસર સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. હવે જાણકારોનો અંદાજ છે કે નવા વર્ષે એટલે કે 2021માં પણ સોના અને ચાંદીમાં ચમક વધશે. શક્ય છે કે બંને કિંમત ધાતુઓના ભાવમાં ઘણો વધારો જોવા મળે. બજાર જાણકારોનું કહેવું છે કે 2021માં સોનાની કિંમત 65.000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે 2020માં પણ સોના અને ચાંદીના રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. 2020માં ગોલ્ડમાં રોકાણકારોને 27 ટકા અને સિલ્વરમાં લગભગ 50 ટકા રિટર્ન આપ્યું છે. ઓગસ્ટ 2020માં તો સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર 56,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઇ હતી. ચાંદી પણ લગભગ 80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી હતી.
આજે સવારે 11.20 વાગે MCX પર સોનાનો વાયદો 0.09 ટકાની તેજી સાથે 50,195 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો હતો. જ્યારે ચાંદીનો વાયદો (Silver Futures)પણ 0.15 ટકાની તેજી સાથે 68,208 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કર્યો હતો. ICICI Securitiesના વિશેષજ્ઞોનું કહેવું છે કે દુનિયાભરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રિકવરી અને રિવાઇવલ હાલ અનિશ્ચિતતાના ગાળામાં છે. આ કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણ પર દાવ લગાવી શકે છે. બ્રાકરેજ ફર્મના વિશેષજ્ઞોનો અંદાજ છે કે 2021માં સોનું 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ સુધી પહોંચી શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ગ્લોબલ ઇકોનોમીમાં ભારે માત્રામાં રાહત પેકેજ મળે છે તો પણ સોના અને ચાંદીમાં રોકાણ ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરતું રહેશે. આ કારણે નવા વર્ષમાં આ બંને કિંમતી ધાતુઓના ભાવ વધશે. ભારતની સાથે-સાથે ગ્લોબલ માર્કેટમાં પણ સોનાની કિંમત ઘણી વધી છે. Goldએ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ રોકાણકારોને 2020માં 25% રિટર્ન આપ્યું છે.
The post 2021માં રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે સોના-ચાંદીના ભાવ, 10 ગ્રામ ગોલ્ડ માટે આપવા પડશે 65 હજાર રૂપિયા appeared first on News n Feeds.
]]>The post RBI ગવર્નરની મોટી જાહેરાત! આવતા સપ્તાહથી બદલાઈ જશે નાણા લેવડ-દેવડ સાથે જોડાયેલો આ નિયમ appeared first on News n Feeds.
]]>નવી દિલ્હીઃ આરબીઆઇ એમપીસીની ત્રણ દિવસ મળેલી બેઠક બાદ આજે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટને 24x7x365 ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ સુવિધા આવતા સપ્તાહથી લાગુ થઈ જશે. જેનો સીધો અર્થ એ છે કે હવે RTGSના માધ્યમથી ચોવીસ કલાક મની ટ્રાન્સફર કરી શકાશે. નોંધનીય છે કે હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવારે છોડીને સપ્તાહના પ્રારંભિક કામકાજના દિવસોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસ બેઠક આજે પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. RTGSને 24 કલાક ઉપલબ્ધ કરાવવા ઉપરાંત બેઠકમાં RBIએ વ્યાજ દરોમાં હાલ કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% છે. કેશ રિઝર્વ રેશિયો 3% અને બેંક રેટ 4.25% છે.
RTGS સર્વિસ ખૂબ જ કામની – RTGS એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ મોટા ટ્રાન્જેક્શનમાં કામ આવે છે. RTGSના માધ્યમથી 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર નથી થઈ શકતા. તેને ઓનલાઇન અને બેંક બ્રાન્ચ બંને માધ્યમોની ઉપયોગ કરી શકાય છે. તેમાં પણ કોઈ પ્રકારના ફંડ ટ્રાન્સફરનો ચાર્જ નથી. પરંતુ બ્રાન્ચમાં RTGSથી ફંડ ટ્રાન્સફર કરાવવા પર ચાર્જ આપવો પડશે.
