The post કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ appeared first on News n Feeds.
]]>કેનેડા (Canada)ના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદ્રાબાદ (Hyderabad)ના એક 19 વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હૈદ્રાબાદમાં વનસ્થલીપુરમ નિવાસી પાન્યમ અખિલ ઇમારતની 27મા માળે રહેતો હતો અને કથિત રીતે પોતાના ફોન પર વાત કરતાં નીચે પડી ગયો હતો.
તેમના પરિવાર સુધી જાણકારીના અનુસાર, આ ઘટના 8 નવેમ્બરના થઇ હતી. તે કથિત રીતે ફોન પર વાત કરતાં પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની પરથી પડી ગયો હતો. કેનેડામાં તેમના મિત્રોએ તેમના પરિવારને આ ઘટનાની જાણકારી આપી. અખિલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. પ્રથમ વર્ષ પુરૂ કર્યા બાદ તે આ વર્ષે માર્ચમાં પોતાના ઘરે પણ આવ્યો હતો અને તે ગત મહિને જ કેનેડા પરત ફર્યો હતો.
અખિલના પરિવારે તેલંગાણાના મંત્રી કે.ટી. રામા રાવને અપીલ કરી હતી કે તેની લાશને હૈદ્વાબાદ લાવવામાં મદદ કરે. તેમના કાકા બાબજીએ રામા રાવને મદદ માટે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે મારા ભાઇના પાન્યમ અખિલ સાથે કેનેડામાં ટોરેન્ટોમાં એક આકસ્મિક દુર્ઘટના ઘટી છે. આ વાતને સમજી શકતા નથી કે તેમની લાશને હૈદ્વાબાદ કેવી રીતે લાવવામાં આવે, કૃપિયા લાશને હૈદ્રાબાદ લાવવામાં મદદ કરે. કૃપિયા દુખની આ ઘડીમાં અમારી મદદ કરો સર.
The post કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને કરી આ અપીલ appeared first on News n Feeds.
]]>The post યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડ, RTIમાં થયો ખુલાસો appeared first on News n Feeds.
]]>ગત ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવેલી સિનિયર-જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યોનો આરટીઆઇમાં ખુલાસો થયો છે. યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેનો ખુલાસો ગ્રંથ નિર્માણ બોર્ડના કર્મચારી દ્વારા જ કરાયેલી RTI માં થયો છે. મોબાઈલ એપ્લિકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગા ને સિનિયર જુનિયર ક્લાર્ક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ પદે પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય ભાવના દવે કાર્યરત છે. તેમને બોર્ડમાં સિનિયર અને જુનિયર ક્લાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજુર કરાવી 9 મહિના પહેલા મોબાઈલ એપ્લિકેશનથી ભરતી કરી હતી. પોતાના સગા ભત્રીજાની કંપનીને ટેન્ડર પ્રક્રિયા વગર આ પરીક્ષાનો કોન્ટ્રાકટ આપ્યો હતો.
આ પરીક્ષા યોજવાનો ઓર્ડર સ્કૂલઈનડીઝાઇન પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. આરટીઆઇમાં કંપનીને કેટલો ખર્ચ ચૂકવ્યો એની માહિતી ન આપી. પરીક્ષામાં કુલ 2200 અરજી આવી હતી,એ પૈકી 1600 ઉમેદવારે પરીક્ષા આપી હતી.130 ઉમેદવાર પાસ થયા હતા. તેમછતાં 50 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતા.
આ ભરતી કૌભાંડમાં કૌટુંબિક સગા મિલન દિપક પંડ્યાની ભરતી કરાઇ હતી તો બીજી તરફ છ વર્ષથી કરાર આધારીત નોકરી કરતા ચેતન ગોરીયાને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. બંને જાન્યુઆરીથી નોકરીમાં કાર્યરત છે. આ ભરતી મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહને પણ ફરિયાદ કરવામાં આવી છે. અત્યાર સુધી આ મામલે 5 જેટલી આરટીઆઇ કરવામાં આવી છે, જેમાં એક જ વ્યક્તિએ એકથી વધુ આરટીઆઇ કરી જવાબ માંગ્યો છે. જોકે આ મામલે હાલ શિક્ષણ વિભાગે સમિતિની રચના કરી છે. જોકે આ મામલે હાલ શિક્ષણ વિભાગની તપાસ ચાલુ છે.
આ અંગે ગ્રંથ નિર્માણ બોર્ડના પ્રકાશન અધિકારી આનંદ ભટ્ટે જણાવ્યું હતું કે યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા બોર્ડના બંધારણની મર્યાદામાં રહીને રાજ્ય સરકારની અનુમતિ બાદ હાથ ધરવામાં આવી છે જે અંગે જાહેરાત પણ આપવામાં આવી હતી અને તેનું પરિણામ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું.
ઉમેદવારોની પસંદગી બાદ 5 આરટીઆઇ મળી હતી, જેના જવાબ આપવામાં આવ્યા છે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં કોઇ તથ્ય નથી. સપ્ટેમ્બર મહિનામાં આ અંગે રાજ્ય સરકારની તપાસ માટે સમિતિની રચના કરાઈ હતી અને સમિતિએ મુલાકાત લીધી છે. જે પુરાવા માગ્યા એ અમે આપ્યા છે. બોર્ડના બંધારણ મુજબ જ તમામ કાર્યવાહી કરી છે.
The post યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડ, RTIમાં થયો ખુલાસો appeared first on News n Feeds.
]]>The post સોનુ સૂદનું વધુ એક સારું કામ:એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મદદ કરશે appeared first on News n Feeds.
]]>એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઈ. પુણ્યતિથિ પર હું IAS બનવા માગતા લોકોની મદદ કરવાનું વચન આપું છું. આવું પ્રોફેસર સરોજ સૂદ સ્કોલરશિપ હેઠળ કરવામાં આવશે. તમારા આશીર્વાદ જોઈએ. મિસ યુ મા.’
આ પહેલા સોમવાર, 12 ઓક્ટોબરના રોજ સોનુ સૂદે ટ્વીટમાં એક સ્કોલરશિપનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે IAS માટે મોટું એલાન છે.
સોનુને માતા સરોજમાંથી પ્રેરણા મળે છે
આ વર્ષે જુલાઈમાં સોનુ સૂદે પોતાની માતાની જયંતી પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સોનુને તેની માતા મિઠાઈ ખવડાવે છે. આ તસવીર શૅર કરીને સોનુએ કહ્યું હતું, હેપી બર્થડે માતા. હંમેશાં મને આ જ રીતે દિશા બતાવે છે, જેવી રીતે તમે મારા આખા જીવનમાં કર્યું છે. હું ઈચ્છું છું કે તમને ગળે મળી શકું અને તમને કહી શકું કે તમને કેટલો પ્રેમ કરું છું. મને એ પણ ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો ત્યાં મને મિસ કરતા હશો. જીવન હંમેશાં એક જેવું રહેતું નથી, પણ મને દિશા બતાવવા માટે દેવદૂત બનીને રહેજો. ટૂંક સમયમાં મળીશું. મિસ યુ.
The post સોનુ સૂદનું વધુ એક સારું કામ:એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મદદ કરશે appeared first on News n Feeds.
]]>