Happy 47th Birthday Malaika Arora: મલાઇકા અરોરા (Malaika Arora) તેની પર્સનલ લાઇફ પર ઓછું બોલે છે, પણ એક જુના ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે તેનાં અને અરબાઝ ખાન (Arbaaz Khan)નાં સંબંધ અને તે સમય સંજોગો વિશે વાત કરી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા આજે તેનો 47મો જન્મ દિવસ ઉજવે છે. ઇન્ડસ્ટ્રીની હિટ એન્ડ ફિટ ડિવા મલાઇકા તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં રહે છે. મલાઇકા અને એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાનની લવ સ્ટોરી કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી. પણ જે રીતે તેનો અંત આવ્યો તેનાંથી સૌ કોઇ દંગ રહી ગયા હતાં. મલાઇકા અને અરબાઝ માટે આશરે 19 વર્ષનું લગ્ન જીવન તોડવું સહેલું ન તું. તેનાં સંબંધની આ વાત મલાઇકાએ પોતે જણાવી હતી.
મલાઇકા અરોરા તે ખાસ પર્સનાલિટીઝમાંથી એક છે જે તેની ફિટનેસને લઇને જ ચર્ચામાં રહે છે. પણ છેલ્લા ત્રણ ચાર વર્ષોથી તે તેની પર્સનલ લાઇફને લઇને વધુ ચર્ચામાં રહે છે. ભલે મલાઇકા તે વિશે બહુ વાતો ન કરતી હોય પણ તેનાં જુના ઇન્ટરવ્યૂં દરમિયાન તેણે તેનાં અને અરબાઝનાં સંબંધ તુટવા પર વાત કરી હતી.
છુટાછેડાનાં ઘમાં સમય બાદ તેણે તેની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતુંકે, આ વાત તેણે કરીના કપૂરનાં રેડિયો શો ઇશ્ક FM પર કરી હતી. મલાઇકાએ કહ્યું હતું કે, અમે બંને એવી પરિસ્થિતિમાં હતાં કે અમારા બંનેને કારણે સૌ કોઇ પરેશાન હતાં. અમારા બંનેને કારણે તમામની જીંદગી પ્રભાવિત થઇ રહી હતી. છુટાછેડા લેવાની એક રાત પહેલાં સુધી અમે અમારા પરિવાર સાથે બેઠેલા હતાં અને મારી જાતને મે પુછ્યું હતું કે, શું હું 100 ટકા છુટાછેડા લેવાં ઇચ્છુ છું? જે બાદ અમે આ નિર્ણય લીધો હતો.
મલાઇકા વધુમાં કહે છે કે, આ નિર્ણય લેવો મારા માટે સહેલો ન હતો. આ કોઇ સામાન્ય નિર્ણય નથી. જેને હું ચપટીમાં લઇ શકતી નથી. આવા નિર્ણય કોઇને કોઇની ઉપર તો આરોપ મઢવામાં આવે છે કે પાર્ટનર એક બીજા પર કોઇને કોઇ આંગી ઉઠાવે છે સામાન્ય ઇન્સાન આવું કરે છે, મારા જેવાં વ્યક્તિ માટે આ નિર્ણય સૌથી અઘરો અને મહત્વપૂર્ણ હતો કારણ કે મારા માટે ખુશી સૌથી મહત્વપૂર્ણ છે. મે અને અરબાઝે આ નિર્ણય લેતા પહેલાં ઘણી વાતો કરી હતી બાદમાં આ નિર્ણય લીધો હતો.
મલાઇકાએ જ્યારે પુછવામાં આવ્યું કે, છુટાછેડા બાદ તે કેવી રીતે બધુ મેનેજ કરે છે અને અરબાઝ સાથે કેવાં સબંધ છે તો તેણે કહ્યું હતું કે, મને લાગે છે કે, અમારા સંબંધમાં અમારો દીકરાની ખુશી મહત્વપૂર્ણ છે.