ત્રણ વર્ષમાં પૂરથી દેશભરમાં 6,000 લોકોનાં મોત, 39 લાખ ઘર બરબાદ થઈ ચૂક્યાં છે
વર્ષ મૃત્યુ
2016-17 1,550
2017-18 2,494
2018-19 2,045
2019-20 520
(જુલાઈ સુધી)
કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરના કારણે 12 લાખ લોકો બેઘર થયા છે.
વર્ષ ઘર ધરાશાયી
2016-17 5.5
2017-18 11.9
2018-19 15.6
2019-20 6
(આંકડા લાખમાં, જુલાઈ સુધી)
મહારાષ્ટ્રના અર્જુનવાડામાં એક જ દિવસમાં વરસાદના કરાણે 50થી વધુ ઘર ધરાશાયી.
દર વર્ષે લોકોનાં 2000 મોત, રૂપિયા 1800 કરોડનું નુકસાન
દેશમાં પૂરથી દર વર્ષે આશરે બે હજાર મોત થાય છે. દેશનો 15% હિસ્સો પૂરથી પ્રભાવિત રહે છે. આ કારણસર 80 લાખ હેક્ટર કૃષિ જમીન પ્રભાવિત થાય છ ે. આશરે રૂ. 1800 કરોડનું નુકસાન થાય છે. આ વર્ષે પણ દસ રાજ્યમાં પૂરથી ભારે નુકસાન થયું છે. છેલ્લા બે અઠવાડિયામાં છ રાજ્યમાં 270નાં મૃત્યુ થયાં છે, જ્યારે દસ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.