The post ‘મારા ખેતરમાં દુષ્કર્મ થયું હોવાથી પોલીસે ઊભો પાક લણવા ન દીધો, 50 હજારનો પાક નિષ્ફળ ગયો છે, વળતર આપો’- ખેતરમાલિકે યોગી સરકાર સમક્ષ નુકસાનીની ભરપાઈ માગી appeared first on News n Feeds.
]]>ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત ગેંગરેપની ઘટનાને એક મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. સરકારના આદેશ પર 3 સભ્યની SIT તપાસ કરી ચૂકી છે. હવે CBIની તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે 14 સપ્ટેમ્બરે જે બાજરીના ખેતરમાં ઘટના ઘટી હતી તેના માલિકે યોગીસરકાર પાસે 50 હજાર રૂપિયાનું વળતર માગ્યું છે. ખેતરના માલિકનું કહેવું છે કે આ ઘટના પછી તેના ખેતરમાં પાણી આપવાનું બંધ કરી દેવાયું.
ખેડૂતે જણાવ્યું હતું કે પોલીસે ઘણા દિવસ સુધી પુરાવા હોવાની વાત કહેતી હતી, જેનાથી પાકની સિંચાઈ ન થઈ શકી. હવે CBIએ કહ્યું, પાક લણી શકો છો, પણ પાક ખરાબ થઈ ગયો છે. ઓછામાં ઓછા 50 હજારનું નુકસાન થયું છે, એનું વળતર આપો.
લોકડાઉનમાં જયપુરથી પાછો આવેલો ખેડૂત
ખેતરમાલિક સોમ સિંહે જણાવ્યું હતું કે તે જયપુરમાં નોકરી કરે છે પણ કોરોનાના કારણે તે ગામમાં પાછો આવ્યો હતો. 9 વીઘા ખેતરમાં બાજરી વાવી હતી. ઘટના પછી પોલીસે પુરાવા લેવાની વાત કહીને મારી મમ્મીને પાણી આપવાનું ના પાડી દીધું હતું. કહેવામાં આવ્યું કે જો પાકની સિંચાઈ કરવામાં આવશે તો પુરાવાનો નાશ થઈ જશે. એટલા માટે સિંચાઈ ન થઈ શકી, જેનાથી પાકમાં દાણો ન ફૂટ્યો. અમારો 6 મહિનાનો પાક છે, પણ આ ઘટના પછી મહેનત બેકાર થઈ ગઈ. અમે ખેતી અને પશુઓ પર નિર્ભર છીએ. એવામાં અમને નુકસાન થયું છે. સરકાર અમારી મદદ કરે.
ખેતરમાલિકનો ભાઈ ઘટનાનો સાક્ષી
સોમ સિંહનો નાનો ભાઈ વિક્રમ ઉર્ફે છોટુ 14 સપ્ટેમ્બરે બનેલી ઘટનાનો સાક્ષી પણ છે. તેની CBI અત્યારસુધીમાં બે વખત પૂછપરછ પણ કરી ચૂકી છે. તેણે CBIની ટીમને જણાવ્યું હતું કે જે ખેતરમાં છોકરી મળી હતી, એ તેનું જ છે. તેનું કહેવું હતું કે ઘટના વખતે તે ખેતરમાં ચારો કાપી રહ્યો હતો, ત્યારે બૂમો સંભળાઈ. હું ઘટનાસ્થળે પહોંચ્યો તો યુવતી ખેતરમાં પડી હતી. તેનાં ભાઈ અને મમ્મી બન્ને ઊભાં હતાં.
પીડિતાના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર
SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી પીડિતાના પરિવારને પહેલા હપતામાં 4 લાખ 12 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજા હપતામાં 5 લાખ 87 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. પછીથી સરકાર તરફથી પણ 15 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરિવારના એક સભ્યને નોકરી અને હાથરસમાં ઘરનું આશ્વાસન આપવામાં આવ્યું હતું
The post ‘મારા ખેતરમાં દુષ્કર્મ થયું હોવાથી પોલીસે ઊભો પાક લણવા ન દીધો, 50 હજારનો પાક નિષ્ફળ ગયો છે, વળતર આપો’- ખેતરમાલિકે યોગી સરકાર સમક્ષ નુકસાનીની ભરપાઈ માગી appeared first on News n Feeds.