રિઝર્વ બેંકના જણાવ્યુ મુજબ, ભારતીય નાણાકીય માર્કેટમાં વૈશ્વિક એકીકરણના લક્ષ્યને સમર્થન આપવા માટે ચાલી રહેલા કામોને સમર્થન આપવા, ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોને વિકસિત કરવાના પ્રયાસો અને સ્થાનિક કોર્પોરેટ્સ અને સંસ્થાનો માટે મોટા સ્તર પર ચૂકવણીની ફ્લેક્સિબિલીટી ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
The post RBI ગવર્નરની મોટી જાહેરાત! આવતા સપ્તાહથી બદલાઈ જશે નાણા લેવડ-દેવડ સાથે જોડાયેલો આ નિયમ appeared first on News n Feeds.
]]>The post પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી, ધોરણ-5 પછી છોડી દીધી હતી સ્કૂલ appeared first on News n Feeds.
]]>મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ વર્ષ 1927માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. મસાલાનો કારોબાર નાના પાયે સિયાલકોટમાં તેમના પિતાએ 1919માં શરૂ કર્યો હતો. ભાગલા બાદ તેમનો પરિવાર શરણાર્થી તરીકે ભારત આવ્યો હતો. આજીવિકા માટે તેઓએ ઘણા દિવસો સુધી ઘોડાગાડી ચલાવી હતી, પરંતુ તેમને લાગ્યું કે આ કામ લાંબું નહીં ચાલે ત્યારે તેઓએ કરોલબાગમાં એક નાની દુકાનમાં મસાલા વેચવાનું શરૂ કર્યું, જેમાં કિસ્મતે તેમને સાથ આપ્યો.
ધર્મપાલજીના પરિવારમાં એક દીકરો અને છ દીકરીઓ છે. તેમનો દીકરો સમગ્ર કારોબારનું ઓપરેશન સંભાળે છે તો છ દીકરીઓ ક્ષેત્રીય આધાર પર ડિસ્ટ્રીબ્યૂશન જોવાનું કામ કરે છે. ધર્મપાલજીએ માત્ર ધોરણ-5 સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ શરૂઆતમાં પોતાના પિતાના મસાલાના બિઝનેસથી અલગ વેપારમાં હાથ અજમાવીને સફળ થવા માંગતા હતા. તેના માટે તેઓએ સિયાલકોટમાં રહીને અનેક પ્રકારના બિઝનેસ અજમાવી જોયા પરંતુ તેઓ કોઈમાં પણ સફળ ન થયા.
ધર્મપાલજીએ MDHની શરૂઆત નાના સ્તરે ભારતમાં કરી, પરંતુ હાલના સમયમાં દેશના મસાલા બજારમાં તેમની 12 ટકા હિસ્સેદારી છે. તેમની કંપની 62 પ્રોડક્ટ તૈયાર કરે છે., જે 150 પેકેટ્સમાં ઉપલબ્ધ છે. MDHના બ્રાન્ડ એમ્બેસેડર તેઓ પોતે જ હતા.
MDHનું બજાર 2000 કરોડ રુપિયાથી ઘણું વધુ છે. તેમના ગ્રુપની પાસે 15 ફેક્ટરીઓ, 1000 ડીલર્સ છે. દુનિયાના તમામ મોટા દેશો અને શહેરોમાં તેમની કંપનીની ઓફિસ અને કારોબાર ફેલાયેલો છે.
MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓએ દિલ્હીમાં 20 સ્કૂલ અને અનેક હૉસ્પિટલ શરૂ કરી છે. તેમની કં૫ની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરે છે. તેમના મસાલાનો મુખ્ય સ્ત્રોત કર્ણાટક અને રાજસ્થાન ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન છે.
The post પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી, ધોરણ-5 પછી છોડી દીધી હતી સ્કૂલ appeared first on News n Feeds.
