The post IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત appeared first on News n Feeds.
]]>આ વર્ષે આઇપીએલમાં 40 મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની થઈ છે. ત્રણ ટીમો- દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફમાં પહોંચવું નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોથી ટીમ કઈ હશે તેને લઈને સસ્પેન્સ ઊભું થઈ રહ્યું છે. એવામાં દરેકની નજર ચેન્નઈ સુપર કિંગ્સ પર ટકેલી છે. ધોનીની કેપ્ટન્સીમાં આ ટીમે દરેક વખતે આઇપીએલના પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું છે. પરંતુ આ વખતે ધોનીની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. હાલમાં ચેન્નઈની ટીમ પોઇન્ટ ટેબલ (IPL Points Table)માં છેલ્લા નંબરે છે. સાથોસાથ નેટ રનરેટ પણ માઇનસ (-0.463) છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું ધોનીની ટીમ હવુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. આવો આઇપીએલની અલગ-અલગ સ્થિતિના માધ્યમથી તેને સમજવાનો પ્રયાસ કરીએ.
ચેન્નઈની બાકી બચેલી મેચો
ચેન્નઈ સુપર કિંગ્સને હજુ ચાર મેચ રમવાની છે. આ મેચ છે- મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ
નેટ રનરેટ વગર પ્લેઓફમાં પહોંચવાની આશા
– ચેન્નઈ સુપર કિંગ્સને બાકી બચેલી ચારેય મેચ જીતવી જ પડશે.- ચેન્નઈને એવી પણ આશા રાખવી પડશે કે હાલની ટોપ ત્રણ ટીમો (DC, RCB અને MI) પોતાની તમામ બચેલી મેચ જીતે.
– સાથોસાથ આ ત્રણેય ટીમો પરસ્પર રમાનારી મેચોથી પણ ચેન્નઈને કોઈ લેવા-દેવા નથી.
– ચેન્નઈની ટીમ ચોથા નંબર પર પહોંચી શકે છે જો કેકેઆર બાકી બચેલી ચાર મેચમાંથી માત્ર એક જીતે છે.
– આ ઉપરાંત ચેન્નઈએ ઈશ્વરને પણ પ્રાર્થના કરવી પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સને બેથી વધુ મેચમાં જીત ન મળે.
– આવી સ્થિતિમાં ચેન્નઈના ખાતામાં 14 પોઇન્ટ આવી જશે અને તે નેટ રનરેટ વગર જ સીધી પ્લેઓફમાં પહોંચી જશે.
નેટ રનરેટથી નિર્ણય લેવાતાં…
– એક તરફ સમીકરણ બને છે કે ચેન્નઈની ટીમ નેટ રનરેટના આધાર પર ક્વોલિફાય કરી લેશે. અનેક ટીમોના 14 પોઇન્ટ થઈ શકે છે.
– એવામાં ચેન્નઈ સુપર કિંગ્સને નેટ રનરેટને સારો કરવા માટે મોટા અંતરથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે. બાકી બચેલી તમામ મેચ પણ જીતવી પડશે.
મુંબઈની વિરુદ્ધ જો ચેન્નઈ હારી ગયું તો શું થશે?
મુંબઈની વિરુદ્ધ હાર બાદ પણ ચેન્નઈની ટીમ ટૂર્નામેન્ટથી બહાર નહીં થાય. 12 પોઇન્ટની સાથે તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. જેમ કે સનરાઇઝર્સે ગયા વર્ષે કર્યું હતું. પરંતુ ચેન્નઈ માટે આ પડકાર સરળ નથી. તેણે બીજી ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે. એવામાં સૌથી સરળ એ છે કે તે સારા નેટ રનરેટ સાથે તમામ બચેલી મેચ જીતી લે.
The post IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત appeared first on News n Feeds.
]]>The post એમએસ ધોનીના પ્રશંસકે પીળા રંગમાં આવી રીતે રંગી નાખ્યું પોતાનું ઘર appeared first on News n Feeds.
]]>ચેન્નઈ સુપરકિંગ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગનું પાવરહાઉસ રહ્યું છે. તે ત્રણ વખત ટાઇટલ જીતી ચૂક્યું છે. સીએસકેની ટીમે આઠ વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે અને દર વર્ષે પ્લેઓફમાં પહોંચી છે. જોકે આ વખતે ટીમ થોડી મુશ્કેલ સ્થિતિમાં છે. ટીમ આ વખતે 8 મેચમાં ફક્ત 3 મેચમાં જીત મેળવી પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જોકે સીએસકેના પ્રશંસકોમાં ઘણો ઉત્સાહ છે.
