Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
govermentrules – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Tue, 29 Sep 2020 08:15:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 1 ઓક્ટોબરથી થઈ રહ્યા છે આ 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે જબરદસ્ત અસર https://newsnfeeds.com/these-8-big-changes-happening-from-october-1-will-have-a-tremendous-impact-on-your-pocket/ Tue, 29 Sep 2020 08:13:40 +0000 https://newsnfeeds.com/?p=156761 આગામી એક ઓક્ટોબરથી તમારા જીવનમાં આ 8 મોટા ફેરફાર આવવાના છે. નવી દિલ્હી: આગામી એક ઓક્ટોબરથી તમારા જીવનમાં આ 8 મોટા ફેરફાર આવવાના છે. આ નવા મહિનાથી ફેસ્ટિવ સીઝન પણ શરૂ થશે. આ સાથે જ કોરોનાકાળમાં સરકાર અનલોક 5.0ની પણ જાહેરાત કરશે. જે ફેરફાર થવા જઈ રહ્યા છે તેમાં હવાઈ મુસાફરી, મીઠાઈ, ગેસ સિલિન્ડર, અને […]

The post 1 ઓક્ટોબરથી થઈ રહ્યા છે આ 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે જબરદસ્ત અસર appeared first on News n Feeds.

]]>
આગામી એક ઓક્ટોબરથી તમારા જીવનમાં આ 8 મોટા ફેરફાર આવવાના છે.

નવી દિલ્હી: આગામી એક ઓક્ટોબરથી તમારા જીવનમાં આ 8 મોટા ફેરફાર આવવાના છે. આ નવા મહિનાથી ફેસ્ટિવ સીઝન પણ શરૂ થશે. આ સાથે જ કોરોનાકાળમાં સરકાર અનલોક 5.0ની પણ જાહેરાત કરશે. જે ફેરફાર થવા જઈ રહ્યા છે તેમાં હવાઈ મુસાફરી, મીઠાઈ, ગેસ સિલિન્ડર, અને સ્વાસ્થ્ય વીમા સહિત અનેક ચીજ વસ્તુઓ એવી છે જેની અસર તમારા જીવન પર જોવા મળશે.

1/8… ગેસ સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર.

સૌથી પહેલા રાંધણ ગેસથી શરૂઆત કરીએ. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG રસોઈ ગેસ સિલિન્ડર અને હવાઈ ઈંધણની નવી કિંમતો જાહેર કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળે છે. એક ઓક્ટોબરે પણ LPGના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. આ માટે તમારે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે.

2/8…દિલ્હીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ જરૂરી

દિલ્હીમાં 1 ઓક્ટોબરથી ગાડીઓ પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ જરૂરી કરવામાં આવી છે. જે ગાડીઓ એપ્રિલ 2019 પહેલાની છે તેમના માટે આ નંબર પ્લેટ ગાડીઓ પર હોવી જરૂરી છે. પ્લેટ ન હોવાના કારણે પાંચ હજાર રૂપિયા ચલણ કપાઈ શકે છે.

3/8…ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈચલણના બદલાશે  નિયમો

કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમ 1989(Motor Vehicle Act)માં સંશોધન કર્યું છે. સરકારે કહ્યું છે કે એક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પોર્ટલના માધ્યમથી એક ઓક્ટોબર 2020થી ડ્રાઈવિંગ લાયસન્સ અને ઈચલણ સહિત વાહન સંબંધિત તમામ દસ્તાવેજોની દેખરેખ કરાશે. એક નિવેદનમાં કહેવાયું છેકે વાહન દસ્તાવેજોના નિરિક્ષણ દરમિયાન ઈલેક્ટ્રોનિક માધ્યમથી કાયદેસર વાહનોના દસ્તાવેજોના બદલે ભૌતિક દસ્તાવેજોની માંગણી કરવામાં આવશે નહીં.

4/8…ગાડી ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગ પર ચલણ

નવા નિયમ મુજબ ગાડી ચલાવતી વખતે હાથમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત રૂટ નેવિગેશન એ રીતે કરી શકાશે જેથી કરીને ડ્રાઈવરનું ધ્યાનભંગ ન થાય. જો કે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ પર વાત કરશો તો એક હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ નવા નિયમને નોટિફાય કરી દીધુ છે.

5/8…દિલ્હીમાં Go Air ના વિમાનોનું ટર્મિનલ બદલાશે

એક ઓક્ટોબરથી ગોએરની દિલ્હી આવનારી અને અહીંથી ઉડાણ ભરનારી ફ્લાઈટ્સ હવે  ટર્મિનલ 2થી ઓપરેટ થશે. કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચવા માટે હવાઈ કંપનીએ મુસાફરો માટે ખાસ ફોન નંબર અને સલાહ  પણ બહાર પાડ્યા છે. ગોએરએ મુસાફરોને સલાહ આપી છે કે ઘરેથી નિકળતા પહેલા પોતાની ફ્લાઈટ અને ટર્મિનલ ચેક કરી લે. વધુ જાણકારી માટે GoAir Customer Care नम्बर 1800 2100 999 અને +91 22 6273 2111 પર ફોન કરીને ડિટેલ ચેક કરી શકાય છે.

