Home Uncategorised કોમેડિયન રાજીવ નિગમ પર તુટ્યા દુખનાં ડુંગર, પિતા બાદ દીકરાનું નિધન

કોમેડિયન રાજીવ નિગમ પર તુટ્યા દુખનાં ડુંગર, પિતા બાદ દીકરાનું નિધન

167
0

રાજીવનાં દીકરાએ રાજીવનાં જન્મદિવસે જ અંતિમ શ્વાસ લીધો હતો. એક્ટર મુજબ, તેનાં કેક કાપતાં પહેલાં જ દીકરાએ આ દુનિયાને અલવિદા કહી દીધી.

પોતાની શાનદાર એક્ટિંગ અને દર્શકોને હસાવનારા પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટર રાજીવ નિગમ પર એક બાદ એક દુખનાં ડુંગર તૂટી પડ્યાં છે. હાલમાં જ રાજીવનાં પિતાનું નિધન થયુ હતું અને હવે તેમનો નાના દીકરા દેવરાજ પણ આ દુનિયામાં નથી રહ્યો. આ વાતની જાણકારી ખુદ રાજીવ નિગમે આપી છે. રાજીવનાં દીકરાએ રાજીવનાં જ જન્મ દિવસે અંતિમ શ્વાસ લીધો હતો. એક્ટર મુજબ, તેનાં કેક કાપતાં પહેલાં જ દીકરાએ આ દુનિયાને અલવિદા કહી દીધી.

રાજીવ નિગમનાં દીકરાનાં અચાનક થયેલાં મોત પર તેનાં ઘરમાં માતમ છવાઇ ગયુ છે. રાજીવ નિગમે ટ્વિટ કરીને દીકરાનાં નિધનની માહિતી આપી છે. તેણે એક પોસ્ટમાં દીકરાનાં જવા પર દુખ વ્યક્ત કર્યું છે. અને લખ્યું છે કે, ‘આ કેવી સરપ્રાઇઝ મળી મને મારા જન્મ દિવસ પર. મારો દીકરો દેવરાજ આજે મને છોડીને જતો રહ્યો. બર્થ ડે કેક કાપ્યા વગર, ગાંડા, આવી ગિફ્ટ કોઇ આપે ક્યારે..’

રાજીવનો દીકરા દેવરાજે રાજીવનાં લોખંડવાલા અંધેરી વેસ્ટ (મુંબઇ) સ્થિત તેમનાં ઘરે જ અંતિમ શ્વાસ લીધા. ‘હર શાખ પર ઉલ્લૂ બેઠા હૈ’નાં એક્ટરે દીકરા સાથેની તસવીર શેર કરી છે. રાજીવનાં દીકરાની તબિયત છેલ્લા બે વર્ષથી ખરાબ હતી. તે વેન્ટિલેટર પર જ હતો. આપને જણાવી દઇએ કે વર્ષ 2018માં જ રાજીવે આ વાતની માહિતી આપી હતી. જોકે, તેણે આ વાત જાહેર કરી ન હતી કે દીકરાને શું થયું છે.