રાજકોટ: મારૂતિ કુરિયરના સંચાલક રામભાઇ મોકરીયા અને તેમના બે પુત્રો અજય અને મૌલિકે પ્રધાનમંત્રી કેર ફંડમાં 1 કરોડ 8 લાખનું દાન કર્યું છે. દેશ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો હોય તેને અનુલક્ષીને આ દાન કરવામાં આવ્યું છે. તેમજ મેડિકલ, પેરામેડિકલ, પોલીસ, આર્મી તથા એડમિનિસ્ટ્રેશન વીંગ તથઆ હેલ્થ વર્કરના યોગદાનનો આભાર માન્યો છે. મારૂતિ કુરિયરના સ્ટાફ દ્વારા અમદાવાદ, રાજકોટ, ભૂજ, વડોદરા, સુરત, મુંબઇ, જયપુર, દિલ્હી સહિતના શહેરોમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનની સુવિધા પૂરી પાડી રહ્યો છે. અજય અને મૌલિક મોકરીયાએ જણાવ્યું હતું કે, ભારતની યુવા પેઢી એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. આવનાર સમયમાં આવી આફતો સામે લડવા દેશને સક્ષમ બનાવવો તે
યુવા પેઢીની જવાબદારી છે.