The post નવરાત્રીમાં ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જાણી લો દર્શનનાં સમયમાં થયેલો ફેરફાર appeared first on News n Feeds.
]]>તમને જણાવીએ કે, પ્રથમ નોરતા, 17 ઓક્ટોબરનાં દિવસે, અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનનો સમય સવારે 8:15થી 9: 00 છે.નવરાત્રી આઠમના દિવસે સવારે 6 વાગે આરતી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રેસનોટ જાહેર કરીને જાહેર જનતા માટે આ માહિતી આપવામાં આવી છે.
અંબાજી મંદિરમાં સવારે આરતી 7:30 વાગે થશે.
સાંજે આરતી 6:30 વાગે થશે.
બપોરે મંદિર 4:15 વાગે બંધ થશેઅંબાજી મંદિર નવરાત્રી દર્શન સમય
સવારે આરતી 7:30 થી 8
સવારે દર્શન 8 થી 11:30
બપોરે રાજભોગ 12 વાગે
બપોરે દર્શન 12:30 થી 4: 15
સાંજે આરતી6:30 થી 7:00
સાંજે દર્શન 7 થી 9
રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.
The post નવરાત્રીમાં ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જાણી લો દર્શનનાં સમયમાં થયેલો ફેરફાર appeared first on News n Feeds.
]]>