બરવાળા ભાસ્કર | ગાંફ 900 વર્ષ જૂનુ પ્રાચીન શ્રી સોમનાથ મહાદેવ મંદિર દ્વારા દર શ્રાવણ માસ દરમિયાન બીજા સોમવારે દાદા સોમનાથ મહાદેવ નો ભવ્ય વરઘોડા નું આયોજન કરવામાં આવે છે. ત્યારે તા.12 ઓગષ્ટનાં રોજ શ્રાવણમાસનાબીજા સોમવાર નિમિતે સોમનાથ મહાદેવનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં શિવભક્તોએ દાદા સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીઘો હતો. આ અંગે મંદિરનાપુજારી ગુણવંતરાય રાવલે જણાવ્યું હતું કે શ્રાવણમાંસ દરમિયાન બીજા સોમવારે મહાદેવનો વરઘોડો કાઢવામાં આવે છે અને મહાદેવને સુંદર શણગાર કરવામાં આવે છે.