Home Gujarati કોરોના સામેની લડાઇમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ 21 લાખ રૂપિયા દાન કર્યા

કોરોના સામેની લડાઇમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ 21 લાખ રૂપિયા દાન કર્યા

107
0


રાજકોટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ કોરોના સામેની લડાઇમાં 21 લાખ રૂપિયા દાન કર્યા છે. રીવાબાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકી આ જાહેરાત કરી છે. વીડિયોમાં જણાવ્યું છે કે, આપણો દેશ અને વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હું રીવાબા રવિન્દ્ર જાડેજા પ્રધાનમંત્રી રાહત ફંડમાં પર્સનલ સેવિંગમાંથી 21 લાખ રૂપિયા દાન કરૂ છું. સાથોસાથ દેશવાસીઓને વિનંતી કરી રહી છું કે, આ લોકડાઉનની પરિસ્થિતિમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરો. ઘરમાં રહી સુરક્ષિત રહો અને દેશસેવામાં તમારૂ યોગદાન અવશ્ય આપો. ઇન્ડિયા ફાઇટ કોરોના નમસ્કાર, જય હિંદ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વીડિયો મારફત જાહેરાત કરી