Home Bollywood રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ ? નવું મકાન શોધે છે

રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ ? નવું મકાન શોધે છે

121
0

અભિનેતા સુશાંત રાજપૂત કેસમાં બદનામ થઇ

-ડ્રગની હેરાફેરીના મામલે જેલમાં પણ જઇ આવી

મુંબઇ તા.31 ડિસેંબર 2020 ગુરૂવાર

અભિનેત્રી રિયા ચક્રવર્તી બેઘર થઇ ગઇ હોવાના અને નવું ઘર શોધી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા.

અકાળે અવસાન પામેલા બોલિવૂડના હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા પર એવા આક્ષેપ થયા હતા કે એની નજર સુશાંતની સંપત્તિ પર હતી અને એણે સુશાંતના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની ગોલમાલ કરી હતી. એના પર એવા પણ આક્ષેપ હતા કે એ સુશાંતને નબળો પાડી દેવા ડ્રગનું સેવન કરાવતી હતી.

આ કેસમાં અવનવી વાતો વહેતી થઇ હતી અને એક તબક્કે રિયાની ધરપકડ થઇ હતી. એવી વાતો પણ વહેતી થઇ હતી કે રિયા ફિલ્મ સર્જક મહેશ ભટ્ટના ઇશારે સુશાંતને ડ્રગ આપતી હતી. સુશાંતના અકાળ અવસાનની તપાસ દરમિયાન ડ્રગનો મુદ્દો ઉપસ્યો ત્યારે રિયા અને એના ભાઇ પર ડ્રગ કેરિયર હોવાના આક્ષેપ થયા હતા અને રિયાની નાર્કોટિક્સ કન્ટ્રોલ  બ્યૂરો દ્વારા ધરપકડ કરાઇ હતી. એને ત્રણેક સપ્તાહ જેલમાં ગાળવા પડ્યા હતા. હાલ એ જામીન પર છે. પરંતુ એની પાસે પોતાનું ઘર નથી એવી વાતો સંભળાતી હતી.

એ હાલના પોતાના ઘરમાં રહી શકે એવી પરિસ્થિતિ રહી નથી કારણ કે પાડોશીઓ અને સ્થાનિક લોકો એને સુશાંતના અકાળ અવસાન માટે જવાબદાર ગણીને વગોવે છે. સોશ્યલ મિડિયા પર પણ એ સતત ટ્રોલ થાય છે. એક અહેવાલ મુજબ એનાં માતાપિતા અત્યારે ઠેર ઠેર રઝળી રહ્યા હતા. એની સામેના આક્ષેપો જો કે પુરવાર થયા નથી પરંતુ મિડિયામાં એના વિશે પ્રગટ થયેલા રિપોર્ટ્સ પછી એ ખાસ્સી બદનામ થઇ ચૂકી હતી.

સોશ્યલ મિડિયા પર એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ હતી જેમાં રિયાનાં માતાપિતા મુંબઇના ખાર ઉપનગરમાં ઘર શોધી રહેલા નજરે પડ્યા હતા. વિડિયો ક્લીપમાં જણાવાયું હતું કે રિયાના માતાપિતા સધ્ચા ચક્રવર્તી અને ઇન્દ્રનીલ ચક્રવર્તી ખારમાં ઘર શોધી રહ્યા હતા. અત્યારે તો રિયાની ગ્રહદશા સુધરી રહી હોય એવાં કોઇ લક્ષણ દેખાતાં નહોતાં. એની સામે ચાલનારા કેસમાં એણે પોતાની નિર્દોષતા પુરવાર કરવી પડશે નહીંતર એને વધુ સજા સહન કરવાની આવશે.