The post નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં appeared first on News n Feeds.
]]>નવરાત્રી (Navratri 2020)ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીની પૂજા-આરતી તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની મંજૂરી (Police Permission for Navratri 2020) લેવી પડશે. જેના અનુસંધાને નવરાત્રી પહેલા પોલીસ સ્ટેશનોમાં મંજૂરી માટે લાઇનો લાગી ગઈ હતી. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો (Public Places) પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે. એટલે કે સોસાયટીઓ કે ફ્લેટના પરિસરોમાં મૂર્તિની સ્થાપના માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.
આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસ મંજૂરી ફરજિયાત છે. જે બાદમાં સોસાયટી અને એપોર્ટમેન્ટ ધારકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ સાથે જ લોકોએ આ માટેની મંજૂરી લેવા માટે પોલીસ સ્ટેશનોમાં લાઇનો લગાવી દીધી હતી. આજે સરકારે સોસાયટી અને ફ્લેટ પરિસરોમાં મંજૂરી જરૂરી ન હોવાનું કહેતા લોકોને મોટી રાહત થઈ છે. જોકે, આ સાથે સરકારે જાહેર કરેલી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની અન્ય તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
The post નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં appeared first on News n Feeds.
]]>The post ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા appeared first on News n Feeds.
]]>ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 19મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે દુબઈ સ્ટેડિયમમાં રમાઈ. CSK તરફથી શેન વૉટસને 42 રનની અને અંબાતૂ રાયડૂએ 41 રનની ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાએ અંતમાં 10 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સર ફટકાર અણનમ 25 રન કર્યા. પહેલા બેટિંગ કરતાં CSKએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 8 વિકેટ ગુમાવીને 147 રન જ કરી શકી અને તે 20 રનથી મેચ હારી ગઈ. મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને અમ્પાયર વચ્ચે એક ઘટના બની જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ મેચ દરમિયાન પ્રશંસકોને ફરી એકવાર ધોનીનો ગુસ્સો જોવા મળ્યો. ધોનીના આ ગુસ્સાના કારણે અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો. ધોનાના ગુસ્સાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે ધોનીના ગુસ્સાથી અમ્પાયરે વાઇડ બોલ ન આપવાની બાબતની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.
મૂળે, સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની 19મી ઓવરમાં આ ઘટની બની, જ્યારે શાર્દૂલ ઠાકુર બોલિંગ કરી રહ્યો હતો. 19મી ઓવરનો બીજો બોલ ઠાકુરે રાશિદ ખાનને ઓફ સ્ટમ્પની બહાર યોર્કર ફેંક્યો. તેની પર અમ્પાયર પોલ રિફેલ એ વાઇડનો ઈશારો કરવા માટે પોતાના હાથ બહાર કાઢ્યા, પરંતુ તેની વિકેટની પાછળ ઊભેલા ધોનીનો ગુસ્સો નજરમાં આવી ગયો. ધોની અમ્પાયર પર ગુસ્સો કરતો જોવા મળ્યો, ત્યારબાદ અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો.
ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે વાઇડ બોલ ન આપ્યો તેની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને પ્રશંસકો તેની પર પોતાના રિએક્શન આપી રહ્યા છે.
બીજી તરફ, મેચ જીત્યા બાદ ધોનીએ કહ્યું કે, આ સારી મેચ રહી અને અંતમાં તો બે પોઇન્ટનું મહત્વ છે. ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે એ અગત્યનું છે કે બે પોઇન્ટ મળ્યા અને આજે અમે સારું રમ્યા. આ એક મેચ હતી, પરફેક્ટની નજીક હતી. એક બે ઓવર સારી થઈ શકતી હતી, પરંતુ આ મેચ સારી રહી.
The post ધોનીના ગુસ્સાના કારણે અમ્પાયરે બદલ્યો નિર્ણય? સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા appeared first on News n Feeds.
]]>