6/8…મીઠાઈવાળા ફક્ત તાજી મીઠાઈ વેચી શકશે

હવે મીઠાઈવાળા વાસી મીઠાઈ વેચી શકશે નહીં. કેન્દ્ર સરકારે એક ઓક્ટોબરથી એક નવો કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ મીઠાઈ વેચનારા દુકાનદારોએ પોતાની તમામ મીઠાઈ પર એક્સપાયરી ડેટ નાખવી પડશે. FSSAI ના નવા નિયમ મુજબ દુકાનોમાં મીઠાઈની સજેલી થાળીઓ પર બેસ્ટ બિફોર લખવું ફરજિયાત રહેશે. એટલે કે મીઠાઈ જે સમય સુધી ખાવા યોગ્ય રહેશે તેની તારીખ મીઠાઈની તારીખ પર લખવી જરૂરી રહેશે. જો કે મીઠાઈ બનાવવાની તારીખ થાળી પર લખવું જરૂરી નથી. કારણ કે FSSAIએ તેને વેપારીઓની ઈચ્છા પર છોડ્યું છે.

7/8…હેલ્થ ઈન્શ્યોરન્સ હેઠળ મળશે વધુ સુવિધા

વીમા નિયામક આઈઆરડીએઆઈના નિયમો મુજબ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીમાં એક મોટો ફેરફાર થવાનો છે. એક ઓક્ટોબરથી તમામ હાલની અને નવી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી હેઠળ ખુબ જ રાહત દરે વધુ બીમારીઓ માટે કવર ઉપલબ્ધ થશે. આ ફેરફાર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીને સ્ટાન્ડર્ડાઈઝ્ડ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરાઈ રહ્યો છે. તેમાં અનેક અન્ય ફેરફાર પણ સામેલ છે.

8/8…વિદેશ પૈસા મોકલવા મોંઘું પડશે

કેન્દ્ર સરકારે વિદેશ પૈસા મોકલવા પર ટેક્સ વસૂલવા સંબંધિત નવા નિયમ બનાવ્યા છે. આ નિયમ એક ઓક્ટોબરથી લાગુ થશે. આવામાં જો તમે વિદેશમાં ભણતા તમારા  બાળકને પૈસા મોકલશો કે કોઈ સંબંધીને આર્થિક મદદ કરશો તો તે રકમ પર 5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ની વધારાની ચૂકવણી કરવી પડશે. ફાઈનાન્સ એક્ટ 2020(Finance Act 2020) મુજબ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લિબરલાઈઝ્ડ રેમિટેન્સ સ્કિમ (LRS) હેઠળ વિદેશ પૈસા મોકલનારી વ્યક્તિએ ટીસીએસ આપવું પડશે.

डीजल के भाव में फिर कटौती, पेट्रोल पर राहत नहीं, ये है नई रेट लिस्ट

 

 

The post 1 ઓક્ટોબરથી થઈ રહ્યા છે આ 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે જબરદસ્ત અસર appeared first on News n Feeds.

]]>
156761
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત https://newsnfeeds.com/education-minister-bhupendrasinh-chudasamas-big-statement-happy-end-to-the-question-of-whether-the-state-schools-will-open-or-not%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3%e0%aa%ae/ Wed, 16 Sep 2020 10:22:57 +0000 https://newsnfeeds.com/?p=156392 રાજ્યના મંત્રીમંડળની બેઠકની બેઠકમાં વાલીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે. કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો […]

The post શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત appeared first on News n Feeds.

]]>

રાજ્યના મંત્રીમંડળની બેઠકની બેઠકમાં વાલીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ શાળાઓ નહીં ખૂલે, જેથી રાજ્યના ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે. પરંતુ કેન્દ્રની ગાઈડલાઈન મરજીયાત છે.

કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વાલીઓ અસમંજસમાં હતો કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા કે નહીંસ, તે સવાલનો આજે સુખદ અંત આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ અને અનલૉકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી. જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિમર્શ માટે બોલાવી શકશે. તેમજ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે. પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

16 માર્ચથી બંધ છે સ્કુલો 

રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.

https://newsnfeeds.com/bidai-fame-actress-sara-khan-turns-out-to-be-corona-positive-home-quarantine/

The post શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત appeared first on News n Feeds.

]]>
156392
શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે https://newsnfeeds.com/gujarat-governments-big-decision-to-open-a-school-currently-9-to-12-schools-will-not-open/ Wed, 16 Sep 2020 09:27:34 +0000 https://newsnfeeds.com/?p=156358 ગુજરાતમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓ ના ખોલવા માટે નિર્ણય કરવાનો કેબિનેટ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ નહીં ખૂલવા બાબતે મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં આંશિક રીતે માર્ગદર્શન માટે વાલીની લેખિત મંજૂરી સાથે શાળાઓ શરૂ કરવા નિર્દેશિકાઓ જાહેર કરવામાં આવી છે. જે બાબતે […]

The post શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે appeared first on News n Feeds.

]]>
ગુજરાતમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓ ના ખોલવા માટે નિર્ણય કરવાનો કેબિનેટ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ નહીં ખૂલવા બાબતે મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 9 થી 12 માં આંશિક રીતે માર્ગદર્શન માટે વાલીની લેખિત મંજૂરી સાથે શાળાઓ શરૂ કરવા નિર્દેશિકાઓ જાહેર કરવામાં આવી છે. જે બાબતે કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે, શાળાઓ ખોલવામાં નહિ આવે. કેન્દ્ર દ્વારા આપેલી ગાઈડલાઈનમાં પણ શાળાઓ ખોલવા બાબતે મરજિયાત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જે મામલે કેબિનેટમાં શાળાઓના ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓ ના ખોલવા માટેનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.

https://newsnfeeds.com/incidents-near-rajasthan-kota/

 

The post શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે appeared first on News n Feeds.

]]>
156358