Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
lockdown – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Wed, 16 Sep 2020 10:27:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 માર્ચમાં કેમ તાબડતોબ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું? સરકારે આપ્યું કારણ https://newsnfeeds.com/why-was-the-lockdown-imposed-immediately-in-march-the-reason-given-by-the-government/ Wed, 16 Sep 2020 10:27:47 +0000 https://newsnfeeds.com/?p=156406 સરકારે કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય કેમ લેવો પડ્યો તેનો જવાબ આપ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા માર્ચ મહિનામાં 21 દિવસ માટે જાહેર કરાયેલા લોકડાઉન વિશે વાત કરીને તેને યોગ્ય ઠેરવ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે “વૈશ્વિક અનુભવ” અને “વાયરસને અટકાવવા માટે અને સ્થિરતા માટે તે જરુરી હતું. કોંગ્રેસ નેતા મનીષ તિવારીના સવાલનો જવાબ આપતા […]

The post માર્ચમાં કેમ તાબડતોબ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું? સરકારે આપ્યું કારણ appeared first on News n Feeds.

]]>
સરકારે કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય કેમ લેવો પડ્યો તેનો જવાબ આપ્યો છે.

ગૃહ મંત્રાલય દ્વારા માર્ચ મહિનામાં 21 દિવસ માટે જાહેર કરાયેલા લોકડાઉન વિશે વાત કરીને તેને યોગ્ય ઠેરવ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે “વૈશ્વિક અનુભવ” અને “વાયરસને અટકાવવા માટે અને સ્થિરતા માટે તે જરુરી હતું.

કોંગ્રેસ નેતા મનીષ તિવારીના સવાલનો જવાબ આપતા રાજ્યના મંત્રી (ગૃહ) નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું કે મોટાભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જરુરિયાત પ્રમાણે સંપૂર્ણ કે આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. સ્થિતિ સારી રહે તે પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો હતો

નિત્યાનંદ રાયે જણાવ્યું કે, એક્સપર્ટ્સ દ્વારા જે સૂચનો કરાયા હતા અને વિશ્વમાં કોરોના સામે લડવા માટે જે પ્રયાસો કરાયા હતા તેના આધારે પગલા ભરાયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના ઉપાય કરવામાં આવ્યા.

તેમણે કહ્યું કે, લોકોની ભીડના કારણે સંક્રમણ વધારે ફેલાવાની સંભાવનાના રહેલી છે. જો કે, તેઓ સ્પષ્ટપણે જણાવી શક્યા નહીં કે માત્ર ચાર કલાકના જ સમયમાં દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવાની કેમ ફરજ પડી. નિત્યાનંદે આગળ જણાવ્યું કે, કોરોના વાયરસ ઝડપથી સંક્રમિત કરતો રોગ છે. ભીડ એકઠી થાય તો તે દેશમાં ઝડપથી ફેલાઈ શકે છે.

મંત્રીએ જણાવ્યું કે, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દેશભરમાં 24 માર્ચ 2020થી લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો, જેથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, 7 જાન્યુઆરીથી કોરોના વાયરસ સામે લડવા માટે જરુરી પગલા ભરવામાં આવ્યા હતા. વિદેશની મુસાફરી પર રોક, દેશના નાગરિકો માટે કેટલીક એડવાઈઝરી, કોરન્ટાઈન સુવિધાઓનો સમાવેશ થાય છે, જેથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં મદદ મળે. WHO દ્વારા 11 માર્ચે 2020ના રોજ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી.

શું લોકડાઉન સફળ રહ્યું?

રાજ્યમંત્રીએ જમાવ્યું કે દેશ વ્યાપી લોકડાઉન લાગુ કરીને ભારેત કોરોનાના આક્રમક હુમલાને સફળતા પૂર્વક નિષ્ફળ બનાવી દીધો. લોકડાઉને વધારાની સ્વાસ્થ્ય સુવિધાઓ ઉભી કરવા માટે દેશની મદદ કરી. માર્ચ 2020ની સરખામણીમાં આઈસોલેશન બેડમાં 22 ગણો અને ICU બેડમાં 14 ગણો વધારો થયો. જ્યારે લેબોરેટરીની ક્ષમતા દસ ગણી વધારાઈ.

https://newsnfeeds.com/gujarats-bradliner-family-will-make-pm-modis-birthday-memorable-will-do-a-great-job/

The post માર્ચમાં કેમ તાબડતોબ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું? સરકારે આપ્યું કારણ appeared first on News n Feeds.

]]>
156406