21 દિવસના લોકડાઉનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેકે, આ કરફ્યૂ જેવી સ્થિતિમાં જીવન જરૂરિયાતની વસ્તુના વહન કરનારા વાહનો કે માણસો, મેડીકલ સ્ટાફ, મીડિયા અને અન્ય ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા વાહનોને અટકાવી શકાશે નહિ. જોકે, લોક ડાઉનને પણ કેટલાક પોલીસ કર્મીઓ રૂપિયા કમાવવા માટેનું સાધન માની રહ્યા છે. વાપીથી પ્રતિદિન 100થી વધુ વાહનો નાશિક અને મહારાષ્ટ્રના અન્ય શહેરમાં શાકભાજી લેવા જતા હોય છે. જોકે, હાલમાં સ્થિતિ એવી છેકે, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર શાકભાજી ભરેલા ટેમ્પાને પોલીસ અટકાવી રહી છે. ચાલકો પાસે કાગળિયા હોવા છતાં હેરાનગતિ કરીને ટેમ્પા દીઠ 500 રૂપિયાની પ્રસાદી લેવાય રહી છે. બીજી તરફ શાકભાજી વેપારીના જણાવ્યા મુજબ શાકભાજીની સપ્લાય જો આવતી બંધ થશે તો શોર્ટેજ થવાથી મોટી સમસ્યા ઉદભવી શકે એમ છે. મહારાષ્ટ્ર અને મુંબઇથી આવતા કાર ચાલકોને બોર્ડર ઉપર અટકાવીને પોલીસ કાર દીઠ 1થી 2 હજાર રૂપિયા લઇને ગુજરાતમાં આવવા દે છે. જીવન જરૂરિયાતના માલ સામાન લઇ જતા વાહન ચાલકોને હેરાનગતિ ન કરે એ અતિ આવશ્યક છે.<\/p>\n
શાકભાજીના ટેમ્પોને પણ અટકાવાયા હતા<\/b><\/p>\n
\n
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today<\/a><\/p>\n