]]>The post વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ appeared first on News n Feeds.
]]>દેશમાં કોરોના વેક્સીન આવવાની આશા ઊભી થતાં અર્થવ્યવસ્થામાં તેજી આવવાની શક્યતા છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનની આશાએ સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓને પ્રભાવિત કરી છે. ગોલ્ડનો ભાવ 5 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં રોકાણકારો સોનામાંથી રોકાણ પરત ખેંચીને શૅર બજારમાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
દુનિયાભરના બજોરોનું પ્રદર્શન સુધરી રહ્યું છે – નોંધનીય છે કે, વેક્સીનના કારણે આર્થિક સુધારને લઈ ઊભા થયેલા આશાવાદથી દુનિયાભરના શૅર બજારોનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. સોમવારે હાજર સોનું 0.8 ટકા તૂટીને 1,774.01 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી ગયું અને આ પ્રકારે આ મહિનામાં સોનામાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ કિંમતી ધાતુએ કારોબારી સત્ર દરમિયાન 2 જુલાઈ બાદના સૌથી નીચલા સ્તર પર 1,764.29 ડૉલર પ્રતિ આઉન્સ પણ સ્પર્શી લીધું હતું.
ડૉલર, ટ્રેઝરીથી પથ થઈ રહી છે નિકાસી – અમેરિકન ગોલ્ડ ફ્યૂચર 0.6 ટકા તૂટીને 1,771.20 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી ગયું. એક્સપર્ટ ક્રેગ અરલમે કહ્યું કે, વેક્સીનના સમાચારથી બજારમાં ઘણો આશાવાદ જોવા મળ્યો છે અને અમે ડૉલર, ટ્રેઝરીની જેમ સુરક્ષિત સ્થળે પરિસંપત્તિઓથી કેટલીક નિકાસી જોવા મળી રહી છે અને આ ચીજો સોનાના ભાવમાં પ્રતિબંધિત થઈ છે.
એક્સપર્ટ્સ શું કહે છે? – આરબીસી વેલ્થ મેનેજમેન્ટના પ્રબંધ નિદેશક જ્યોર્જ જીરોએ કહ્યું કે રોકાણકારો સોનામાંથી પોતાના નાણા પરત ખેંચી રહ્યા છે. રોકાણકારોને આશા છે કે વેક્સીન આવ્યા બાદ બજરમાં સારો વધારો જોવા મળી શકે છે અને સંક્રમણથી પણ રાહત મળશે.
જાણો ચાંદીમાં કેટલો ઘટાડો થયો – મંથલી આધાર પર ચાંદીમાં 5.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત સોમવારે ચાંદી 1.6 ટકા ઘટીને 22.34 ડૉલર પ્રતિ ઓન્સ પર આવી ગઈ હતી. પ્લેટિનમની વાત કરીઅએ તો તે 1.3 ટકા વધીને 975.84 ડૉલર પર આવી ગયું હતું. જ્યરે પેલેડિયમ 0.7 ટકા ઘટીને $ 2,407.51 પર આવી ગયું.
The post વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ appeared first on News n Feeds.
]]>The post ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી તાજ હોટેલની શરૂઆત કરી appeared first on News n Feeds.
]]>સિંધુ ભવન રોડ પર બનેલી 18 માળની તાજ સ્કાયલાઈનમાં 315 રૂમ્સ
ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સિંધુભાવન રોડ પર 1.4 એકરમાં બનેલી આ હોટલમાં 315 જેટલા રૂમ્સ છે. IHCL દ્વારા આ હોટેલને તાજ સ્કાયલાઈન નામ આપવામાં આવ્યું છે. થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ ઈને બનાવી છે અને હોટલનું મેનેજમેંટ ઇન્ડિયન હોટેલ્સ કરશે. આ સાથે જ ઇન્ડિયન હોટેલ્સની ગુજરાતમાં 13 હોટેલ્સ થઇ છે અને એક હોટેલ નિર્માણાધીન છે.
