Home Latest News PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ટ્વિટ કરીને લખ્યું- ચોક્કસ...

PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ટ્વિટ કરીને લખ્યું- ચોક્કસ જોડાશો

149
0

વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંદેશ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો.

નોંધનીય છે કે, કોરોના વાયરસના સંકટ ની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા અનેકવાર દેશને સંબોધિત કરી ચૂક્યા છે.

કોરોના વાયરસને સંકટમાં પીએમ મોદી સતત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરતાં રહ્યા છે. પીએમ મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી તમામ તકેદારી રાખવી પડશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં સતત તહેવારો જ તહેવારો છે, એવામાં સરકાર તરફથી ફરી એકવાર કડક પગલાં ભરવામાં આવી શકે છે.

હાલમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તહેવારોના કારણે બજારમાં ભીડ થઈ શકે છે એવામાં તકેદારીના ભાગ રૂપે સરકાર તરફથી સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદી તરફથી અત્યાર સુધીમાં અનેકવાર રાષ્ટ્રને સંબોધન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે.