The post વટવા GIDCની કેમિકલ ફેક્ટરીની આગે 20 પરિવારને કરી નાંખ્યા નોંધારા, ઘર સાથે બધુ જ બળીને થઈ ગયું રાખ appeared first on News n Feeds.
]]>વટવા જીઆઇડીસી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં મોટી જાનહાનિ તો નથી થઈ, પરંતુ આગ લાગવાથી નજીકમાં નાના બાંધકામ બનાવીને એટલે કે ઝુંપડા બનાવીને રહેતા પરિવારજનો હવે નિઃસહાય બન્યા છે. કેમિકલ ફેક્ટરીની પાસે જ ૨૦ જેટલી ઝૂંપડીઓમાં 60 લોકો વસવાટ કરી રહ્યા હતા.
કેમિકલથી બ્લાસ્ટ થવાથી આ લોકો અહીંથી પહેર્યા કપડે ભાગ્યા હતા. તેમની ઝૂંપડીમાં રહેલ ઘર વખરીનો સમાન, અનાજ પણ નષ્ટ થયું છે, જેન કારણે શ્રમિકો હવે ઘર વિહોણા બન્યા છે. વટવા માતંગી કંપની પાસે રહેતા શ્રમિકોએ વ્યક્ત પોતાની વેદના વ્યક્ત કરી હતી. આગ લગવાથી મોટા ધડાકા થયા અને ભાગ્યા હતા. જેને કારણે તેમના જીવ તો બચી ગયા હતા, પરંતુ 20 જેટલા ઝુંપડા બળીને ભસ્મ થઈ ગયા હતા.
કેમિકલ ફેકટરી પાછળ રહેતા 60 લોકો હાલ બેઘર બન્યા છે. અમારું અનાજ, ઘર વખરીનો સામાન ખાખ થઈ ગયો છે, તેમ શ્રમિકોએ જણાવ્યું હતું.
The post વટવા GIDCની કેમિકલ ફેક્ટરીની આગે 20 પરિવારને કરી નાંખ્યા નોંધારા, ઘર સાથે બધુ જ બળીને થઈ ગયું રાખ appeared first on News n Feeds.
]]>The post રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ appeared first on News n Feeds.
]]>રાજકોટની ઉદય કોવિડ હૉસ્પિટલની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બનાવની સુઓ મોટો નોંધ લીધી છે. આ નોંધ લેતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકોટ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ -19 દર્દીઓનાં મોત આઘાતજનક છે. સર્વોચ્ચ અદાલતે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાની ફક્ત તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જ્યારે દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મિકેનિઝમના અમલીકરણ માટે કડક અપવાદ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સમય સમય પર માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતાં, રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતું નથી અને વિદ્યુત લાઇનોનું નિરીક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા.
ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ (Rajkot fire deaths) થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશને જવાબદારી સોંપી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
The post રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ appeared first on News n Feeds.
]]>The post અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 9 કામદારોના મોત appeared first on News n Feeds.
]]>ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં પિરાણા પીપલજ રોડ ઓર આવેલી કાપડના ગોડાઉનમાં બપોરે આગનો બનાવ બન્યો હતો. પીપલજ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના સ્થળે દોડી હતી અને આગ પર કાબૂ લેવા માટે કામગીરી શરૂ કરાઈ હતી. ફાયર વિભાગમાંથી 17 લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 9 લોકોના મોત નિપજ્યા છે.
વર્ણન ન કરી શકાય એટલો ભયંકર હતો બ્લાસ્ટ
પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર આસપાસના ગોડાઉન પર પણ થઈ હતી. અડધા કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ધડાડો સંભળાતા જ લોકોમા નાસભાગ મચી હતી, અને લોકો સ્થળ છોડીને દોડવા લાગ્યા હતા. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, ગોડાઉનના પત્થરો ચારેતરફ ઉડીને પડ્યા હતા. સમગ્ર વિસ્તારમા પત્થરો ઉડ્યા હતા. તો અન્ય ગોડાઉનની છતના પોપડા પણ ઉખડી ગયા હતા. તો સામેના ગોડાઉનની પાણીની ટાંકી પણ તૂટી પડી હતી. ઐ ગોડાઉન બટાભાઈ ભરવાડ નામના શખ્સનું હોવાનું સામે આવ્યું છે, તેણે આ ગોડાઉન ભાડે આપ્યું હોવાનું કહેવાય છે.
ફસાયેલા 17 લોકોને બહાર કઢાયા
આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામા આવ્યા હતા. ફસાયેલા 17 લોકોને કાટમાળમાઁથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 9 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં નજમુનિયા શેખ, રાગિણી ક્રિશ્યન અને જેક્વેલિન ક્રિશ્ચયન હોવાનું સામે આવ્યુ છે. આ મૃતકો કોણ છે તે હજી જાણવા મળ્યું નથી.
હજી પણ વધુ લોકો કાટમાળમાં ફસાયા છે
તો કાટમાળ નીચે હજી પણ લોકો ફસાયેલા હોવાનું કહેવાઈ રહ્યુ છે. બ્લાસ્ટ વિશે સાંભળીને ગોડાઉનમાં કામ કરતા લોકોના પરિવારજનો દોડી આવ્યા હતા. જોકે, હાલ કેટલા લોકો અંદર છે અને ફસાયેલા છે તે હજી જાણવા મળ્યુ નથી. જોકે, ફાયર વિભાગ દ્વારા કોઈ એક સભ્યને અંદર જવા દેવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરાઈ છે.
The post અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 9 કામદારોના મોત appeared first on News n Feeds.
]]>