Home Bollywood કંગના રનૌત પર ભડકી કામ્યા પંજાબી, કહ્યું- ઈન્ડસ્ટ્રી આટલી ખરાબ છે તો...

કંગના રનૌત પર ભડકી કામ્યા પંજાબી, કહ્યું- ઈન્ડસ્ટ્રી આટલી ખરાબ છે તો છોડી કેમ નથી દેતી?

156
0

 

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીને તાજેતરમાં જયા બચ્ચનને સપોર્ટ આપવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. કામ્યા પહેલા દિવસથી સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ કરી રહી છે અને #Justice4SSR અભિયાનનો પણ એક ભાગ રહી છે. પરંતુ જ્યારે જયા બચ્ચને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો મનોરંજન ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમણે જે થાળીમાં ખાધું તેમાં જ કાળું કરી રહ્યા છે. આ સાથે, કામ્યાએ કંગના રાનૌત પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે તે વિક્ટિમ કાર્ડ રમે છે.

‘સુશાંતનું મરણ થયું ત્યારે તમે ક્યાં હતા?

‘ન્યૂઝફિડ્સ’ ના અહેવાલ પ્રમાણે કામ્યા પંજાબીએ ગુસ્સો કાઢતા કંગનાને કહ્યું, ‘સુશાંતનું મરણ થયું ત્યારે તમે ક્યાં હતા? હવે અચાનક તમે તમારી સાથે થયેલી બધી ખોટી બાબતો પર બોલી રહ્યા છો. કેટલાક લોકો સાથેનો તમારો અનુભવ યોગ્ય નથી, તો તેના માટે તમે આખી ઈન્ડસ્ટ્રીઝને દોષી ઠેરવી રહ્યા છો. તેને બદનામ કરી રહ્યા છો. તમે ફિલ્મ ઉદ્યોગને ‘ગટર’ નહીં કહી શકો. હું તેની વિરુદ્ધ બોલીશ.’

‘લોકો હવે મુખ્ય મુદ્દાને ભૂલી ગયા છે’

કામ્યાએ વધુમાં પોતાની જાતને ટ્રોલ થવાની વાત કરી અને કહ્યું કે તેને ટ્રોલ્સની કોઈ ફરક પડતો નથી. પરંતુ હવે લોકોનું મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ફરી રહ્યું છે. તેણે કહ્યું, ‘લોકો હવે મુખ્ય મુદ્દાને ભૂલી ગયા છે. પબ્લિક હવે પાગલ થઈ ગઈ છે. જેમ ફેરવવામાં આવે છે તેમ ફરી રહી છે. અનેક લોકો #JusticeforSSR અભિયાનમાં જોડાયા હતા અને સુશાંત સાથે શું થયું તે જાણવા ઇચ્છતા. તે હતાશામાં હતો? આમાં કંઈ ખોટું છે? છેવટે, સુશાંતને આવું પગલું ભરવાની ફરજ કેમ પડી? સુશાંતનો પરિવાર અને સામાન્ય લોકો પણ આ કેસમાં ન્યાય ઈચ્છી રહ્યા છે. પરંતુ ધીરે ધીરે નવા મુદ્દાઓ સામે આવવા લાગ્યા જે આ અભિયાનમાં જોડાયા અને ત્યારબાદ સુશાંતનો મુદ્દો એક બાજુ થઈ ગયો.