કંપની માટે અમદાવાદ મહત્વનું માર્કેટ
ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ચટવાલે જણાવ્યું કે, તાજ સ્કાયલાઇન સાથે, IHCLએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરના તમામ નોંધપાત્ર વ્યવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટીએ અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે.
હોટેલ નિર્માણમાં સંકલ્પનું રૂ. 300 કરોડનું રોકાણ
અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનનાં ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે, અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટેલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટેલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.
દુબઈ અને મુંબઈ બાદ અમદાવાદમાં પણ શામિયાના
કંપનીના જણાવ્યા મુજબ તેની ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવી છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે. આ સિવાય આ હોટેલના ઇન્ટીરીયરમાં અમદાવાદ શહેરના હેરિટેજને પણ દર્શાવવામાં આવી છે.
The post ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી તાજ હોટેલની શરૂઆત કરી appeared first on News n Feeds.
]]>The post Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ appeared first on News n Feeds.
]]>દુનિયાભરમાં કોવિડ-19ના કેસ ફરી વધવાથી આ સમયે કાચા તેલની કિંમતોમાં સામાન્ય સુસ્તી જોવા મળી છે. પરંતુ તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક એ કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો વધુ ત્રણ મહિના કરવાનું મન બનાવી લીધું છે. જ્યાં સુધી ઘરેલૂ બજારની વાત છે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારા બાજ આજે શાંતિ રહી છે. સરકારી તેલ કંપનીઓએ આજે બંન્ને ઈંધણોના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીના ભાવ જુઓ તો સોમવારે પેટ્રોલ 82.34 રૂપિયા તો ડીઝલ 72.42 રૂપિયા પ્રતિ લીટર હતો.
છેલ્લા નવ દિવસમાં 1.28 પૈસા મોંઘુ થયું છે પેટ્રોલ
પાછલા ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતા, તો એક સપ્ટેમ્બર સુધી ચાલું રહ્યાં હતા. અહીં દિલ્હીની વાત કરીએ તો 13 ભાગમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.65 પૈસા મોંઘુ થયું હતું. ત્યારબાદ કિંમતો સ્થિર રહ્યાં બાદ 10 સપ્ટેમ્બર બાદ તેમાં ધીમે-ધીમે ઘટાડો થયો અને પાછલા મહિને તેમાં 1.19 રૂપિયાનો ઘટાડો થઈ ચુક્યો હતો. ત્યારબાદ તેમાં 48 દિવસ સુધી શાંતિ રહી હતી. પરંતુ છેલ્લા 10 દિવસમાં એક દિવસને છોડી દેવામાં આવે તો બાકી નવ દિવસમાં વધારો જોવા મળ્યો હતો. આટલા દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.28 પૈસા મોંઘુ થઈ ચુક્યું છે.
ડીઝલમાં 1.96 રૂપિયાનો વઘારો
દિલ્હીમાં 25 જુલાઈએ છેલ્લીવાર ડીઝલ મોંઘુ થયું હતું. ત્યારબાદ 31 જુલાઈએ દિલ્હી સરકારે તેના પર વેટ ઘટાડ્યો હતો તો તે પ્રતિ લીટર 8.38 રૂપિયા સસ્તું થયું હતું. ત્યારબાદ 3 ઓગસ્ટ પછી ડીઝલ 3.10 રૂપિયા સસ્તું થયું હતું. પછી સતત 48 દિવસ સુધી ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. છેલ્લા 10 દિવસમાં એક દિવસને છોડી દેવામાં આવે તો બાકીના દિવસોમાં વધારો થયો હતો. આટલા દિવસમાં ડીઝલ 1.96 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચુક્યું છે.
