The post જાન કુમારે પિતા પર લગાવ્યા આરોપ તો કુમાર સાનૂએ કહ્યું ‘હવે ક્યારેય મારા પુત્રને નહીં મળું!’ appeared first on News n Feeds.
]]>બિગ બૉસ 14માં સિંગર જાન કુમાર સાનૂ એન્ટ્રી લીધા હતી. જો કે ગત સપ્તાહે જ તેમણે બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા હતા. શોમાં નિક્કી તંબોલીની સાથે ચર્ચામાં જાને પર્સનલ લાઇફને લઇને અનેક વાતો કરી હતી. જેના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. હવે પિતા કુમાર સાનૂ પ્રતિક્રિયા આપી છે. જાન કુમારે પોતાની પર્સનલ લાઇફ મામલે ખુલાસો કરતા કહ્યું હતું કે કુમાર સાનૂએ કદી પણ મારી મા કે મારી જવાબદારી નથી લીધી. આ મામલે કુમાર સાનુએ હવે ચુપ્પી તોડી છે. તેણે કહ્યું કે પુત્રની વાતો સાંભળીને તેમને ખૂબ જ દુ:ખ થયું છે. તેમણે કહ્યું કે મારી પાસે દરેક વાતના પુરવા છે કે તે એ લોકોનું કેટલું ધ્યાન રાખ્યું. અને હવે મારા માટે આવું કહેવામાં આવી રહ્યું છે.
આ મામલે કુમાર સાનૂએ સફાઇ આપતા કહ્યું કે લોકોએ તે વીડિયો ફરીથી જોવો જોઇએ. બોલીવૂડ લાઇફથી વાત કરતા કુમાર સાનૂએ કહ્યુ કે મેં તેને નાલાયક નથી કહ્યો. મેં તેને કહ્યું કે તેને નાલાયક વાતો ન કરવી જોઇએ. સિંગરે તે પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં રહો છો તો મરાઠી અને મહારાષ્ટ્રનું સન્માન પણ કરો.
કુમાર સાનૂ કહ્યું તે ખૂબ જ નાનો હતો ક્યારે ત્યારે 2001માં મારા તેની માતા સાથે છૂટાછેડા થયા. મેં તેની માતાને જે પણ વસ્તુ માંગી તે આપી. તેણે કોર્ટ દ્વારા મારો બંગલો આશિકી માંગ્યો હતો. હું મારા પુત્રને મળતો રહ્યો છું. પણ હવે તે મને ઇચ્છશે તો પણ હું તેને નહીં મળું. સોનૂ કહ્યું કે તેણે મને શોમાં લેવાની વાત કરી તો મેં તેને શોમાં લીધો. તેણે કહ્યું કે થોડા મ્યુઝિક ડાયરેક્ટરથી પ્રોડ્યૂસરથી મેળવી આપો. તો મેં તેને રમેશ તૌરાની અને બાકી કેટલાક લોકોને મેળવ્યો. હવે તે લોકો તેને કામ આપે કે ના આપે તે તેની ટેલેન્ટ પર નિર્ભર કરે છે.
સિંગરે કહ્યું કે તમે જ કહો કે નામ સિવાય મેં તેને કંઇ જ નથી આપ્યું. તો આજે તે આટલો મોટો કેવી રીતે થઇ ગયો. તે તો ખૂબ જ નાનો હતો ત્યારે કોઇ કમાનાર પણ નહતા. મને કોરોના થયો હતો તો મને તે ઘરેથી એક કોલ પણ નહતો આવ્યો. સાનૂ કહ્યું કે તેને જ્યારે પણ કંઇ જોઇએ છે તે મારી સાથે પ્રેમથી વાત કરે છે.
The post જાન કુમારે પિતા પર લગાવ્યા આરોપ તો કુમાર સાનૂએ કહ્યું ‘હવે ક્યારેય મારા પુત્રને નહીં મળું!’ appeared first on News n Feeds.
]]>The post કોરોના વાયરસની ચપેટમાં સિંગર કુમાર સાનૂ, પરિવારને મળવા લોસ એન્જલસ જવાનો હતો appeared first on News n Feeds.
]]>એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં જાણીતા સિંગર્સમાંથી એક કુમાર સાનૂ કોરોના વાયરસનાં સંક્રમણનો શિકાર થઇ ગયા છે .90નાં દાયકમાં હિટ ગીતો આપનારા પ્લેબેક સિંગર કુમાર સાનૂની કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવી છે. તે તેનાં પરિવાર સાથે મળવાં લોસ એન્જલ્સ જવાનો હતો. પણ હવે તેની સફર પર બ્રેક લાગી ગયો ચે. કુમાર સાનૂ અને ગોરગાંવ સ્થિત ઘરમાં તમામ સાવધાની સાથે હોમ ક્વૉરન્ટીન થઇ ગયા છે. આ માહિીત બાદથી જ કુમાર સાનુનાં ફેન્સ તેની જલદી ઠીક થવાની કામના કરી રહ્યાં છે.
કુમાર સાનૂને આ વાતની માહિતી ત્યારે મળી જ્યારે તેઓ અમેરિકાની હવાઇ યાત્રા કરતા પહેલાં તેમનાં જરૂરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે, કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેમને તેમની અમેરિકાની યાત્રા રદ્દ કરવી પડી હતી અને પોતાને હોમ ક્વૉરન્ટીન કરવાનો નિર્ણય તેમણે લીધો હતો.
લોકડાઉનને કારણે તે તેમનાં પરિવારને ખુબજ યાદ કરી રહ્યાં હતાં. આશરે 9 મહિનાનાં લાંબા સમય બાદ તેઓ લોસ એન્જલસમાં રહેતા તેમનાં પરિવારને મળવાં જવાનાં હતાં. તેમણે પ્લાન કર્યો હતો કે તે 20 ઓક્ટોબરનાં પત્ની સલોની અને બંને દીકરીઓ સાથે તેમનો જન્મ દિવસ ઉજવશે. પણ કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ તેમનાં પ્લાન પર પાણી ફરી ગયુ છે.
કુમાર સાનૂની પત્ની સલોનીનાં જણાવ્યાં અનુસાર, જો તેઓ ત્યાં સુધીમાં સારા થઇ જશે તો તે 8 નવેમ્બરનાં અમેરિકા આવશે. તેમણે કહ્યું કે, ગત 9 મહિનાથી તેઓ અમને મળવાં માટે બેચેન છે. સલોનીએ જણાવ્યું કે, જો તેઓ બાદમાં યાત્રા કરવામાં અસમર્થ થાય છે તો, તેમનો પરિવાર તેમની સાથે તમામ તહેવાર ઉજવવાં મુંબઇ આવી જશે.
આપને જણાવી દઇએ કે, કુમાર સાનૂની પત્ની સલોની અને તેમની બે દીકરીઓ સના અને એના અમેરિકાનાં લોસ એન્જલસ શહેરમાં રહે છે.
The post કોરોના વાયરસની ચપેટમાં સિંગર કુમાર સાનૂ, પરિવારને મળવા લોસ એન્જલસ જવાનો હતો appeared first on News n Feeds.
]]>