ધોનીના નેતૃત્વમાં ટીમ તણાવ અને દબાણમાં પસાર થઈ રહી છે. ચેન્નઈ સુપરકિંગ્સની સૌથી મોટી તાકાત તેના વિશ્વાસપાત્ર પ્રશંસકો છે. જે હંમેશા તેની સાથે ઉભા રહે છે. ખેલાડીઓનો મૂડ શાનદાર બનાવવા માટે સીએસકેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પ્રશંસકોના કેટલાક ફોટો શેર કર્યા છે.
સીએસકેએ જે ફોટો શેર કર્યા છે જે આરંગુર, તમિલનાડુના સુપર પ્રશંસક ગોપી કૃષ્ણન અને તેના પરિવારના છે. ધોની અને સીએસકેના આ સુપર પ્રશંસકે પોતાના ઘરને પીળા રંગમાં રંગાવી દીધું છે. આ સાથે તેણે પોતાના આ ઘરને હોમ ઓફ ધોની ફેન નામ આપ્યું છે.
ધોનીના પ્રશંસક ગોપી કૃષ્ણને કહ્યું કે હું ધોનીનો ઘણો મોટો પ્રશંસક છું. લોકો તેના વિશે નેગેટિવ કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો ભૂલી ગયા છે કે તે વર્લ્ડ ક્રિકેટમાં બેસ્ટ ફિનિશર્સમાંથી એક છે.
ચેન્નઈ સુપરકિંગ્સ મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવી જીતના પાટા પર વાપસી કરી છે. આ મેચમાં ધોનીએ ઘણા ફેરફાર કર્યા હતા. તેણે શેન વોટ્સનના સ્થાને સેમ કુર્રનને ઓપનિંગમાં મુક્યો હતો.
The post એમએસ ધોનીના પ્રશંસકે પીળા રંગમાં આવી રીતે રંગી નાખ્યું પોતાનું ઘર appeared first on News n Feeds.
]]>The post ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા appeared first on News n Feeds.
]]>ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 19મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે દુબઈ સ્ટેડિયમમાં રમાઈ. CSK તરફથી શેન વૉટસને 42 રનની અને અંબાતૂ રાયડૂએ 41 રનની ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાએ અંતમાં 10 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સર ફટકાર અણનમ 25 રન કર્યા. પહેલા બેટિંગ કરતાં CSKએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 8 વિકેટ ગુમાવીને 147 રન જ કરી શકી અને તે 20 રનથી મેચ હારી ગઈ. મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને અમ્પાયર વચ્ચે એક ઘટના બની જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ મેચ દરમિયાન પ્રશંસકોને ફરી એકવાર ધોનીનો ગુસ્સો જોવા મળ્યો. ધોનીના આ ગુસ્સાના કારણે અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો. ધોનાના ગુસ્સાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે ધોનીના ગુસ્સાથી અમ્પાયરે વાઇડ બોલ ન આપવાની બાબતની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.
મૂળે, સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની 19મી ઓવરમાં આ ઘટની બની, જ્યારે શાર્દૂલ ઠાકુર બોલિંગ કરી રહ્યો હતો. 19મી ઓવરનો બીજો બોલ ઠાકુરે રાશિદ ખાનને ઓફ સ્ટમ્પની બહાર યોર્કર ફેંક્યો. તેની પર અમ્પાયર પોલ રિફેલ એ વાઇડનો ઈશારો કરવા માટે પોતાના હાથ બહાર કાઢ્યા, પરંતુ તેની વિકેટની પાછળ ઊભેલા ધોનીનો ગુસ્સો નજરમાં આવી ગયો. ધોની અમ્પાયર પર ગુસ્સો કરતો જોવા મળ્યો, ત્યારબાદ અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો.
ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો તેની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને પ્રશંસકો તેની પર પોતાના રિએક્શન આપી રહ્યા છે.
બીજી તરફ, મેચ જીત્યા બાદ ધોનીએ કહ્યું કે, આ સારી મેચ રહી અને અંતમાં તો બે પોઇન્ટનું મહત્વ છે. ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે એ અગત્યનું છે કે બે પોઇન્ટ મળ્યા અને આજે અમે સારું રમ્યા. આ એક મેચ હતી, પરફેક્ટની નજીક હતી. એક બે ઓવર સારી થઈ શકતી હતી, પરંતુ આ મેચ સારી રહી.
The post ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા appeared first on News n Feeds.
]]>