Home Gujarati નવરાત્રિ થશે કે નહીં???

નવરાત્રિ થશે કે નહીં???

186
0

નવરાત્રિની મંજૂરી અંગે નાયબ મુખ્યમંત્રીનો સંકેત, સરકાર નવરાત્રિની છૂટછાટ આપવા વિચારી રહી છે, શક્ય એટલી રાહત અપાશે

કોરોના મહામારીને કારણે વિશ્વના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

નોરતાના આયોગન અંગે સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરી નવરાત્રિ પહેલા જાહેરાત કરશેઃ નીતિન પટેલ
નીતિન પટેલે આગળ કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રિને લઈને ખેલૈયા અને આયોજકો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી.

Navratri-newsnfeeds
Navratri-newsnfeeds

નવરાત્રિ ગાઈડ લાઈનમાં આ બાબતો ફરજિયાત થઈ શકે
નાયબ મુખ્યમંત્રીના નવરાત્રિને છૂટ આપવાના સંકેત મુજબ, જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ, મેદાનની લંબાઇ, પહોળાઈ, માસ્ક કે ફેસશિલ્ડ પહેરી રમવું, નેપકીન ફરજિયાત, પાણીની બોટલ સાથે લઈ આવવા જેવી નવરાત્રિ ગાઇડ લાઇન આવી શકે છે.

મંજૂરી માટે ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી પર દબાણ વધાર્યું
રાજ્યમાં નવરાત્રિ અંગે હજુ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ માંગ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિ કાર્યક્રમ કરવા દેવા જોઇએ. જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. અનલોક–4માં ઘણી બધી રાહતો આપવામાં આવી છે ત્યારે સરકારે પણ આ મહિનાના અતં સુધીમાં કોઇ નિર્ણય લેવો જોઇએ.

બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી હોવાથી નવરાત્રિને મંજૂરી મળવી જોઈએઃ ગરબા એસો.
એક તરફ ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવે છે. રાજ્યમાં બધી જ સંસ્થાઓ ખૂલી ચૂકી છે ત્યારે ગરબાના કલાસ તેમજ નવરાત્રિના આયોજનને મંજૂરી આપવી જોઇએ. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે છતાં સરકારે કોઇ સ્પષ્ટતા હજી સુધી કરી નથી. ગત મહિને જ્યારે ઇવેન્ટ સંચાલકો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અતં સુધીમાં સરકાર નવરાત્રી અંગે નિર્ણય લેશે.

અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છેઃ સાંસ્કૃતિક વિભાગના એક અધિકારી
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.

નવરાત્રિ માટેની 5 સંભવિત શરતો

  • નવરાત્રિના નવ દિવસના બદલે 2 કે 3 દિવસ ની મંજૂરી આપી શકે.
  • ક્લબ કે પાર્ટી પ્લોટ સિવાય શેરી-સોસાયટી ગરબાને મંજૂરી આપવામાં આવી શકે.
  • શેરી કે સોસાયટીના ગરબા માટે માત્ર 2 કે 3 કલાકની જ મંજૂરી મળી શકે.
  • ગરબામાં માત્ર 100 વ્યક્તિ સાથેની મંજૂરી આપી શકે.
  • ગરબા માટે પોલીસની સાથે આરોગ્ય વિભાગની પણ મંજૂરી ફરજિયાત કરવામાં આવી શકે.

बिदाई फेम एक्ट्रेस सारा खान निकलीं कोरोना पॉजिटिव, हुईं होम क्वारनटीन