પુણે:<\/strong> મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં સાત વિદ્યાર્થીઓએ મળીને તેની સાથે ભણતા વિદ્યાર્થીને મેથીપાક ખવડાવ્યો, આ મારનું કારણ એ જ હતું કે તે વધારે ‘હોશિયાર’ હતો. દરેક ક્લાસમાં તે ટીચરના પ્રશ્નનો કડકડાટ જવાબ આપતો હતો. પોલીસે આ બાબતે મંગળવાર સાંજે 7 વિદ્યાર્થીઓ વિરુધ્દ ફરિયાદ પણ નોંધી છે.<\/p>\n<\/p>\n વનવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 15 વર્ષના છોકરાને ગયા વર્ષે 22 નવેમ્બરે 7 મિત્રોએ પાઈપથી માર્યો હતો. પીડિતના માતા-પિતા સ્કૂલ આ મામલે કોઈ એક્શન લે તેની રાહ જોઈ રહ્યા હતા, પણ તેમ ન થતા તેમણે પોલીસ ફરિયાદ લખાવી છે.<\/p>\n<\/p>\n પીડિતના માતા-પિતાએ કહ્યું કે, માર દીકરાને તેના જ મિત્રોએ પાઇપથી માર્યો હતો. મારો દીકરો બ્રાઈટ સ્ટુડન્ટ છે. તે સ્કૂલમાં ટીચરના દરેક પ્રશ્નનો કડકડાટ જવાબ આપે છે. આ વાત તેના મિત્રોને ન ગમતા તેને માર્યો હતો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, પણ તેઓ કાર્યવાહી કરવા માટે સ્કૂલ પ્રસાશન સાથે વાત કરવાના છે.<\/p>\n Download Dainik Bhaskar App to read Latest Hindi News Today<\/a><\/p>\n