શહેરનું નામ | પેટ્રોલ ભાવ | ડીઝલ ભાવ |
દિલ્હી | 82.34 | 72.42 |
મુંબઈ | 89.02 | 78.97 |
ચેન્નાઈ | 85.31 | 77.84 |
કોલકાતા | 83.87 | 75.99 |
નોઈડા | 82.62 | 72.83 |
રાંચી | 81.75 | 76.66 |
બેંગલુરુ | 85.09 | 76.77 |
પટણા | 84.93 | 77.8 |
ચંદીગઢ | 79.28 | 72.17 |
લખનઉ | 82.54 | 72.75 |
અમદાવાદ | 79.77 | 77.86 |
The post Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ appeared first on News n Feeds.
]]>The post નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કરશે અગત્યની જાહેરાત, નોકરીયાત અને વેપારી વર્ગને મળી શકે છે દિવાળી ગિફ્ટ appeared first on News n Feeds.
]]>નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister of India) આજે બપોરે 12:30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નાણા મંત્રી વધુ એક રાહત પેકેજની જાહેરાત કરશે. આ પેકેજમાં નાણા મંત્રી રોજગાર વધારવાને પ્રાધાન્ય આપી શકે છે. કેન્દ્ર સરકાર આગામી પ્રોત્સાહન પેકેજમાં પીએફ સબ્સિડી આપવાની જાહેરાત કરી શકે છે. આ સબ્સિડી કર્મચારીઓ અને રોજગાર આપનારી કંપનીઓ બંને માટે 10 ટકા PFના રૂપમાં હોઈ શકે છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચે પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (Pradhan Mantri Rojgar Protsahan Yojana)ને બંધ કરી દીધી હતી, પરંતુ હવે સરકાર ફરી એકવાર આ યોજનાને શરૂ કરવાનો પ્લાન બનાવી રહી છે.
26 સેક્ટર્સ માટે મોટી જાહેરાતની શક્યતા- સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, કેવી કામથ કમિટી તરફથી 26 સેક્ટર્સ માટે કરવામાં આવેલી ભલામણો મુજબ પેકેજ આવી શકે છે. આ સેકટર્સની કંપનીઓ માટે ઇમરજન્સી ક્રેડિટની જાહેરાત થઈ શકે છે. નવી ઘોષણા મુજબ આ કંપનીઓને ગેરંટી વગર લોન મળશે.
નોકરીયાત વર્ગને મળશે દિવાળી ગિફ્ટ?
મની કન્ટ્રોલને સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, શ્રમ મંત્રાલયે પ્રસ્તાવને અંતિમ રૂપ આપી દીધું છે અને સરકાર આગામી રાહત પેકેજમાં આ સ્કીમ વિશે ઘોષણા કરી શકે છે. નોંધનીય છે કે સરકાર આગામી બે વર્ષો માટે સબ્સિડી આપવાનો પ્લાન કરી રહી છે. જોકે આ યોજના શરૂ થવામાં હજુ 6 કે 7 મહિનાનો સમય લાગી શકે છે.
કોને મળશે સ્કીમનો ફાયદો? – પ્રસ્તાવ મુજબ આ સબ્સિડી સ્કીમનો લાભ ઉઠાવવા માટે કર્મચારીની સેલરી 15,000 રૂપિયા પ્રતિ માસથી વધુ ન હોવી જોઈએ. જે લોકોની સેલરી વધુ હશે તેને આ સ્કીમનો ફાયદો નહીં મળે.
The post નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કરશે અગત્યની જાહેરાત, નોકરીયાત અને વેપારી વર્ગને મળી શકે છે દિવાળી ગિફ્ટ appeared first on News n Feeds.
]]>The post અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર appeared first on News n Feeds.
]]>ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને કરોડો રૂપિયાના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છું.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી
અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી છે.
કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તેેની માહિતી લૂંટારૂઓ પાસે હતી
ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તે સહિતની તમામ માહિતી લૂંટારૂઓ પાસે હતી. જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફાઇનાન્સ કંપની ગોલ્ડ લોન આપતી હોવાનું જાણવા મળ્યું છે.
The post અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર appeared first on News n Feeds.
]]>