અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા છે. જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. ત્યારે અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને 1500 વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરના કાલુપુર, સારંપુર સહિતના વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અલગ-અલગ સંસ્થાઓ તેમજ પોલીસ અને સરકાર દ્વારા લોકોને પાણી-ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today