]]>The post Paytm થી કટ થઈ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત appeared first on News n Feeds.
]]>ઘણીવાર એવું થાય છે કે તમે સામાન ખરીદવા માટે પેટીએમ (Paytm) વડે પેમેન્ટ કરો છો પરંતુ પૈસા દુકાનદાર સુધી પહોંચ્યા નથી. મગજ ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે કે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઇ ચૂક્યા છે. આમ તો મોટાભાગના લોકો કહે છે કે પૈસા પરત આવી જશે. પરંતુ જો એમાઉન્ટ મોટી હોય તો ચિંતા વ્યાજબી છે. આવો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે પોતાના પૈસા પરત મેળવી શકીએ છીએ.
એપ દ્વારા તાત્કાલિક ફરિયાદ કરવાની રીત
જો તમારા પેટીએમમાંથી પૈસા કપાઇ જાય છે અને તમે ઇચ્છો છો કે તેની ફરિયાદ તાત્કાલિક કરવામાં આવે તો આ સુવિધા પણ એપમાં જ છે. તમારા પેટીએમ એપ (Paytm App) પર સૌથી ઉપર ડાબી તરફ ત્રણ ડોટ્સ પર ક્લિક કરવું પડશે. અહીં 24*7 Help and Support માં જાવ. ત્યારબાદ તમે Get help with recent order દ્વારા અથવા કેટેગરી સિલેક્ટ કર્યા બાદ Order સિલેક્ટ કરો. પછી તમે તમારા બેંકમાંથી કપાયેલા પૈસા અને ફેલ ટ્રાંજેક્શન (Transaction) વિશે ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ પર પેટીએમ દ્વારા કરવામાં આવેલા પ્રોસેસ વિશે પણ જાણવું સરળ છે. તેના માટે તમારે ફરીથી 24*7 Help and Support પર ક્લિક કરવું પડશે. અહીં તમને Your Recent Tickets બતાવશે. તેના પર ક્લિક કરીને તમારી ફરિયાદનું સ્ટેટ્સ જોઇ શકો છો.
પેટીએમ કસ્ટમર કેર સાથે કરો વાત
ફેલ ટ્રાંજેક્શનની ફરિયાદની બીજી એક સરળ રીત પેટીએમ કસ્ટમર કેર (Paytm Customer Care) પણ છે. તમે પેટીએમના કસ્ટમર કેરના નંબર (બેંક, વોલેટ, પેમેન્ટ માટે – – 0120-4456456) પર પણ કોલ કરી શકે છે. પોતાની ફરિયાદની ડિટેલ પોતાની સાથે રાખો. એક્ઝિક્યૂટિવ સાથે વાતચીત થાય ત્યારે ફેલ ટ્રાંજેક્શનનું વિવરણ આપો. તમારી ફરિયાદ પર થઇ રહેલી કાર્યવાહી વિશે અહીંથી જાણી શકો છો.
ઓમ્બડ્સમેન સાથે કરી શકાય ફરિયાદ
આ સાચી વાત છે કે ઘણીવાર ઓનલાઇન પેમેન્ટ એપ (Online Payment App) પણ તમારી ફરિયાદનું નિવારણ કરી શકતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પહેલાં જ આવા મામલા માટે નિયમ બનાવ્યા છે. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે સરકારે ઓમ્બડસમેનની જોગવાઇ કરી છે. એટલે કે પેમેન્ટ એપ દ્વારા સમાધાન નહી મળતાં તમે તમારી ફરિયાદ ઓમ્બડમેન પાસે લઇ જઇ શકો છો. એક જોગવાઇ છે કે જો ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલી ફરિયાદોનું નિવારણ કરે છે.
The post Paytm થી કટ થઈ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત appeared first on News n Feeds.
]]>