Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
museum – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 04 Jan 2021 09:05:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 પાકિસ્તાન સરકારે આખરે દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનો 2.35 કરોડ રૂપિયામાં ખરીદી લીધાં, હવે ત્યાં મ્યુઝિયમ બનાવશે https://newsnfeeds.com/pakistan-government-finally-buys-dilip-kumar-and-raj-kumars-ancestral-houses-for-rs-2-35-crore-will-now-build-a-museum-there/ Mon, 04 Jan 2021 09:05:25 +0000 https://newsnfeeds.com/?p=157659 100 વર્ષથી જૂનાં મકાનો પેશાવરના કિસ્સા ખ્વાનીબજારમાં છે દિલીપ કુમારના 4 માળના 101 સ્કવેર મીટર ઘરની કિંમત 80.56 લાખ રૂપિયા રાજ કપૂરના 6 માળના 151.75 સ્કવેર મીટર બિલ્ડિંગની કિંમત 1.50 કરોડ રૂપિયા ઇન્ડિયન લેજન્ડરી એક્ટર્સ દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનોને આખરે પાકિસ્તાન સરકારે ખરીદી લીધાં છે. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલા સુપરસ્ટાર દિલીપ […]

The post પાકિસ્તાન સરકારે આખરે દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનો 2.35 કરોડ રૂપિયામાં ખરીદી લીધાં, હવે ત્યાં મ્યુઝિયમ બનાવશે appeared first on News n Feeds.

]]>

  • 100 વર્ષથી જૂનાં મકાનો પેશાવરના કિસ્સા ખ્વાનીબજારમાં છે
  • દિલીપ કુમારના 4 માળના 101 સ્કવેર મીટર ઘરની કિંમત 80.56 લાખ રૂપિયા
  • રાજ કપૂરના 6 માળના 151.75 સ્કવેર મીટર બિલ્ડિંગની કિંમત 1.50 કરોડ રૂપિયા

ઇન્ડિયન લેજન્ડરી એક્ટર્સ દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનોને આખરે પાકિસ્તાન સરકારે ખરીદી લીધાં છે. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલા સુપરસ્ટાર દિલીપ કુમાર અને રાજ કપૂરનાં પૈતૃક મકાનોને 2.35 કરોડ રૂપિયામાં ખરીદવા માટે પાકિસ્તાન સરકારે મંજૂરી આપી દીધી છે. 2014માં નવાઝ સરકારે આ મકાનોને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કર્યાં હતાં. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાં રાજ કપૂર અને દિલીપ કુમારે આ જ ઘરમાં તેમના જીવનનો શરૂઆતનો સમય પસાર કર્યો હતો.

પાકિસ્તાનમાં રાજ કપૂરનું મકાન
પાકિસ્તાનમાં રાજ કપૂરનું મકાન

પાકિસ્તાન સરકારે અરજી મંજૂર કરી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મેહમૂદ ખાને પ્રપોઝલને સ્વીકારી આ મકાનોને ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ મકાનના ભાવ ખૈબર પખ્તૂનખ્વા કમ્યુનિકેશન અને વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.

પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલું દિલીપ કુમારનું ઘર
પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલું દિલીપ કુમારનું ઘર

પેશાવરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલી અસગરે દિલીપ કુમારના 4 માળના 101 સ્કવેર મીટર ઘરની કિંમત 80.56 લાખ રૂપિયા અને રાજ કપૂરના 6 માળના 151.75 સ્કવેર મીટર બિલ્ડિંગની કિંમત 1.50 કરોડ રૂપિયા નક્કી થવાની માહિતી આપી છે. આ બંને ઘર પુરાતત્ત્વ વિભાગને સોંપવામાં આવશે, જે આ બંને ઘરની સંભાળ લઈને એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરશે.

રાજ કપૂરનું ઘર 'કપૂર હવેલી' તરીકે ઓળખવામાં આવે છે
રાજ કપૂરનું ઘર ‘કપૂર હવેલી’ તરીકે ઓળખવામાં આવે છે
1918થી 1922 દરમિયાન એક્ટરના દાદા દીવાન કપૂર દ્વારા બનાવવામાં આવેલી 'કપૂર હવેલી'
1918થી 1922 દરમિયાન એક્ટરના દાદા દીવાન કપૂર દ્વારા બનાવવામાં આવેલી ‘કપૂર હવેલી’

પુરાતત્ત્વ વિભાગે ખૈબર પખ્તૂનખ્વા સરકારને અપીલ કરી હતી તેઓ તેમને રૂપિયા અલોટ કરે, જેથી ડિપાર્ટમેન્ટ બંને મકાન ખરીદીને એને રિનોવેટ કરી શકે. સરકારની યોજના આ બંને મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની છે, જેથી દરેક અહીં આવી શકે. એની પાછળનો હેતુ એ દેખાડવાનો છે કે દુનિયા અને બોલિવૂડ માટે પેશાવરનું શું યોગદાન છે.

'કપૂર હવેલી- 6 માળનું 151.75 સ્કવેર મીટર બિલ્ડીંગ

100 વર્ષથી પણ જૂનાં ઘરો
રાજ કપૂરનું ઘર ‘કપૂર હવેલી’ તરીકે ઓળખવામાં આવે છે. એ 1918થી 1922 દરમિયાન એક્ટરના દાદા દીવાન કપૂર દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોક કપૂરનો જન્મ એ જ હવેલીમાં થયો છે. દિલીપ કુમારનું પણ ઘર 100 વર્ષથી વધુ જૂનું છે. દિલીપ કુમાર ત્યાં જ મોટા થયા હતા. આ બંને મકાન પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત છે.

100 વર્ષથી વધુ જૂનું દિલીપ કુમારનું ઘર
100 વર્ષથી વધુ જૂનું દિલીપ કુમારનું ઘર

જગ્યાના માલિકો ત્યાં મોલ બનાવવા ઇચ્છતા હતા
આ જર્જરિત મકાનો પડવાની સ્થિતિમાં છે. તેના માલિક આ જગ્યા પર મોલ બનાવવા ઇચ્છતા હતા, કારણ કે આ પેશાવરના પ્રાઈમ લોકેશન પર છે. ત્યારે પુરાતત્ત્વ વિભાગે દખલ દઈને આવું થવા ન દીધું, કારણ કે તે આ ઐતિહાસિક મહત્ત્વની જગ્યાઓને સંરક્ષિત કરવા ઈચ્છતા હતા.

દિલીપ કુમારનું 4 માળનું 101 સ્કવેર મીટરનું ઘર

The post પાકિસ્તાન સરકારે આખરે દિલીપ કુમાર અને રાજ કુમારનાં પૈતૃક મકાનો 2.35 કરોડ રૂપિયામાં ખરીદી લીધાં, હવે ત્યાં મ્યુઝિયમ બનાવશે appeared first on News n Feeds.

]]>
157659