બે મૃતક કોને કોને મળ્યા હતા તે શોધવા ચાર ટીમ<\/strong> Download Dainik Bhaskar App to read Latest Hindi News Today<\/a><\/p>\n
આસ્ટોડિયા અને ગોમતીપુરમાં મૃત્યુ પામેલા લોકોના સંપર્કો ચેક કરવા માટે મ્યુનિ.ની ચાર અલગ-અલગ ટીમો કામે લાગી છે. પરંતુ હજુ સુધી તેમને ચેપ ક્યાથી લાગ્યો તે સ્પષ્ટ થયું નથી. ગોમતીપુરમાં જે આધેડનું મૃત્યુ થયું તે છૂટક મજૂરી કામ કરતા હોવાથી સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું પણ મ્યુનિ. અધિકારીઓ માની રહ્યા છે.
એસવીપીમાં કોરોનાના બેડની સંખ્યા 42થી વધારીને 300 કરવામાં આવી<\/strong>
શહેરમાં કોરોનાના કુલ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અત્યાર સુધી પાંચ લોકોના મૃત્યુ થયા છે ત્યારે એસવીપી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારીને 300 કરી દેવાઈ છે. અત્યાર સુધી બેડની સંખ્યા 42 હતી. હવે એસવીપીમાં ખાલી તમામ ફ્લોર પર કોરોનાની સારવાર શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. બીજી તરફ સંખ્યાબંધ લોકો જાતે પણ એસવીપીમાં દાખલ થવા જતા હોવાથી બેડ વધારાયા છે.\t\t<\/p>\n