બુધવારે કપિલ શર્માએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે નવજોત સિંહ સિદ્ધુ નાં ઘરે લંચ કરતો નજર આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનાં ટીવી શો ધ કપિલ શર્મા શોમાં એક મોટો બદલાવ જોવા મળી શકે તેવી શ્કયાતઓ છે. જી હાં, આ શોમાં એક વખત ફરીથી નવજોત સિંહ સિદ્ધુની વાપસી થઇ શકે છે. બુધવારે કપિલ શર્મા અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે મીટિંગ થઇ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બુધવારે કપિલ શર્માએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે નવજોત સિંહ સિદ્ધુ નાં ઘરે લંચ કરતો નજર આવે છે. નવજોત સિંહ સિદ્ધુ શોમાં ફરી એક વખત વાપસી કરી શકે તેવી વાતો છે.
નવજોત સિંહ સિદ્ધુને પરત શોમાં લાવવાં માટે કપિલ શર્મા બુધવારે અમૃતસર સ્થિત તેનાં ઘરે તેમને મળવાં પહોચ્યો હતો. જ્યાં બંને વચ્ચે આ મુદ્દે પણ વાત થઇ. બંનેની તસવીર હાલમાં ઇન્ટરનેટ પર છવાયેલી છે.
ગત વર્ષ પુલવામામાં થયેલાં SRPF જવાનો પર હુમલા બાદ નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનનાં બચાવમાં નિવેદન આપ્યું હતું. જેનાં પર દેશભરમાંથી તેમનાં વિરુદ્ધ રોષ ઉઠ્યો હતો.
હવે જોવાનું રહેશે કે શું ફરી એક વખત શો માં કપિલ અને સિદ્ધુ સાથે નજર આવશે. હાલમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા શોમાં જજની ખુરશી પર અર્ચના પૂરન સિંહ નજર આવે છે.