છેલ્લી ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ની સફળતા પછી હવે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ‘કશ્મીર ફાઇલ્સ’ લઈને આવી રહ્યા છે. તેમણે સ્વતંત્રતા દિવસના પ્રસંગે આ ફિલ્મની જાહેરાત કરી છે જે આવતા વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના સામૂહિક નાસીપાસ થવા અને નરસંહાર પર આધારિત હશે. આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરના રિયલ લોકેશન્સ શંકરાચાર્ય મંદિર, માર્તંડ સૂર્ય મંદિર સહિત અનેક જગ્યાઓ પર કરવામાં આવશે. ફિલ્મમાં અનેક સારા કલાકારોની અસેમ્બલ કાસ્ટ થશે અને તેને વિવેકની પત્ની પલ્લવી જોશી એક મોટા સ્ટૂડિયો સાથે મળીને કો-પ્રોડ્યૂસ કરશે.
વિવેક કહે છે, અમે પાર્ટિશન વિશે વાંચ્યું છે, જલિયાવાલા બાગ વિશે વાંચ્યું છે પરંતુ કાશ્મીરી પંડિતોના મુદ્દાનો ઉલ્લેખ ઇતિહાસની પુસ્તકોમાં પણ નથી કરવામાં આવ્યો. આ ફિલ્મમાં તમે આ બધુ જોશો.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today