શાનદાર ઉચ્ચક્રમ, અત્યંત સારું સ્પિન આક્રમણ અને ડેવિડ વૉર્નર જેવો આક્રમક કેપ્ટન. ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સંતુલિત સનરાઇઝર્સ હૈદરાબાદ એકવાર ફરી પ્લેઑફના 4 પ્રબળ દાવેદારોમાંથી હશે. મુંબઈ ઈન્ડિયન્સ અથવા ચેન્નઈ સુપરકિંગ્સ જેવી હાઈ પ્રોફાઇલ ટીમ ના હોવા છતા સનરાઇઝર્સ હૈદરાબાદ કોઈથી કમ નથી, કેમકે તેની પાસે શાનદાર કૉચિંગ સ્ટાફ છે. આમાં ટ્રેવર બેલિસ (કેકેઆરના પૂર્વ વિજેતા કોચ), વીવીએસ લક્ષ્મણ અને મુથૈયા મુરલીધરન જેવા મહાન પૂર્વ ખેલાડી સામેલ છે.
વૉર્નરના રૂપમાં સનરાઇઝર્સની પાસે જાદૂઈ કેપ્ટન
આ ત્રણેય આઈપીએલની સફળ ટીમોના ડગઆઉટમાં રહી ચુક્યા છે અને તેમનું પોતાનું કદ પણ ઘણું ઊંચું છે. કેપ્ટન તરીકે આ સીઝનમાં પરત ફરી રહેલા ડેવિડ વૉર્નરના રૂપમાં સનરાઇઝર્સની પાસે જાદૂઈ કેપ્ટન છે, જે પોતાના દમ પર મેચ જીતાડવાનો દમ રાખે છે. 4 વર્ષ પહેલા વૉર્નરની કેપ્ટનશિપમાં સનરાઇઝર્સે ટ્રોફી જીતી હતી અને ત્રણ વાર ‘ઑરેન્જ કેપ’ મેળવી છે. ટીમમાં ભુવનેશ્વર કુમાર જેવો શાનદાર ઝડપી બોલર છે અને અફઘાનિસ્તાનના ટી-20 ટીમના કેપ્ટન જેવો સ્પિનર, આ ઉપરાંત બોલિંગની જવાબદારી સિદ્ધાર્થ કૌલ અને શાહબાઝ નદીમ સંભાળશે.
વિરાટ સિંહ જેવા યુવા ખેલાડી
સનરાઇઝર્સ હૈદરાબાદના બેટિંગ ક્રમમાં જોકે એટલું ડેપ્થ નથી. વૉર્નર અને બેયરસ્ટોના અસફળ રહ્યા બાદ ટીમનો બધો જ આધાર મનીષ પાંડે અને વિલિયમ્સન પર આવી જશે. ટીમે ડાબોડી બેટ્સમેન વિરાટ સિંહ જેવા યુવાઓ પર ભરોસો મુક્યો છે, જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 343 રન બનાવ્યા હતા. ઑલરાઉન્ડર અભિષેક શર્મા અને ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન પ્રિયમ ગર્ગ પણ ટીમમાં છે. યૂએઈની પિચો પર સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે. આવામાં રાશિદ ખાન મહત્વનો સાબિત થઈ શકે છે.
ટીમ
ડેવિડ વૉર્નર ( કેપ્ટન), જૉની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, શ્રીવત્સ ગૌસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મિચેલ માર્શ, અભિષેક શર્મા, બી સંદીપ, સંજય યાદવ, ફેબિયન એલેન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન, બાસિલ થમ્પી
https://newsnfeeds.com/kangana-and-jaya-bachchan-face-to-face/